Saturday, October 24, 2015

જીવનના અનુભવ : નિરર્થક કે વ્યર્થ

જીવનના અનુભવ : નિરર્થક કે વ્યર્થ

જીવનમાં આપણા કહેવાતા સંબંધો કે કાર્યો કરતા હતા ત્યારે એક જીવનની દોડ કે રેસ લગાવી ના હોય તેમ દોડતા હતા,અને એ વખતે એવું લાગે કે મારા જેવો કોઈ સમર્થ કે હોશિયાર નથી,પણ જયારે થાકીને કે સમજીને કે બેઠા અને જીવનની આ ગતિ ને શાંત ચિતે એકાગ્રતાપૂર્વક કે સાચામાપદંડ થી જોઈ ત્યારે એક સમજણ કે વિવેક દેખાયો કે આટલા વરસો એક નિરર્થક કે વ્યર્થ કે આધળી દોડ પાછળ દોડિયા અને જીવ ની ગતિ કે જીવનનું સાચું મુલ્ય ના આંકી શક્યા અને જીવનનું અત્યાર સુધી નું સરવૈયું જોયું તો આ દોડ કે રેસ નો કોઈ અર્થ જ ના મળ્યો ...

સમજણ ત્યારે જ ખુલે જયારે જીવનમાં એક શાંતિ નો અનુભવ થાય.....
વિવેક ત્યારે જ ખુલે જયારે આપણી બુદ્ધિમતા શાંત થાય .....
ધ્યાન ત્યારે જ લાગે જયારે એકાગ્રતા વાળું મન અને ચિત દેખાય....
શૂન્યતા ની ઝલક પણ ત્યારે જ મળે જયારે આ સમજણ,વિવેક,અને ધ્યાન નો સંગમ થાય અને દિવ્યતા ના અનુભવની શરૂઆત થાય ......

જયારે જયારે આપણા કામધંધા કે રોજબરોજની પ્રવુતિમાંથી સમય મળે આપણા ચિતને આપણી અંદર પરોવી દેવું એટલે કે કબીરજી જેવું કરવું,એ પોતે વણાટકામ કરતા પણ જયારે જયારે મન બહાર ભટકે એટલે તે અંદર ઉતરી જતા અને સાચા અર્થમાં શાંતિ કે મોજ નો અનુભવ કરતા આપણે પણ આ કરીએ તો આપણી અંદર કામ,ક્રોધ,મોહ,મત્સ્ય કે અન્ય વિકારો ઉદભવતા જ નથી અને આપણી આંતરિક ઉર્જા કે શક્તિ માં એક ગુણાકાર થી વધારો થતો જોવા મળે છે અને એ આપણા હાવભાવ કે આપણા વર્તુળમાં આ પ્રગટ થાય છે અને એક આભામંડળ થી સકારાત્મકતા ઉદભવે છે જે સાચા અર્થમાં આ જગતમાં શાંતિ અને સમૃદ્ધિ નો પ્રસાર કરે છે....

જયારે જયારે એવું લાગે કે જિંદગી પરીક્ષા કરે છે ત્યારે આપણને જીવન નિરર્થક કે વ્યર્થ લાગે છે પણ  ,ત્યારે આપણે આ પરીક્ષામાં આપણો પ્રયત્ન સો ટકા કરવો જોઈએ અને આશા કે અપેક્ષાઓ રહિત હોવો જોઈએ કેમકે જે લોકો જીવનને પરીક્ષા ના અર્થમાં લે છે તેનો દ્રષ્ટીકોણ પરીક્ષા લક્ષી બનીને સીમિત થઈ જાય છે પણ તેને સામાન્ય કે હળવાશથી લઈએ તો આપણે પુરેપુરી સક્ષમતાથી તે આનદદાયક બનીને સામે આવે છે...

નિરર્થક કે વ્યર્થ ની વાતો પણ આપણને નકારાત્મક વલણ અપનાવવા પ્રેરે છે માટે નિરર્થક કે વ્યર્થ વાતોને જાકારો આપી દઈએ તો તે આપણી આજુબાજુ ફરતી પણ નથી અને આપણા આંતિરક વિકાસમાં સહભાગી બને છે...

કુદરત કે ગુરુ કે તત્વ ને જોઈશું તો તે કદી નિરર્થક કે વ્યર્થ ની ચર્ચા કે વાતો કે અન્યમાં નહિ પડે, અને જવાબ પણ નહિ આપે અથવા ટુકાણમાં આપી દેશે અથવા મોન ધારણ કરી દેશે....આપણે આ નિયમ મુજબ એક વાર ચાલી જોઈએ તો સો પ્રથમ આપણને પોતાને એક ભાસ થશે કે નકામું કે નિરર્થક કે વ્યર્થ એ જ આપણા જીવનની ગતિ અટકાવી રાખી છે,બાકી કુદરત કે તત્વ હર ક્ષણ મદદરૂપ થવા તેયાર જ હોય છે...જય ભગવાન.



No comments:

Post a Comment