Saturday, December 12, 2015

જીવનના અનુભવ : અનુભવ

જીવનના અનુભવ : અનુભવ

આપણા બધા ના જીવન જોઈશું તો રજેરજની  માહિતી એકઠી કરી છે અને અનુભવ માત્ર નામ પુરતો જ છે.....અત્યારની નવી જનરેશન અને જુના વિચારો વાળી જૂની જનરેશન વચ્ચે એક અંતર દેખાઈ આવશે એ અનુભવ નું હશે ....

વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે આપણે દુરદુર સુધીની માહિતી ચપટીમાં મેળવી શકીએ છીએ પણ અનુભવ તો મેળવવો જ પડે છે અને એ માણસ ને એક નવી દિશા આપે છે જેમકે આપણે હિમાલય જવું છે એ માટે ની બધી તૈયારી કરીશું નકશો ,સાધનો ,જીવનજરૂરી અને કુદરતી આપતીવેળાએ આવતી અગવડ સગવડ વગેરે....પણ અનુભવ થી લાગેલી એક ઠેસ પણ આપણા અંદર સભાનતા લાવી મુકે છે અને આ જ અનુભવ આગળની ગતિ કરાવે છે કોઈ વાણી કે ભવિષ્યવાણી માણસ ને કામ નથી લાગતી,અનુભવ જેવો હશે તે આપણને માર્ગદર્શિકા પૂરી પાડશે અને સાચી સમજ કે વિવેક ખુલશે અને કુદરત કે ભગવાન એ નિર્ધારિત કરેલ પથ પર ચાલવાની પ્રેરણા મળશે...

સાયકલ કે કોઈ બ્રાન્ડે ગાડી કે ટ્રક કે ટેમ્પો કે કોઈ ટેલર જો ચલાવી હશે તો અનુભવ આવશે કે આગળ પાછળ કેટલું અંતર રાખવું અને કેવી રીતે હંકારવું આજ રીતે આપણા બધા જીવનની ગાડી કે શરીર રૂપી સાધન અનુભવ થી ઘડાયેલ હશે તો કોઇપણ ક્ષેત્ર કે કોઇપણ રીતે પાર પાડી શકશે..

“આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય” આ કહેવત આપણે સાંભરી છે પણ આપણે બધા કહેવાતી મોહ માયા માં એટલા બધા ફસાઈ ગયા છે કે આ દેહ કે શરીર ને એક કામ ચાલવવું બનાવી મુકયું છે અને પછી આવતી શારીરિક અને માનસીક રોગો નું ઘર કે વ્યસનવાળી જીવનશૈલી બનાવી અને કુદરત કે ભગવાન કે ગુરુ ને ડગલે ને પગલે આજીજી કરતા થઈ ગયા છે કે હે પ્રભુ કઈક  કર અને આમથી બહાર નીકળવાની દિશા બતાવ.....નાનપણ થી શરીર મોટું થયું ત્યાં સુધી કેટકેટલા અનુભવ કાર્ય હશે આપણે બધાએ પણ હજી સુધરતા જ નથી અને ઘેટાનું ટોળું કેમ એક પાછળ એક ચાલે તેવી નીતિ થી ચાલીએ છીએ અને પછી અનુભવેલા ને અનદેખીયું કરી જીવનને ગતી આપીએ છીએ અને ફરિયાદો માં આખું જીવન સમાપ્ત કરી ને કશું જ કર્યા વગર ચાલ્યા જઈએ છીએ ...

અનુભવ ને જો આગળ રાખીને આપણે કોઇપણ કાર્ય કરીએ તો સાચો ગુરુ તે બને છે અને આપણી થતી ભૂલો અને ફરિયાદોનો અંત લાવીને આપણને સાચી દિશા તરફ લઈ જાય છે...ગુરુ કે કુદરત કે ભગવાનના જીવનમાં જોઈશું તો કામ વગર કોઈ વાણી કે વર્તન કે કોઈ પ્રતિભાવ નહિ આપે પણ હા ચોક્કસ માગદર્શન જરૂર આપશે અને આપણે એમની આંગળીના ઈશારાને સમજવાને બદલે પગ પકડીને બેસી જઈશું કે હવે તમે જ કઈક  કરો હું તો તમારા આશરે છું તેવી લાગણી કરીશું પણ ગુરુએ ચીધેલા રસ્તા પર ચાલીશું તો અનુભવરૂપી જ્ઞાન આપશે અને આ જીવને મુક્તિ તરફ પ્રયાણ કરાવશે ....જય ભગવાન.