Saturday, December 12, 2015

જીવનના અનુભવ : અનુભવ

જીવનના અનુભવ : અનુભવ

આપણા બધા ના જીવન જોઈશું તો રજેરજની  માહિતી એકઠી કરી છે અને અનુભવ માત્ર નામ પુરતો જ છે.....અત્યારની નવી જનરેશન અને જુના વિચારો વાળી જૂની જનરેશન વચ્ચે એક અંતર દેખાઈ આવશે એ અનુભવ નું હશે ....

વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે આપણે દુરદુર સુધીની માહિતી ચપટીમાં મેળવી શકીએ છીએ પણ અનુભવ તો મેળવવો જ પડે છે અને એ માણસ ને એક નવી દિશા આપે છે જેમકે આપણે હિમાલય જવું છે એ માટે ની બધી તૈયારી કરીશું નકશો ,સાધનો ,જીવનજરૂરી અને કુદરતી આપતીવેળાએ આવતી અગવડ સગવડ વગેરે....પણ અનુભવ થી લાગેલી એક ઠેસ પણ આપણા અંદર સભાનતા લાવી મુકે છે અને આ જ અનુભવ આગળની ગતિ કરાવે છે કોઈ વાણી કે ભવિષ્યવાણી માણસ ને કામ નથી લાગતી,અનુભવ જેવો હશે તે આપણને માર્ગદર્શિકા પૂરી પાડશે અને સાચી સમજ કે વિવેક ખુલશે અને કુદરત કે ભગવાન એ નિર્ધારિત કરેલ પથ પર ચાલવાની પ્રેરણા મળશે...

સાયકલ કે કોઈ બ્રાન્ડે ગાડી કે ટ્રક કે ટેમ્પો કે કોઈ ટેલર જો ચલાવી હશે તો અનુભવ આવશે કે આગળ પાછળ કેટલું અંતર રાખવું અને કેવી રીતે હંકારવું આજ રીતે આપણા બધા જીવનની ગાડી કે શરીર રૂપી સાધન અનુભવ થી ઘડાયેલ હશે તો કોઇપણ ક્ષેત્ર કે કોઇપણ રીતે પાર પાડી શકશે..

“આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય” આ કહેવત આપણે સાંભરી છે પણ આપણે બધા કહેવાતી મોહ માયા માં એટલા બધા ફસાઈ ગયા છે કે આ દેહ કે શરીર ને એક કામ ચાલવવું બનાવી મુકયું છે અને પછી આવતી શારીરિક અને માનસીક રોગો નું ઘર કે વ્યસનવાળી જીવનશૈલી બનાવી અને કુદરત કે ભગવાન કે ગુરુ ને ડગલે ને પગલે આજીજી કરતા થઈ ગયા છે કે હે પ્રભુ કઈક  કર અને આમથી બહાર નીકળવાની દિશા બતાવ.....નાનપણ થી શરીર મોટું થયું ત્યાં સુધી કેટકેટલા અનુભવ કાર્ય હશે આપણે બધાએ પણ હજી સુધરતા જ નથી અને ઘેટાનું ટોળું કેમ એક પાછળ એક ચાલે તેવી નીતિ થી ચાલીએ છીએ અને પછી અનુભવેલા ને અનદેખીયું કરી જીવનને ગતી આપીએ છીએ અને ફરિયાદો માં આખું જીવન સમાપ્ત કરી ને કશું જ કર્યા વગર ચાલ્યા જઈએ છીએ ...

અનુભવ ને જો આગળ રાખીને આપણે કોઇપણ કાર્ય કરીએ તો સાચો ગુરુ તે બને છે અને આપણી થતી ભૂલો અને ફરિયાદોનો અંત લાવીને આપણને સાચી દિશા તરફ લઈ જાય છે...ગુરુ કે કુદરત કે ભગવાનના જીવનમાં જોઈશું તો કામ વગર કોઈ વાણી કે વર્તન કે કોઈ પ્રતિભાવ નહિ આપે પણ હા ચોક્કસ માગદર્શન જરૂર આપશે અને આપણે એમની આંગળીના ઈશારાને સમજવાને બદલે પગ પકડીને બેસી જઈશું કે હવે તમે જ કઈક  કરો હું તો તમારા આશરે છું તેવી લાગણી કરીશું પણ ગુરુએ ચીધેલા રસ્તા પર ચાલીશું તો અનુભવરૂપી જ્ઞાન આપશે અને આ જીવને મુક્તિ તરફ પ્રયાણ કરાવશે ....જય ભગવાન.


Saturday, November 28, 2015

જીવનના અનુભવ : દુ:ખ - દુ:ખી

દુ:ખ-સંકટ આપણી એવી શક્તિઓ ને બહાર લાવે છે,જે સુખ સમૃદ્ધિના સમયે આપનામાં સુતેલી હોય છે.....
દુઃખના બે પ્રકાર છે.એક,કર્મ અનુસારનું આવી પડતું દુઃખ.અને...બીજું,બીજાના સુખની સરખામણીથી થતું દુઃખ.....
દુ:ખનું માપ વિપત્તિના સ્વરૂપથી નહિ,પરંતુ તેને સહન કરનારના સ્વભાવ પર થી કાઢવું જોઈએ.......
હીરાને ઘસીએ નહિ ત્યાં સુધી તેનું તેજ પ્રગટે નહિ, તેમ કસોટીઓમાંથી પસાર થયા વિના માનસ પૂર્ણ બનતો નથી....
દુ:ખીને મદદ કરવા લંબાયેલો એક હાથ પ્રાર્થના કરવા જોડાયેલા બે હાથ કરતા વધુ સાર્થક છે...........જય ભગવાન.


Thursday, November 26, 2015

જીવનના અનુભવ : નવગુણ.

બોલી બગાડે એ અવગુણ, 
નહી બોલવામાં નવગુણ...........જય ભગવાન.

Wednesday, November 25, 2015

જીવનના અનુભવ : દેવ દિવાળી

જીવનના અનુભવ : દેવ દિવાળી

દેવદિવાળી એટલે આપણા અંતરમાં ઉઠતી ઊર્મિઓનો સમૂહ કે જે આપણને કુદરત કે ભગવાન કે તત્વ ના સનીધ્યની અનુભૂતિ કરાવે છે અને દિલમાં દીવો કરવાની પ્રેરણા કરાવે છે....જોવા જઈએ તો આ દેવીદેવતા કે તત્વ ને દેવદિવાળી કેવી હશે તેની માત્ર કલ્પના જ કરી શકાય છે....આપણે છપ્પનભોગના અન્નકૂટના દર્શન કે ઈશ્વરીય શક્તિ પાસે નમન કે માનવીય મહેરામણ (મેળો) કે સ્નાન નો મહિમા કે આ વિશેષ પૂજા-અર્ચના અને આરતીનું આયોજન.... ખરેખર  તો આ જીવમાં ઉદ્ભવતી અશાંતિ ને શાંત કરવા માટે જ છે ,પણ એક કહેવત મુજબ “મન ચંગા તો કથરોટમેં ગંગા

મન પરનો કાબુ જ આપણને રોજબરોજ કે આવતી ક્ષણ દેવદિવાળી જેવી બનાવે છે કેમકે આ દેવીદેવતાને લગતી આખી પ્રવૃત્તિ આપણી અંદરના ભાવ અને શ્રધ્ધા અનુસાર જ દેખાય છે.... મનને મજબૂત કરવા વ્રત, ઉપવાસ, એકાસણાં, તિથિએ પૂજા, હોમ, હવન, યજ્ઞા કરવાના મુખ્ય ઉપાય છે અને એજ આપણા દ્રઢમનોબળ ને મજબુત કરીને શાંતિ નો અનુભવ કરાવે છે....

દેવદિવાળીની કે દેવતાઓની પ્રાચીન ઘણી બધી કથાઓ છે અને આ કથા ના સાર જોઈએ તો આપણી અંદરની સ્થિરતા અને શાંતિને આધારીત છે...માનવ જીવનમાં આવતા ચઢાવ ઉતાર ને સમતોલ દ્રષ્ટિકોણથી સમજવા કે અનુભવવા થી જ આપણી આંતરિક ઉદ્વવ ગતિ થાય છે....સમતા એ એક એવો ગુણ છે જે આપણે સમજણમાં છે પણ આચરણ માં માત્ર એક ટકો જ છે આ આપણી બુદ્ધિ માં ના ઉતરે કેમકે આપણે આચરણમાં ફક્ત કહેવાતો જ મુકીએ છીએ અને અહંકાર પછી આનો કબજો જમાવી લે છે....
નરસીંહમહેતા નું એક ભજન છે... હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે........

આપણા બધા ની આખી પ્રવૃત્તિ આપણા નાનકડા સંસાર સુધી જ સીમિત છે...અને બાહ્ય જગત કે દેવીદેવતાની માત્ર કલ્પના છે.આપણે પોતે જ ઈશ્વરીયશક્તિ છે પણ અજાણ છીએ અને આપણે કરતા કર્મ ને આધીન આપણા જીવની ગતિ કરતા રહીએ છીએ,અને આપણી અંદરની જોવાની શક્તિ જ સમતોલન જાળવતા શીખવાડે છે....જો આને જોતા આવડે તો આ એક ભજન નો ભાવ આખી સમજણ આપશે....જય ભગવાન.

જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
મનખા દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.

શુ થયું સ્નાન સંધ્યા ને પૂજા થકી, શું થયું ઘેર રહી દાન દીધે?
શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે, શું થયું વાળ લુંચન કીધે?

શું થયું જપ તપ તીરથ કીધા થકી, શું થયું માળ ગ્રહી નામ લીધે?
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી, શું થયું ગંગાજળ પાન કીધે?

શું થયું વેદ વ્યાકરણ વાણી વદે, શું થયું રાગ ને રંગ માણ્યે?
શું થયું ખટ દર્શન વેદ સેવ્યા થકી, શું થયું વરણના ભેદ આણ્યે?

એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા, આતમારામ પરિબ્રહ્મ ન જોયો;
ભણે નરસૈંયો તત્વદર્શન વિના, રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.


- નરસિંહ મહેતા

Tuesday, November 24, 2015

જીવનના અનુભવ : તક

તકની એક ખાસિયત એ છે કે તે આવે તેના કરતા તે જતી રહે ત્યારે મોટી લાગે છે ......
ઘણા માણસો તકને ઝડપી તો લે છે પણ પછી તુરંત જ તેને જતી કરે છે......
તક ભાગ્યે જ બીજી વાર મળે છે.......
જયારે તક આવે ત્યારે તૈયાર રહો કેમકે જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે તેને જ 'ભાગ્ય' કહે છે....
ઘણીવાર નાની તક એ મોટા સાહસની શરૂઆત બને છે.....
કોઈ મહાન માણસે ક્યારેય 'તક મળતી નથી' એવી ફરિયાદ કરી નથી.........જય ભગવાન.

Monday, November 23, 2015

જીવનના અનુભવ : સુખ

રાત્રે  વહેલા  જે  સૂવે,
 વહેલા  ઊઠે વીર,
 બળ, બુદ્ધિ ને ધન વધે,
સુખમાં રહે શરીર.

પહેલું સુખ તે જાતે નર્યા........જય ભગવાન.

Friday, November 20, 2015

જીવનના અનુભવ : જેવો સંગ તેવો રંગ

જીવનના અનુભવ : જેવો સંગ તેવો રંગ

પાણી નું એક ટીપું નદીમાં પડે તો તે પોતાની ઓરખાણ ગુમાવી દે છે.....અને સમુદ્રમાં રૂપાંતર થાય છે....
પણ આ ટીપું કોઈ ફૂલ કે ફળ પર પડે તો તે સૂર્યનારાયણ ના તેજ થી ઝળહરી ઉઠે છે....અને એક તેજસ્વી પ્રકાશ માં પરિવર્તિત થાય છે....
પણ આ ટીપું કોઈ છીપલાં માં પડે તો તે સુંદર મોતી બની જાય છે.....કોઇપણ સ્વરૂપે એની અનમોલતા બરકરાર રહે છે....

બસ આ રીતે જેવો સંગ તેવો રંગ ......જય ભગવાન.
 

Thursday, November 19, 2015

જીવનના અનુભવ : અંતર

જીવનના અનુભવ : અંતર
સવારે સૂર્યનારાયણની તરફ દ્રષ્ટિકોણ ગયો અને જોયું કે માઈલો અંતર દુર બેઠેલો એક પ્રકાશનો ગોળો જે આખી સૃષ્ટીને પોતાના દિવ્યતા રૂપી અજવાળા કે પ્રકાશ થી પ્રકાશિત કરે છે અને અંતર હોવા છતા અંતરનો અભાવ નથી થતો,આપણે બધા અંતરની પરિભાષા દુર રહેલું એવું જ સામાન્ય રીતે આપણે કરતા હોઈએ છીએ, ગઈકાલે અમદાવાદ વડોદરા એક્ક્ષપ્રેસ હાઈવે થી જયારે પરત ફરતા હતા ત્યારે એક દ્રષ્ટી વાહનો ના અંતરમાં દેખાઈ હતી...આપણે આ અંતર ને કયા અર્થે ગ્રહણ કરીએ છીએ તેની પર આધાર છે....આપણા બધાના સંબંધો કે લાગણી માં અમુક અંતર જરૂરી છે પણ વિવેકથી રાખીએ.....
અંતર જેવું કઈ હોતું જ નથી પણ આપણા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ એટલે આ અંતર જેવું લાગે છે જેમકે...એક મુકામ એ પહોચવું હોય તો તમારે ચાલવું પડે અને ચાલતા જ રહેવું પડે પછી એ મુકામ સુધી પહોચીયા પછી કોઈ અંતર જેવું લાગે જ નહિ,સંબંધો અને લાગણીમાં કે આપણા રોજબરોજના વહેવારમાં પણ આવું જ છે...અંતર રાખીએ એટલે આપણને તે વ્યક્તિ સામે હોવા છતા દુર જ લાગે પણ અંતર જેવું જ ના રાખીએ તો બધા જ પોતાના લાગે ....અંતર જ્યારે અમસ્તુંય કાપતા નથી ત્યાર પછી કદાચ અંતર કપાતું જ નથી…
જે સાથે નથી આવતું તે માટે આપણે મહેનત કરીએ છીએ અને જે સાથે આવે છે તે આત્મા માટે આપણે સાવધાન નથી.રોજ સવારે ઉઠીને એક આ અંતર ને દુર કરતા કરતા શીખી જઈએ ...જય ભગવાન.

Wednesday, November 11, 2015

જીવનના અનુભવ : દિવાળી

જીવનના અનુભવ : દિવાળી

એક ભજન છે જો તેનો ગુઢાર્થ આપણે જાણી શકીએ તો .....

દિલમાં દીવો કરો રે દીવો કરો, કૂડા કામ ક્રોધને પરહરો રે ... દિલમાં દીવો કરો
દયા દીવેલ પ્રેમ પરણાયું લાવો,માંહી સુરતાની દીવેટ બનાવો; મહીં બ્રહ્મઅગ્નિ પ્રગટાવો રે ... દિલમાં દીવો કરો
સાચા દિલનો દીવો જ્યારે થાશે,ત્યારે અંધારુ મટી જાશે;પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે .... દિલમાં દીવો કરો
દીવો અણભે પ્રગટે એવો,ટાળે તિમિરના જેવો;એને નેણે તો નીરખીને લેવો રે ... દિલમાં દીવો કરો
દાસ રણછોડે ઘર સંભાળ્યું,જડી કૂંચી ને ઊઘડ્યું તાળું;થયું ભોમંડળમાં અજવાળું રે ... દિલમાં દીવો કરો
- રણછોડદાસ

તમે આ જીવનમાં મળ્યા તો આ જીવતર સુધરીયું,એક નવજીવન મળ્યું અને તહેવારોનો મહિમા સમજાયો,બાકી આ અમાસનીરાત અંધારી હતી અને દિવાળીના દીવાની જેમ દિલમાં દીવો પ્રગટાવિયો....અને હર ક્ષણ દિવાળી જ છે તેની તરફ ઈશારો કર્યો...જય ભગવાન.


દિવાળી પર હવે ઘરે મહેમાન ઓછા અને મેસેજ વધારે આવે છે, અને લોકો હજી એમ સમજે છે કે મોબાઈલ આપણને નજીક લાવે છે.

Tuesday, November 10, 2015

જીવનનાઅનુભવ : સફળતા કે નિષ્ફળતા

જીવનનાઅનુભવ : સફળતા કે નિષ્ફળતા
આ જગત માને છે કે તમારી સફળતા માટે તમારા સિવાય બાકીના બધા જ પરિબળો કારણભૂત છે પણ નિષ્ફળતા આવે છે ત્યારે આ જ દુનિયા માને છે કે તેનું કારણ તમે અને એકમાત્ર તમે જ છો........
તમારી સફળતા વખતે લોકો તમને જેટલા સારા માને છે તેટલા સારા તમે નથી હોતા, તે જ રીતે તમારી નિષ્ફળતા વખતે લોકો તમને જેટલા ખરાબ માને છે તેટલા ખરાબ પણ તમે નથી હોતા..........
જીવનમાં સફળતા મેળવવા માંગતા હોવ તો ધીરજને પોતાનો પરમ મિત્ર, અનુભવને પોતાનો બુદ્ધિમાન સલાહકાર, સાવધાનીને પોતાનો મોટો ભાઈ અને આશાને પોતાનો પહેરેદાર બનાવી લો. ....જય ભગવાન.


Monday, November 9, 2015

જીવનના અનુભવ : ધન તેરસ

જીવનના અનુભવ : ધન તેરસ

નાણા વગરનો નાથિયો, નાંણે નાથાલાલ.....આપણા બધાના સંબંધો આવા છે.....ધન હશે ત્યાં તેના વખાણ કરવાવાળા પણ ઝાઝા હશે અને ધનપતિઓ કઈક સામાન્ય કરે તો પણ તેને અજુગતું બનાવીને રજૂઆત કરશે અને આપણે આને પ્રોત્સાહન આપીશું કે કયાંક આપણો પર મેળ પાડી દે અને આપણે પણ તેની પંગતમાં સામેલ થઈ શકીએ......પણ કોઈ સામાન્ય માનવી કોઈ પણ સારૂ કર્મ કે કાર્ય કે કોઇપણ ગતિવિધિઓ કરશે આપણે એને જરૂરથી નજર અંદાજ કરીશું......આ આપણા સંસારનો સ્વભાવ છે......

ધનતેરસનો મહિમા આપણે સંસારિક રીતે આપણે આપણા ધનધાન્ય ની પૂજાપાઠ ને કરતા આવિયા છે અને કરતા રહીશું...એમાં વિતાવીએ છીએ પણ સાચું ધન શું છે તે આપણે જાણતા જ નથી અને આ રૂપિયા પાછળ આંધળી દોટ મૂકી છે...ધન શબ્દ નો ધ્વનિ પડે અને હું જલ્દી ધનવાન કયારે થઈ જવું તેવા જ વિચારો આવે છે...ધનતેરસ આવે એટલે આપણે આપણા બધા ધન ની પૂજાપાઠ કરીએ અને ગયા વર્ષ કરતા આ વર્ષએ શું કમાયા એની જ ગણતરી કરીએ...પણ સાચું ધન શું કમાયા એ તો બહુ જ ઓછા લોકો સમજે અને જાણે ....

સાચા ધનને આપણે ઓરખીએ વધઘટ ના સ્વરૂપે...
સ્વાસ્થ્યરૂપી ધન કેટલું વધ્યું....સ્વાર્થીપણું કેટલું ઘટયું.....
પરમાર્થ કેટલો વધ્યો ...પુરુષાર્થ કેટલો ઘટયો....
માનસીકતા કેટલી વધી ...અને મનનો મેલ કેટલો ઘટયો....
જાહોજલાલી કે સમૃદ્ધિ કટેલી વધી....અને સદભાવના કેટલી ઘટી....
આભાર કેટલો વ્યક્ત કરિયો કે વધ્યો અને ફરિયાદ કેટલી ઘટી....

સાચી ધન તેરસ એ આપણે જોઈએ તો હજી પણ આપણે આપણા કહેવાતા ધન વૈભવ અને જાહોજલાલી કે સમૃદ્ધિ પાછળ જ ખર્ચેલો જોઈશું....સવાર પડે અને એક હરિફાઇમાં ભાગ લીધો હોય તેમ વિચારીને આજે આટલું તો ધન મેળવવું જ છે...!!!..પણ સાચું ધન કેટલું મેળવીયુ અને કેટલું આપણે ટકાવીયુ .....તે જોતા આવડી જાય તો રોજ રોજ ધન તેરસ જ છે....અને રોજ રોજ આનદપ્રમોદ જ કરાય અને બધી ફરિયાદો અને આક્રોશ શાંત દેખાય.....

સંતોષી નર સદા સુખી......આ કહેવત જ બનીને રહી ગઈ છે....આપણે આને અનુભવમાં લાવવાની જરૂર છે...ધનતેરસની વ્યાખ્યા કરવી હોય તો આ કહેવત જ અનુરૂપ છે....કુદરત કે ભગવાન કે તત્વ ક્યારેય કોઈ ધનથી રીઝાતો નથી કે તે કોઈ ધનવાનને પોતાનું સ્વરૂપ બતાવતો નથી પણ આ આપણે જાણતા અજાણતા આપણે આપણા સ્વભાવ અનુસાર રકઝક અને મે કર્યું મે કર્રીયું ની આદત ને લીધે તેની પ્રતીતિ થી અજાણ છીએ પણ એકવાર એ કરાવે એમ કરીએ અને સાચા ધનની પહેચાન કરીએ એટલે આ ધન્વન્તરી દેવતા આપણી જોડે જ લાગે અને રહે અને ધનતેરસ સહજતાથી માનવીએ ......

એક દ્રષ્ટિથી..... સૂર્ય કે ચંદ્ર કે તારા કે પશુ પક્ષી કે અન્ય જીવ ને દરેક દિવસ કે રાત નું અનોખું મહત્વ છે અને તે આ માણસ એ બનાવેલા વાર તહેવારથી અજાણ જ છે અને રોજરોજ એ પોતપોતાના સ્વભાવ મુજબ ગતિ કરે છે અને કુદરત એને ગતિ કરાવે છે...માણસને બુધ્ધી અને વિવેક આપી પોતના જન્મને સુધારવાની તક આપી છે અને અબજો યોનિમાંથી પસાર થયા પછી આ દેહમાં જન્મ થયો છે અને આપણે આપણા રોજીંદા જીવનની અપૂરતી અને અગવડતા તરફ જ ધ્યાન આપીએ છીએ પણ એક દ્રષ્ટી આપણને આપેલા જીવન અને માણસની મહતા પર આપીએ એટલે એ તત્વના સાનિધ્યમાં સ્વરૂપમાં  દેખાય અને ઓરખાય.....અનુભવ અને અનુભવેલા આનદ ને આપણે કયારેય ભૂલી શકતા નથી પણ કોઈ દુઃખદર્દ ને પણ આપણે ભુલાવતા શીખીએ એટલે આ ધન રૂપી તેરસ નો મહિમા આપણા જીવનમાં ઉતરે અને તત્વની અનુભૂતિ થાય..... જેવો સંગ તેવો રંગ...જય ભગવાન.

Sunday, November 8, 2015

અખો – છપ્પા .....

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?

તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાકયા ચરણ તોય ન પોહોતો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન........ અખો – છપ્પા .....


Thursday, November 5, 2015

જીવનના અનુભવ : નિયમિત

જીવનના અનુભવ : નિયમિત

આપણે આ નિયમિતતા કે નિયમિતપણે સભાન થઈએ તો મોટાભાગના આપણા કહેવાતા પ્રશ્નોના નિકાલ આવી જાય,સવારથી જ આપણે આપણા નિયમિત કાર્ય કે કર્મ ને કરીએ છીએ પણ પછી જેવી બપોર કે એક જીન્દગી નો મોટાભાગનો સમય નીકળી જાય છે એટલે આપણે આ નિયમિતપણા ને બાજુ મુકીને મન ફાવે તેવા વલણ ને આપનાવીએ છીએ.........અને સાંજ એટલે કે વયોવૃદ્ધતા આવે એટલે આપણે બસ સલાહ અને સૂચનોમાં જ આપણી ઉર્જાને વેડફી નાખીએ છીએ.....અને પછી પાછા એ જ ચક્કરમાં ધુમીયા કરીએ છીએ...

રોજબરોજના જીવનમાં નિયમિત આહાર,નિંદ્રા,કર્મની મહતા અને ભક્તિનું સ્વરૂપ જો આવી જાય તો જીવન ની પ્રત્યેક ક્ષણ અહી જ સ્વર્ગની અનુભૂતિ આપે છે,આપણે સારા વિચારક છીએ પણ સારા આચારક એટલે કે આચરણમાં લઈએ એટલે આપણા જીવનનો ખરો હેતુ સમજાય.......ધન,વૈભવ અને સુખ ની પાછળ જેટલા ભાગીએ છીએ તેટલા જો આ નિયમિતતા ની પાછળ ધ્યાનથી આગળ વધીએ તો આ જીવનના સાચા મુલ્યો સમજાય અને આનદ કે મોજ માટે આપણે આર્ટીફીશીયલ આનદપ્રમોદ પાછળ ની ઘેલછા કે વ્યાકુળતામાં નષ્ટ થાય.....અને નિયમિત એટલે આપણે એની વ્યાખ્યા પાછળ જ ભાગીએ છીએ પણ તેના ગુણધર્મો અને તેના પરિણામો પાછળ ના રહસ્યો સમજીએ એટલે આપણે આપણા જીવની મહતા કે આ જીવના ધરતી પરના અવતરણના હેતુ સમજાય,


નિયમ પરથી જ નિયમિતતા આવી છે અને આખી સૃષ્ટી કે આખો સંસાર એક લય બદ્ધતા અને નિયમને આધીન છે તે જાણીએ છીએ પણ આપણે આ નિયમ કે નિયમિતતા ને ઉપર છલ્લો જ ગ્રહણ કરીએ છીએ પછી આવતી મુશ્કેલીઓ પાછળ ના જોઈતી એનર્જી નો વ્યય કરીને હતાશા કે નિરાશાજનક વિચારક બનીને રહી જઈએ છીએ પણ જો આ સુધારવાની શરૂઆત કરીએ એટલે જીવનની ગાડી ઓટોમેટિક સાચા રસ્તા પર આગળ વધે છે અને દરેક મદદરૂપ થાય છે,આપણે જેમ દરેક રમતગમત કે સ્પર્ધા ના નિયમો જાણીએ અને તે પ્રમાણે જ નિયમિત પણે આગળ વધીએ તો કદી અસફળતા નથી મળતી પણ આપણે ઉદાહરણ સ્વરૂપે ક્રિકેટમાં કબડી અને હોકીના નિયમો દાખલ કરીને સ્પર્ધા કે રમતગમતમાં આગળ વધવા માંગીએ છીએ એટલે લક્ષ્યાંક ચુકી જ જવાના છે...ને

કુદરત કે તત્વ કે ભગવાન ના તરફ જો દ્રષ્ટિકોણ કરીશું તો તેમાં એક નિયમિતતા જોવા મળશે,સૂર્ય ચંદ્ર કે ફળ ફૂલ કે ઝાડ પાન કે અન્ય જીવ ને જોઈશું તો આ ધ્યાનમાં આવશે અને આપણે કઈ તરફ ગતિ કરી રહીયા છે તેનું ભાન થશે,જે લોકો જાગવાના રસ્તે ચાલી નીકળી પડિયા છે તે લોકો આ દ્રષ્ટિકોણની પરિચિત છે, ગુરુ કહે છે કે નિયમિતતા ના ગુણ નો જો ભાવ પકડાય એટલે આપણે જાગ્રતિના અડધે રસ્તે પહોચી ગયા છે બાકી એ તત્વ આપણી સાર સંભાળ રાખે છે અને તેના છત્રછાયાની અનુભૂતિ કરાવે છે....કુદરતના કાર્યકારણના નિયમો જેઓ એ સમજી લીધા છે તે લોકો ને આશા કે અપેક્ષાઓ નથી જાગતી અને એ સહજતાથી જીવ ની ગતિ કરે છે પણ જેમ નવું નવું નવ દિવસ એવી કહેવત છે આપણા ગુજરાતીમાં એમ પછી નિયમિતતા ને નેવે મૂકી દઈએ એટલે આપણે આપણી ગતિ અટકાવી દઈએ છીએ અને વાંક બીજાનો કાઢીએ છીએ ....


નિયમ અને નિયમિતતા ના સભાનતા અને વિવેકભરિયા આચરણ થી જ આપણે મુક્તિના માર્ગે આગળ વધી શકીએ છીએ બાકી ના ઘરના કે ના ઘાટના જેવી સ્થિતિ આવી જાય છે....જય ભગવાન.

Friday, October 30, 2015

જીવનના અનુભવ : અગમચેતી

જીવનના અનુભવ : અગમચેતી

રસ્તા પર કે જીવનના પ્રવાહમાં એક ખાડો દેખાય અને આપણે આપણું ટોટલ ધ્યાન હવે એકત્રીત કરી અગમચેતીરૂપે સાવધાન થઈ જઈશું અને આપણી ગતિને ધીમી કે સાવચેતી ભરી કરી નાખીશું...આ એક કળા કહો કે માણસની બુદ્ધિમતા કહો, માણસ આ અગમચેતી ના પગલા ભરવાની શરૂઆત કરી દેશે.....

આપણા જીવનમાં બેદરકારી નહિ કરવાની ... પણ આપણે આ અગમચેતીને આપણા જીવન કે વહેવારમાં કેવી રીતે લઈએ છીએ તે વિવેક કેળવવો પડે ...
જેમકે....
કોઈ એક સમાચાર મળે કે આ સ્થળ કે આ જગ્યાએ કુદરતી આફત આવી છે....એટલે આપણે પણ આપણામાં અગમચેતી સમજીને વર્તન કરીશું ....
કોઈ ક્રિયા કે પ્રક્રિયા કરતા હાની કે નુકશાન થાય છે, તો આપણે પણ અગમચેતી સ્વરૂપે પગલા ભરીશું...
કોઈ જીવ કોઈ બીમારીથી પીડાતો હોય અને આ બીમારી આપણી અંદરના આવે તે માટે આપણે થોડા ફેરફાર કરીશું ....
કોઈ માણસ ની વાણી વર્તન કે વહેવાર બરાબર આપણી મરજી મુજબ નહિ હોય તો આપણે આ અગમચેતી મુજબ સમજીને સામે વાણી વર્તન કે વહેવાર કરીશું.....
આ તો થઈ એક સામાન્ય વાત કે જે માણસ જાતે જ શીખી જાય છે  અને પોતાની સમજ અને બુદ્ધિમતા અનુસાર રોજબરોજના ઘટનાક્રમ માં થી પસાર થાય છે.....

અગમચેતીની જો વ્યાખ્યા કરવામાં આવે તો બીજી ક્ષણએ શું થશે તે આપણી સમજશક્તિથી સમજીને કે અનુભવેલા અનુભવથી કરવામાં આવતી સાવધાની ......

બીજા જીવ કે માણસ ના અંદર થતી દખલગીરીને આપણે આપણા મુજબ લઈએ એટલે આપણને ખબર હોય કે ના હોય છતા આપણે ના કરવાના કામ કે પ્રયોગો કરીએ અને આપણા સહજ કર્મ કે સહજ જીવન પ્રત્યે સભાનતા ગુમાવી નાખીએ પછી આ અગમચેતી નામના શબ્દ કે અનુભૂતિની જરૂર પડે અને પછી આપણે આપણા જીવ પ્રત્યે સાવધાન થઈએ ...પણ જો સામે આવતા દરેકને એટલે કે વાણી,વર્તન,વહેવાર કે સહજતાથી અનુભવેલા કે વિવેકપુણ થી જો કરીએ તો આ અગમચેતી જેવું કઈ લાગતું જ નથી......

રામ રાખે તેને કોણ મારે આ વાક્યની મહતા આપણે ખાલી બસ ઉક્તિ સ્વરૂપે જ લઈએ છીએ ...પણ જો દરેક પ્રત્યે પ્રેમ આદર અને વિવેક જાગે તો આ અગમચેતી શેના માટેની.....આ આપણી બુદ્ધિમાં નહિ જ ઉતરે

આગ,પાણી, અને હવા આ માણસના જીવનના મહત્વના અંગ છે આપણે કોઈ દિવસ આગમાં જાણતા કોઇપણ અંગ નહિ નાખીએ તો કોઈ અગમચેતી કરવાની જરૂર ખરી...
પાણીની મર્યાદા આપણા જીવને અનુરૂપ હશે તેમ લઈશું તો...
હવાને એટલે કે શ્વાસમાં પણ ધ્યાન રાખીશું આમાં કોઈ અગમચેતી જેવું નહિ લાગે કે આગ,હવા,પાણી આ તત્વ જેમ પોતાની સહજતાથી વર્તે છે તેમ આપણે આપણા જીવને કેળવતા શીખીશું એટલે કોઈ પ્રકારની નેગેટીવ ભાવના અગમચેતી નહિ કરાવે અને સામે આવતી ક્ષણમાં ટોટલ હાજરીમાં હોઈશું તો આ સહજ જ લાગશે...

અને એક દિવસ તો બધા એ ઉપર જવાનું જ છે એ વાત ને બસ સહારો જ બનાવીને ઉપયોગ કરીશું....તો ડગલેને પગલે આ અગમચેતી જીવનમાં નડતરરૂપ બનશે...જીવનમાં આવતી ક્ષણ  વિશે કોઈ જાણી શકયું નથી તો આપણે આ અગમચેતીને દુર જ રાખીએ, હા પણ વિવેક થી નહિ કે બુદ્ધિથી ...કેમકે બુધ્ધી અને વિવેકમાં કોષો અંતર છે...

કુદરત કે તત્વ કે ભગવાન ને જોઈશું તો તે ક્ષણમાં એટલે કે વર્તમાનમાં ટોટલ હાજરી સાથે જ છે અને રહેશે આ નિયમ ને આપણે જાણી લેવો જોઈએ એટલે આપણા જીવની ઉદ્ધવ ગતિ ની શરૂઆત થાય અને તત્વ મદદરૂપ લાગે....

જે સમજમાં ના આવતું હોય તેને સમજવાની કોઈ જરૂર નથી ...ટુકમાં બસ આવતી ક્ષણમાં જીવન  જીવવાનું છે ......જય ભગવાન.


Thursday, October 29, 2015

જીવનના અનુભવ : અધીરાઈ

જીવનના અનુભવ : અધીરાઈ

અમદાવાદમાં આવેલ એલિસબ્રિજ થી આસ્ટોડિયા સુધી નો જે રસ્તો છે,જેમાં બી આરટી એસ ના માગ પર પણ બધા અવરજવર કરે છે અને ખુલ્લા રસ્તાને લીધે લોકો એ બાજુ વળે છે...પણ ટ્રાફિક પુષ્કળ હોય ત્યારે લોકો ભાન ભૂલીને વાહનો હંકારી મુકતા હોય છે અને પછી જયા ટ્રાફિક નજીકમાં ન લાગતો હોય ત્યાં જવા દેશે...પણ મે જોયું કે આપણે જે ર્સ્સ્તે જતા હોઈએ તે ર્સ્સ્તો જ પકડી રાખવાનો એવું જો લક્ષ્ય બનાવીએ તો આગળ ટ્રાફિક ઓટોમેટિક ખુલે છે અને જે લોકો આ બી આર ટી એસ ના ર્સ્સ્તે જતા હોય તેમેણે ટ્રાફિક સહન કરવો પડે છે....અને આગળ વધાતું જ નથી અને એક સમય એવો આવે કે આપણે નક્કી કરેલા રસ્તા પરની અધીરાઈ આપણને આપણા લક્ષ્યાંક સુધી પહોચવામાં અડચણરૂપ બને ..... આ તો ફક્ત ઉદાહરણરૂપે અહી પ્રસંગનું વર્ણન કર્યું ...

જયારે જયારે આપણે આપણા નક્કી કરેલા રસ્તાને ચુકી જઈએ એટલે આપણે પસ્તાવો કરવો પડે અને આ પાછી એકની એક જ ભૂલ વારવાર કરીએ અને અગાઉ અનુભવેલા અનુભવને પણ આપણે અનદેખી કરી નાખીએ પણ જો લક્ષ્યને ધ્યાનમાં રાખીને સંયમ અને સમજદારી પૂર્વક કે અધીરાઈ વગર જો આગળ વધીએ તો કુદરત કે તત્વ મદદરૂપ થતું જ હોય છે પણ આપણને આ દેખાતું નથી અને આપણને એમ જ લાગે છે કે આ મે કર્યું અને મારી બુધ્ધીથી આ થયું ....

અધીરાઈ આપણને જાણે વારસાગત ના મળી હોય તેમ વર્તન કરીએ છીએ અને પછી આપણી મરજી મુજબ ના થાય એટલે બરાપો બીજા પર ઢાલવીએ છીએ અને આપણે આપણો સત્યનો માર્ગ ભૂલી જઈએ છીએ..આ વાત જે લોકો જાગ્રતિને ર્સ્સ્તે છે તે લોકોને જ દેખાય છે બાકી આપણી આંખ આ જોઈ જ નથી શકતી...આ અધીરાઈ જ આપણા અંદર ની બધી જ ઉર્જા ખાઈ જાય છે અને આપણે જોઈશું તો જો અધીરાઈ ની ક્ષણને જો કેળવતા આવડી જાયતો સ્વર્ગ અને આનદ કે મોજ જ લાગે છે....

કુદરત કે તત્વ કે ભગવાન કયારે અધીરાઈ નહિ જ કરે....અને નિયમબધ્ધ જ હશે...
આપણે આપણા ગુરુ આગળ પણ આ શીખ મેળવી જ હોય છે અને તે પણ આપણને આ જ સમજાવે છે કે અધીરાઈ નામના ગુણ ની મહતા આપણે આપણા અનુભવેલા અનુભવથી જો આવડી જાય તો દરેક ક્ષણએ કોઈ સત્તા આપણું ધ્યાન અને સંભાળ લેતું હોય તેવું લાગશે અને હર ધડી તેની પ્રતીતિ થશે....


આપણા બધા વહેવારમાં આ અધીરાઈની સહનશક્તિ આપણી અંદર વધે...તો આપણને ખબર પડે છે અને આપણા આજુબાજુ કે વર્તુળમાં આની અસર દેખાય છે,અને દરેક સ્થિતિ કે પરીસ્થિતિ આપણા અનુરૂપ જ લાગે છે....અને આ અધીરાઈ ધીરેધીરે ખતમ થતી દેખાય છે અને સહનશીલતામાં આનું પરીવતન થતું દેખાય છે...અને એક સમય કે ક્ષણ એવી આવે કે આ સહનશીલતા આપણો સ્વભાવ બની જાય અને દરેક પ્રત્યે બસ પ્રેમ જ દેખાય  અને દરેક આપણને મદદરૂપ થતા હોય તેમ જ લાગે ...આ અનુભવ કરવા જેવો છે....જય ભગવાન.

Tuesday, October 27, 2015

જીવનના અનુભવ : સંઘર્ષ

જીવનના અનુભવ : સંઘર્ષ

રોજ સવાર પડે અને આપણને આપણા કર્મ કે કાર્ય માં સંઘર્ષ દેખાય પણ આ સંઘર્ષ ની વ્યાખ્યા આપણી જાત ને પડતો શારીરિક કે માનસિક શ્રમ કે પરિશ્રમ ને કહેતા હોઈએ છીએ પણ સંઘર્ષ ની વ્યાખ્યા અસલમાં છે જ નહિ કોઇપણ કાર્ય કે કર્મ ને સહજતાથી પુરેપુરા પ્રયત્નથી આશા કે અપેક્ષાઓ રહિત કરવામાં આવે તો કોઈ સંઘર્ષ જેવું લાગે જ નહિ.....

સંઘર્ષ આપણી નજરમાં ..
એક શ્રમજીવી પોતાના કાર્ય કે કર્મ ને સો ટકા પ્રાધાન્ય આપે અને પુરેપુરી લગન કે મહેનત સાથે કરે એટલે આપણી દ્રષ્ટિમાં તે સંઘર્ષમાંથી પસાર થાય છે તેવું લાગે....
ધન રૂપી વેતન મેળવવા માટે જે કાય કે કર્મ ને આપણે સંઘર્ષ કહીએ....
કોઈ વિકટ પરીસ્થિતિમાંથી બહાર નીકળવાને આપણે સંઘર્ષ જરૂરથી કહીશું .....
આપણી માનસિક કે શારીરિક સ્થિત મુજબ ના હોય અને કરવું પડતું કર્મ ને આપણે સંઘર્ષમાં ખપાવીશું...
આપણા સંબંધો અને સંબંધી ની નજરમાં આપણા કહેવાતા અહમને સંતોષવા આપણે કરેલી અણગમતી પરીસ્થિતિ પસાર કરી હશે તેને આપણે આ સંઘર્ષનું લેબલ ચિપકાવી દઈશું......
ખરેખર સંઘર્ષ જેવું આ દુનિયામાં છે જ નહિ પણ આપણે આપણી કહેવાતી પુરતી ના થાય એટલે તેને સંઘર્ષ જ કહીશું ...

રોજ સવારે એક ઉત્સાહ કે ઉમગ થી સૂર્ય ઉગે છે તે કદી સંઘર્ષ કરીને નથી ઉગતો.....
રોજ સવારે પશુ પક્ષી કે અન્ય જીવ પોત પોતાના રોજીંદા કાર્ય કે ક્રમ કરે તો કદી સંઘર્ષ નથી કરતો...
રોજ રોજ ફૂલ કે વ્રુક્ષ કે ઝાડ પાન સંઘર્ષ કરીને નથી વધતા ....કે ખીલતા....
કુદરતના તમામ ને જે ધ્યાનમાં રાખવામાં આવે તો કોઈ સંઘર્ષ કરતુ જ નથી બધું જ સહજ થાય છે અને થતું રહે છે કોઈની બુદ્ધિમતામાં આ બેસતું જ નથી....કેમકે ભગવાનને આપણને એક જીવ ની સહજ ગતિ કરવાની કીધી છે અને આપણે આ સહજ ને એટલું બધું અઘરું બનાવી મુકયું છે કે રોજબરોજના પ્રશંગ કે ઘટનાઓને આપણે આપણા નજીકના વર્તુળમાં સંઘર્ષ કરીને કર્યું તેવું બતાવીએ છીએ....

ગુરુ કે તત્વ કે ભગવાનને જોઈશું તો તે આ શબ્દ ને અડશે જ નહિ કેમકે સંઘર્ષ તેને કરવો પડે જેને કોઈ સિધ્ધીઓ કે વાહવાહ મેળવવી હોય,સાધુ સંત કે જે લોકો આત્મજ્ઞાન ને ઓરખવાના રસ્તે છે તેઓં ને કદી કોઈ સંઘર્ષ નડતો નથી કે લાગતો નથી કેમકે તેને સંતોષરૂપી ધન મળી ચૂકયું છે અને તે આ સંઘર્ષ જેવા નામ થી કોષો દુર હોય છે ...માતા પોતાના બાળકને જન્મ આપવા કદી સંઘર્ષ નથી કરતી તે સહજ અવસ્થા છે તેમ આ દેહને દરેક સ્થિતિ કે પરીસ્થિતિમાં રાખવાવાળો કદી કોઈને સંઘર્ષ કરાવતો જ નથી પણ આપણે આપણા સંસ્કારો કે આપણી જીવનશૈલી ની પ્રણાલી ને લીધે આ સંઘર્ષ શબ્દની માયાજાળમાં ફસાઈ જઈએ છીએ ....
રામ (કુદરત કે તત્વ કે ભગવાન) રાખે તેમ રહીએ તો દરેક સ્થિતિ કે પરીસ્થિતિ આપણા જીવને અનુકુળ લાગે છે અને તે દરેક રીતે આપણને મદદરૂપ પણ થાય છે એ આપણે અનુભવવા જેવું છે.....જય ભગવાન.





Monday, October 26, 2015

જીવનના અનુભવ : શરદપૂર્ણિમા

જીવનના અનુભવ : શરદપૂર્ણિમા

હમણાં નવરાત્રી ચાલુ હતી ત્યારે એક ગરબા ના શબ્દો ની સુંદરતા માણી હતી કે આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો, કહી દો સુરજને કે ઊગે નહિ ઠાલો ….

આજ નો દિવસ શરદપૂર્ણિમા અથવા શરદપૂનમ તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ પંચાંગમાં ૧૨ માસની ૧૨ પૂનમ હોય છે જેમાં શરદપૂર્ણિમા સર્વાધિક મહત્વપૂર્ણ છે. તેને રાસપૂર્ણિમા પણ કહે છે. ચોમાસા ની પુર્ણાહુતી અને શિયાળા ની આગમન ની ઘટના એટલે શરદઋતુ ની શરૂઆત...શરીરથી જયારે નાના હતા ત્યારે દૂધ પૌઆ  અચૂક ખાતા અને મને યાદ છે મારા મહાલક્ષ્મી બા જે ૧૦૧ વર્ષ ની આયુ ના હતા તે સમજાવતા કે આજની રાત એટલે ચંદ્રમાં સોળે કળા એ ખીલે અને તેમાંથી નીકળતા કિરણો આપણા તન મન અને આત્મા ને એક અલગ નીખર આપે...તેઓં ની આ વાત દર વર્ષએ એક વાર તો યાદ આવી જ જાય ...

ચારે તરફથી ગોળ ચંદ્રમાઁનું સૌદર્ય જોવા જેવું હોય છે. એમાંથી એટલો પ્રકાશ ફૂટે છે કે પૃથ્વી આ પ્રકાશમાં નહાતી હોય એવું લાગે છે. અમારી ચારે બાજુ અજવાળુ જ અજવાળુ લાગે છે. આ અજવાળામાં દૂર દૂર સુધીની મોટાભાગની વસ્તુઓ દેખાય છે......આ તો થઈ બાહ્ય જગત ની વાત પણ આતરિક જગત માં મારા ગુરુ પણ કહેતા કે આ પૂર્ણિમા એટલે મન અને તનમાં એક અદભુત અનુભૂતિ અનુભવવા ની ક્ષણ કેમકે પુનમ તો ઘણી બધી આવે પણ જે શરદ પૂનમ નું મહત્વ આધ્યાત્મિક જગતમાં પણ ખુબ છે. કેમકે કૃષ્ણ રૂપી ચેતન્ય ની રાસ લીલા નું છે...અને આ રાસ લીલા આપણા અંતર આત્મા ને નીરખવાની છે...

આપણા બઘા ના જીવનમાં મારું મારું એટલે કે અહંકાર ને પોસવાનું નામ એટલે તેને આપણે જીવન કહીએ છીએ પણ જીવ અને જીવનની ઓરખાણને, જે લોકો એ લક્ષ્ય બનાવિયું છે તે લોકો આ કૃષ્ણ રૂપી ચેતન્ય ની રાસ લીલા નું મહત્વ સમજે છે, ક્રૃષ્ણરૂપી તત્વ ને સમજવું અધરું છે પણ તે જે આ શરદપૂર્ણિમા અથવા શરદપૂનમ નો ઉત્સવ છે તે આપણને આ તત્વ ની રાસલીલાનું ઘેરું રહસ્ય સમજાવે છે...બે પાંચ નહિ પૂરી સોળે કળા એ ખીલે છે આપણું આ તન મન અને ચિત એટલે ચોતરફ પ્રકાશ જ પ્રકાશ એટલે કે આપણું મૂળ સ્વરૂપ દેખાય છે અને એમાં કુદરત કે તત્વ કે ભગવાન ની હાજરી દેખાય છે જે કૃષ્ણ રૂપી ચેતન્ય છે જે આ જીવ ને હિલોરે ચઢાવવવા રાસ રમાડે છે અને તેની આ લીલા ના દર્શન કરાવે છે....

કુદરત કે ભગવાન કે તત્વ ને આપણે જોઈશું તો તે હંમેશાં આપણને દિવ્યપ્રકાશ મય જ લાગશે...કેમકે તે આપણું જ પ્રતિબીંબ છે પણ આપણે તેને ઓરખતા જ નથી એટલે આ અનુભૂતિમાં આવતું જ નથી પણ જે મન કે જેને ચન્દ્ર જોડે સરખાવવા માં આવ્યું છે એટલે આ મન ને જો શાંત ચિતે રાખવામાં આવે તો આ કુદરતી સોન્દય ગણો કે તેની લીલા ગણો ઓટોમેટિક એની મેળે પ્રગટ થાય અને દર્શન કરાવે પણ જે લોકો ને આ જોતા આવડે તેના માટે આ અદભુત લાગે, બાકી શું રાત ને શું દિવસ વાળા જે લોકો છે તેમને માટે આ શરદપૂર્ણિમા અથવા શરદપૂનમ એક સામાન્ય દિવસ બની ને વીતી જાય છે ...અને પોતાના જગતમાં કે આ સંસારિક આંટીધૂટીમાં ચાલતી મુશ્કેલી કે સમસ્યાના સમાધાનમાંથી બહાર જ નથી નીકળી શકતા....અને આ દિવસ કે ક્ષણનું મહાત્મ્ય ચૂકી જાય છે.....


જીવ ની આ શક્તિ સાથેની ભેટ એટલે આ શરદપૂર્ણિમા અથવા શરદપૂનમ...જય ભગવાન.

Saturday, October 24, 2015

જીવનના અનુભવ : નિરર્થક કે વ્યર્થ

જીવનના અનુભવ : નિરર્થક કે વ્યર્થ

જીવનમાં આપણા કહેવાતા સંબંધો કે કાર્યો કરતા હતા ત્યારે એક જીવનની દોડ કે રેસ લગાવી ના હોય તેમ દોડતા હતા,અને એ વખતે એવું લાગે કે મારા જેવો કોઈ સમર્થ કે હોશિયાર નથી,પણ જયારે થાકીને કે સમજીને કે બેઠા અને જીવનની આ ગતિ ને શાંત ચિતે એકાગ્રતાપૂર્વક કે સાચામાપદંડ થી જોઈ ત્યારે એક સમજણ કે વિવેક દેખાયો કે આટલા વરસો એક નિરર્થક કે વ્યર્થ કે આધળી દોડ પાછળ દોડિયા અને જીવ ની ગતિ કે જીવનનું સાચું મુલ્ય ના આંકી શક્યા અને જીવનનું અત્યાર સુધી નું સરવૈયું જોયું તો આ દોડ કે રેસ નો કોઈ અર્થ જ ના મળ્યો ...

સમજણ ત્યારે જ ખુલે જયારે જીવનમાં એક શાંતિ નો અનુભવ થાય.....
વિવેક ત્યારે જ ખુલે જયારે આપણી બુદ્ધિમતા શાંત થાય .....
ધ્યાન ત્યારે જ લાગે જયારે એકાગ્રતા વાળું મન અને ચિત દેખાય....
શૂન્યતા ની ઝલક પણ ત્યારે જ મળે જયારે આ સમજણ,વિવેક,અને ધ્યાન નો સંગમ થાય અને દિવ્યતા ના અનુભવની શરૂઆત થાય ......

જયારે જયારે આપણા કામધંધા કે રોજબરોજની પ્રવુતિમાંથી સમય મળે આપણા ચિતને આપણી અંદર પરોવી દેવું એટલે કે કબીરજી જેવું કરવું,એ પોતે વણાટકામ કરતા પણ જયારે જયારે મન બહાર ભટકે એટલે તે અંદર ઉતરી જતા અને સાચા અર્થમાં શાંતિ કે મોજ નો અનુભવ કરતા આપણે પણ આ કરીએ તો આપણી અંદર કામ,ક્રોધ,મોહ,મત્સ્ય કે અન્ય વિકારો ઉદભવતા જ નથી અને આપણી આંતરિક ઉર્જા કે શક્તિ માં એક ગુણાકાર થી વધારો થતો જોવા મળે છે અને એ આપણા હાવભાવ કે આપણા વર્તુળમાં આ પ્રગટ થાય છે અને એક આભામંડળ થી સકારાત્મકતા ઉદભવે છે જે સાચા અર્થમાં આ જગતમાં શાંતિ અને સમૃદ્ધિ નો પ્રસાર કરે છે....

જયારે જયારે એવું લાગે કે જિંદગી પરીક્ષા કરે છે ત્યારે આપણને જીવન નિરર્થક કે વ્યર્થ લાગે છે પણ  ,ત્યારે આપણે આ પરીક્ષામાં આપણો પ્રયત્ન સો ટકા કરવો જોઈએ અને આશા કે અપેક્ષાઓ રહિત હોવો જોઈએ કેમકે જે લોકો જીવનને પરીક્ષા ના અર્થમાં લે છે તેનો દ્રષ્ટીકોણ પરીક્ષા લક્ષી બનીને સીમિત થઈ જાય છે પણ તેને સામાન્ય કે હળવાશથી લઈએ તો આપણે પુરેપુરી સક્ષમતાથી તે આનદદાયક બનીને સામે આવે છે...

નિરર્થક કે વ્યર્થ ની વાતો પણ આપણને નકારાત્મક વલણ અપનાવવા પ્રેરે છે માટે નિરર્થક કે વ્યર્થ વાતોને જાકારો આપી દઈએ તો તે આપણી આજુબાજુ ફરતી પણ નથી અને આપણા આંતિરક વિકાસમાં સહભાગી બને છે...

કુદરત કે ગુરુ કે તત્વ ને જોઈશું તો તે કદી નિરર્થક કે વ્યર્થ ની ચર્ચા કે વાતો કે અન્યમાં નહિ પડે, અને જવાબ પણ નહિ આપે અથવા ટુકાણમાં આપી દેશે અથવા મોન ધારણ કરી દેશે....આપણે આ નિયમ મુજબ એક વાર ચાલી જોઈએ તો સો પ્રથમ આપણને પોતાને એક ભાસ થશે કે નકામું કે નિરર્થક કે વ્યર્થ એ જ આપણા જીવનની ગતિ અટકાવી રાખી છે,બાકી કુદરત કે તત્વ હર ક્ષણ મદદરૂપ થવા તેયાર જ હોય છે...જય ભગવાન.



Friday, October 23, 2015

જીવનના અનુભવ : તાલ કે લય

જીવનના અનુભવ : તાલ કે લય

ગઈકાલે ગરબે રમતા ખેલૈયાઓની રંગત જોઈ અને ગરબે ઘૂમતા અને તાલ કે લય બધ્ધ રીતે રમતા લોકો ને જોયા અને એક આનદ આવીયો,સ્ટેજ પરથી જે રીધમ કે ધૂન ગાય અને તે લય બધ્ધ કે તાલ બધ્ધ રીતે તેનું ગરબાના સ્ટેપમાં રૂપાંતર કરવું અને એ પણ એક ઉમગ અને ઉત્સાહની લાગણીમાં.... કેવી મઝા આવે, એ તો જે લોકો આ તાલ પ્રમાણે ગાતા હોય કે રમતા હોય તેને જ ખબર પડે....

જીવન પણ આવું જ છે જે લોકો આ તાલ કે લયબધ્ધતા થી ચાલે છે તે લોકો આ જીવનની સાચી મઝા માણી શકે છે બાકી આ ભવ નો ફેરો ફોગટ જાય છે ....

તાલ કે લય ની વ્યાખ્યા દરેકની અલગ અલગ હોય છે..
કોઈ પોતાનાથી થતા રીધમ કે ધૂન મુજબ રમે છે કે જીવે છે ....તો
કોઈ બીજાના અનુકરણમાં મશગુલ થઈને રમે છે કે જીવે છે......તો
કોઈ બસ ડાફોળીયા કે આજુબાજુ ની ચહેલપહેલમાં રચીયો પચીયો રહે છે...તો
કોઈ તાલ કે લયબદ્ધતા ઢોંગ સ્વરૂપે કરે છે અને કહેવાતું રમે છે કે જીવે છે...
જીવન તો આપણા સ્વભાવ કે સંસ્કાર પ્રમાણે વર્તે છે તે પ્રમાણે જ માનીએ છીએ કે આ લયમાં છે...

પણ જે લોકો ને સાચી ધૂન પકડાઈ ગઈ છે તે બીજા કોઈની પરવા કરિયા વગર બિન્દાસ્ત રીતે જીવન સંગીત ની ધૂન કે રીધમ અનુસાર સ્ટેપ બાય સ્ટેપ રમે છે કે જીવે છે અને બીજાના અનુકરણ વગર પોતાના આંતરિક ભાવપૂર્વક અને અનુભવપૂર્વક સાચી ખેલદિલીથી આ જીવનરૂપી સંગીત નો તાલ કે લય માણે છે અને બીજી ક્ષણે આવતા ફેરફારોને આધીન સંયમ અને સમાનતા કે હષોલાસ સાથે દરેક સ્ટેપની મઝા માણતા માણતા જીવનની સાચી પળો વિતાવે છે અને અંદર આવતા આનદ ની અનુભૂતિ કરે છે....

સાચી રીતે જોઈશું તો આખો સંસાર એક તાલ કે લયબદ્ધતા મુજબ જ ચાલી રહ્યો છે અને દરેક જીવ તેની સાચી ખેલદિલીની ભાવનાથી રમે કે જીવે તો કુદરત કે ભગવાન એ મુજબ જ સંગીત ની ધૂન રેલાવે છે અને રમાડે છે કે જીવાડે છે

સૂર્ય ચંદ્ર કે તારા પવન કે ફળ ફૂલ વ્રુક્ષ કે પશુ પંખી આ વાતાવરણ રૂપી સંગીતની ધુનની તાલ કે લય મુજબ જ ચાલે છે અને ફળેફૂલે છે અને ઉધ્વ્વ ગતિથી આગળ વધે છે,માણસ જો આ જીવનમાં સાચા અર્થમાં આ લય કે તાલ ને સમજી લે તો હર ક્ષણ એ કુદરત કે તત્વ કે ગુરુ સાથે જ છે તેવો આભાસ કે અનુભૂતિ અનુભવશે,ધ્યાન થી જો જોઈશું તો દરેક સ્થિતિ કે પરીસ્થિતિ આપણા હકારાત્મક વલણ ને જ અધીન છે બાકી આ દુનિયામાં કેટલાય આવીયા અને ગયા તત્વ તો એક જ સ્વરૂપ કે લયબદ્ધતાથી ચાલે છે અને ચાલતું રહશે આપણે તેની પરખ શક્તિ કે અનુભવ શક્તિ ને સાચી ઓરખ આપવાની છે અને આ જીવ ની ઓરખ મેળવવાની છે ....જય ભગવાન.

Tuesday, October 20, 2015

જીવનના અનુભવ : ધીરજ

જીવનના અનુભવ : ધીરજ

આપણે બધા એ આ દ્રશ્ય જોયું જ હશે જ કે એક ખેડૂત ખેતરમાં બીજ વાવી આવે અને પછી તરત જ જોવા જાય કે ઊગ્યું કે નહિ તો એને નિરાશા જ મળે છે પણ જે જમીનમાં જે બીજ નાખ્યું છે તે બહાર નીકળેલું નથી દેખાયું તોપણ તે નકામું નથી ગયું. એની સૂક્ષ્મ પ્રતિક્રિયા ભૂગર્ભમાં કે આંતરિક અદ્રશ્ય રીતે ચાલ્યા જ કરે છે, એ સંબંધી એને વિશે કશી શંકાકુશંકા ન હોવી જોઈએ કે ન કરવી જોઈએ ,એને બદલે કશું જ નથી થતું એવી નિરાશાત્મક વૃત્તિ કેળવીને વિચારો ના વમળમાં ફસાઈને એ બીજને એ જમીનમાંથી ખોદી કાઢે તો  એના હાથમાં કશું જ ન આવે. બીજ પોતાનું કાર્ય કરીને અંકુરમાં પરિણામે એને માટે ખેડૂતે જરૂરી ધીરજ રાખવી જ જોઈએ......

જિંદગીનો ક્રમ એવો છે કે એમાં ચડાવ-ઉતાર તો આવ્યા જ કરવાના. સફળતા મળે ત્યારે નમ્રતા દાખવીએ અને નિષ્ફળ જઈએ ત્યારે ધીરજપૂર્વક એમાંથી બહાર આવવાના સભાન પ્રયત્નો કરીએ એમા જ આપણા મહામુલા જીવનની સાર્થકતા સમાયેલી છે. ધીરજવંત બુદ્ધિવાળો ત્યારે જ જણાય કે જ્યારે તે સર્વ લોકોના સ્વભાવ અને રીતભાતને સમજી જાય. તે બીજાના અવગુણ પોતાનામાં પેંસવા ન દે અને તે કદી પણ ક્રોધ કરી પોતાનું મન બગાડે નહીં. જોવા જઈશું તો આપણી ઉમરનો વધુ પડતો ભાગ તો ચાલી ગયો છે, હવે થોડોક જ બાકી રહ્યો છે તેવું સમજીને મન અને અંતરઆત્મા ને કહીએ કે જે તે સમયે તું ચિંતા કરીશ નહિ અને આપણા મનને વ્યાકુળ પણ કરીશું નહીં અને ધીરજ ધારણ કરીશ તો તે જ તારો મિત્ર થઈ તને કામ આવશે. નહીંતર જીવનમાં કરેલી બધી મહેનત એળે જશે.... ભગવાન દુનિયાને જેમ ચલાવે છે, તેની સમજ પડવી મુશ્કેલ છે. પણ આપણે આ સત્યના રસ્તે ચાલવાની આપેલી બુદ્ધિના અણસારે ધીરે ધીરે પગ મુકી ચાલશું , તો તે  આપણને આપણા મુકામે જરૂર પહોચાડી દેશે....

માણસ જો આ ધીરજ રાખે અથવા  ધીરજથી કાર્ય કરવાની વૃતિ ધરાવે તો તે બધાં કામોમાં સફળ થશે જ,. જેમ આંબા ના ઝાડને પાણી પાઈ ધીરજ રાખીવી કે રાહ જોવી પડે છે અને એ રાહ બાર વર્ષ ની હોય છે એટલે તો આપણા ગુજરાતીમાં કહેવત પડી છે કે ઉતાવળે આંબા ના પાકે એટલે જેમ જેમ ઋતુ ચક્ર બદલાય તેમ તેમ કુદરત એની મેળે ઉછેર કરે અને એક સમય એવો આવે કે એ વ્રુક્ષ કે ઝાડ ને ફળ આવે.

કબીરજી ના એક દોહામાં એવું કહે છે કે મનુષ્ય જો હાથીની જેમ ધીરજ ધારણ કરે તો તેને સવામણ જેટલું ખાવાનું મળે. એટલે તેના ભાગ્ય અનુસાર જે મળવાનું છે, તે મળી રહેશે. પણ અધીરો થશે તો કુતરાની જેમ એક ટુકડા ખાતર ઘરે ઘરે ભટકવું પડશે. અર્થાત્ અધીરાઈ કરી કર્મોનું પોટલું બનાવી તેને ભોગવવા ભવોભવ ભટકવું પડશે.


કુદરત કે તત્વ કે ગુરુ ને અનુસરીશું તો તે કાયમ એક વાત પર જ ધ્યાન આપે છે પ્રતિક્ષા અને તિતિક્ષા એટલે કે રાહ જોવી અને ધીરજ ધરવી છતાં આપણે આપણી આ સોનાની જાળ ને પાણીમાં નાખી દઈએ છીએ અને પછી કહીએ છીએ હે ભગવાન બહાર કાઢ...સમય કે સમય જેવું કશું જ નથી પણ આપણે આ ઉભા કરેલા કારણો અને સંસારિક સમસ્યાઓ ને લીધે આ ધૂંધળું કે અસ્પષ્ટ દેખાય છે પણ આપણે જો  લક્ષ્ય ને ધ્યાનમાં રાખીએ તો ધીરજ જ કામ લાગે છે અને એ જ ઉધ્વ્વગતિ કરાવે છે....જય ભગવાન.