Thursday, November 19, 2015

જીવનના અનુભવ : અંતર

જીવનના અનુભવ : અંતર
સવારે સૂર્યનારાયણની તરફ દ્રષ્ટિકોણ ગયો અને જોયું કે માઈલો અંતર દુર બેઠેલો એક પ્રકાશનો ગોળો જે આખી સૃષ્ટીને પોતાના દિવ્યતા રૂપી અજવાળા કે પ્રકાશ થી પ્રકાશિત કરે છે અને અંતર હોવા છતા અંતરનો અભાવ નથી થતો,આપણે બધા અંતરની પરિભાષા દુર રહેલું એવું જ સામાન્ય રીતે આપણે કરતા હોઈએ છીએ, ગઈકાલે અમદાવાદ વડોદરા એક્ક્ષપ્રેસ હાઈવે થી જયારે પરત ફરતા હતા ત્યારે એક દ્રષ્ટી વાહનો ના અંતરમાં દેખાઈ હતી...આપણે આ અંતર ને કયા અર્થે ગ્રહણ કરીએ છીએ તેની પર આધાર છે....આપણા બધાના સંબંધો કે લાગણી માં અમુક અંતર જરૂરી છે પણ વિવેકથી રાખીએ.....
અંતર જેવું કઈ હોતું જ નથી પણ આપણા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ એટલે આ અંતર જેવું લાગે છે જેમકે...એક મુકામ એ પહોચવું હોય તો તમારે ચાલવું પડે અને ચાલતા જ રહેવું પડે પછી એ મુકામ સુધી પહોચીયા પછી કોઈ અંતર જેવું લાગે જ નહિ,સંબંધો અને લાગણીમાં કે આપણા રોજબરોજના વહેવારમાં પણ આવું જ છે...અંતર રાખીએ એટલે આપણને તે વ્યક્તિ સામે હોવા છતા દુર જ લાગે પણ અંતર જેવું જ ના રાખીએ તો બધા જ પોતાના લાગે ....અંતર જ્યારે અમસ્તુંય કાપતા નથી ત્યાર પછી કદાચ અંતર કપાતું જ નથી…
જે સાથે નથી આવતું તે માટે આપણે મહેનત કરીએ છીએ અને જે સાથે આવે છે તે આત્મા માટે આપણે સાવધાન નથી.રોજ સવારે ઉઠીને એક આ અંતર ને દુર કરતા કરતા શીખી જઈએ ...જય ભગવાન.

No comments:

Post a Comment