Saturday, November 28, 2015

જીવનના અનુભવ : દુ:ખ - દુ:ખી

દુ:ખ-સંકટ આપણી એવી શક્તિઓ ને બહાર લાવે છે,જે સુખ સમૃદ્ધિના સમયે આપનામાં સુતેલી હોય છે.....
દુઃખના બે પ્રકાર છે.એક,કર્મ અનુસારનું આવી પડતું દુઃખ.અને...બીજું,બીજાના સુખની સરખામણીથી થતું દુઃખ.....
દુ:ખનું માપ વિપત્તિના સ્વરૂપથી નહિ,પરંતુ તેને સહન કરનારના સ્વભાવ પર થી કાઢવું જોઈએ.......
હીરાને ઘસીએ નહિ ત્યાં સુધી તેનું તેજ પ્રગટે નહિ, તેમ કસોટીઓમાંથી પસાર થયા વિના માનસ પૂર્ણ બનતો નથી....
દુ:ખીને મદદ કરવા લંબાયેલો એક હાથ પ્રાર્થના કરવા જોડાયેલા બે હાથ કરતા વધુ સાર્થક છે...........જય ભગવાન.


No comments:

Post a Comment