Friday, October 30, 2015

જીવનના અનુભવ : અગમચેતી

જીવનના અનુભવ : અગમચેતી

રસ્તા પર કે જીવનના પ્રવાહમાં એક ખાડો દેખાય અને આપણે આપણું ટોટલ ધ્યાન હવે એકત્રીત કરી અગમચેતીરૂપે સાવધાન થઈ જઈશું અને આપણી ગતિને ધીમી કે સાવચેતી ભરી કરી નાખીશું...આ એક કળા કહો કે માણસની બુદ્ધિમતા કહો, માણસ આ અગમચેતી ના પગલા ભરવાની શરૂઆત કરી દેશે.....

આપણા જીવનમાં બેદરકારી નહિ કરવાની ... પણ આપણે આ અગમચેતીને આપણા જીવન કે વહેવારમાં કેવી રીતે લઈએ છીએ તે વિવેક કેળવવો પડે ...
જેમકે....
કોઈ એક સમાચાર મળે કે આ સ્થળ કે આ જગ્યાએ કુદરતી આફત આવી છે....એટલે આપણે પણ આપણામાં અગમચેતી સમજીને વર્તન કરીશું ....
કોઈ ક્રિયા કે પ્રક્રિયા કરતા હાની કે નુકશાન થાય છે, તો આપણે પણ અગમચેતી સ્વરૂપે પગલા ભરીશું...
કોઈ જીવ કોઈ બીમારીથી પીડાતો હોય અને આ બીમારી આપણી અંદરના આવે તે માટે આપણે થોડા ફેરફાર કરીશું ....
કોઈ માણસ ની વાણી વર્તન કે વહેવાર બરાબર આપણી મરજી મુજબ નહિ હોય તો આપણે આ અગમચેતી મુજબ સમજીને સામે વાણી વર્તન કે વહેવાર કરીશું.....
આ તો થઈ એક સામાન્ય વાત કે જે માણસ જાતે જ શીખી જાય છે  અને પોતાની સમજ અને બુદ્ધિમતા અનુસાર રોજબરોજના ઘટનાક્રમ માં થી પસાર થાય છે.....

અગમચેતીની જો વ્યાખ્યા કરવામાં આવે તો બીજી ક્ષણએ શું થશે તે આપણી સમજશક્તિથી સમજીને કે અનુભવેલા અનુભવથી કરવામાં આવતી સાવધાની ......

બીજા જીવ કે માણસ ના અંદર થતી દખલગીરીને આપણે આપણા મુજબ લઈએ એટલે આપણને ખબર હોય કે ના હોય છતા આપણે ના કરવાના કામ કે પ્રયોગો કરીએ અને આપણા સહજ કર્મ કે સહજ જીવન પ્રત્યે સભાનતા ગુમાવી નાખીએ પછી આ અગમચેતી નામના શબ્દ કે અનુભૂતિની જરૂર પડે અને પછી આપણે આપણા જીવ પ્રત્યે સાવધાન થઈએ ...પણ જો સામે આવતા દરેકને એટલે કે વાણી,વર્તન,વહેવાર કે સહજતાથી અનુભવેલા કે વિવેકપુણ થી જો કરીએ તો આ અગમચેતી જેવું કઈ લાગતું જ નથી......

રામ રાખે તેને કોણ મારે આ વાક્યની મહતા આપણે ખાલી બસ ઉક્તિ સ્વરૂપે જ લઈએ છીએ ...પણ જો દરેક પ્રત્યે પ્રેમ આદર અને વિવેક જાગે તો આ અગમચેતી શેના માટેની.....આ આપણી બુદ્ધિમાં નહિ જ ઉતરે

આગ,પાણી, અને હવા આ માણસના જીવનના મહત્વના અંગ છે આપણે કોઈ દિવસ આગમાં જાણતા કોઇપણ અંગ નહિ નાખીએ તો કોઈ અગમચેતી કરવાની જરૂર ખરી...
પાણીની મર્યાદા આપણા જીવને અનુરૂપ હશે તેમ લઈશું તો...
હવાને એટલે કે શ્વાસમાં પણ ધ્યાન રાખીશું આમાં કોઈ અગમચેતી જેવું નહિ લાગે કે આગ,હવા,પાણી આ તત્વ જેમ પોતાની સહજતાથી વર્તે છે તેમ આપણે આપણા જીવને કેળવતા શીખીશું એટલે કોઈ પ્રકારની નેગેટીવ ભાવના અગમચેતી નહિ કરાવે અને સામે આવતી ક્ષણમાં ટોટલ હાજરીમાં હોઈશું તો આ સહજ જ લાગશે...

અને એક દિવસ તો બધા એ ઉપર જવાનું જ છે એ વાત ને બસ સહારો જ બનાવીને ઉપયોગ કરીશું....તો ડગલેને પગલે આ અગમચેતી જીવનમાં નડતરરૂપ બનશે...જીવનમાં આવતી ક્ષણ  વિશે કોઈ જાણી શકયું નથી તો આપણે આ અગમચેતીને દુર જ રાખીએ, હા પણ વિવેક થી નહિ કે બુદ્ધિથી ...કેમકે બુધ્ધી અને વિવેકમાં કોષો અંતર છે...

કુદરત કે તત્વ કે ભગવાન ને જોઈશું તો તે ક્ષણમાં એટલે કે વર્તમાનમાં ટોટલ હાજરી સાથે જ છે અને રહેશે આ નિયમ ને આપણે જાણી લેવો જોઈએ એટલે આપણા જીવની ઉદ્ધવ ગતિ ની શરૂઆત થાય અને તત્વ મદદરૂપ લાગે....

જે સમજમાં ના આવતું હોય તેને સમજવાની કોઈ જરૂર નથી ...ટુકમાં બસ આવતી ક્ષણમાં જીવન  જીવવાનું છે ......જય ભગવાન.


No comments:

Post a Comment