Thursday, October 29, 2015

જીવનના અનુભવ : અધીરાઈ

જીવનના અનુભવ : અધીરાઈ

અમદાવાદમાં આવેલ એલિસબ્રિજ થી આસ્ટોડિયા સુધી નો જે રસ્તો છે,જેમાં બી આરટી એસ ના માગ પર પણ બધા અવરજવર કરે છે અને ખુલ્લા રસ્તાને લીધે લોકો એ બાજુ વળે છે...પણ ટ્રાફિક પુષ્કળ હોય ત્યારે લોકો ભાન ભૂલીને વાહનો હંકારી મુકતા હોય છે અને પછી જયા ટ્રાફિક નજીકમાં ન લાગતો હોય ત્યાં જવા દેશે...પણ મે જોયું કે આપણે જે ર્સ્સ્તે જતા હોઈએ તે ર્સ્સ્તો જ પકડી રાખવાનો એવું જો લક્ષ્ય બનાવીએ તો આગળ ટ્રાફિક ઓટોમેટિક ખુલે છે અને જે લોકો આ બી આર ટી એસ ના ર્સ્સ્તે જતા હોય તેમેણે ટ્રાફિક સહન કરવો પડે છે....અને આગળ વધાતું જ નથી અને એક સમય એવો આવે કે આપણે નક્કી કરેલા રસ્તા પરની અધીરાઈ આપણને આપણા લક્ષ્યાંક સુધી પહોચવામાં અડચણરૂપ બને ..... આ તો ફક્ત ઉદાહરણરૂપે અહી પ્રસંગનું વર્ણન કર્યું ...

જયારે જયારે આપણે આપણા નક્કી કરેલા રસ્તાને ચુકી જઈએ એટલે આપણે પસ્તાવો કરવો પડે અને આ પાછી એકની એક જ ભૂલ વારવાર કરીએ અને અગાઉ અનુભવેલા અનુભવને પણ આપણે અનદેખી કરી નાખીએ પણ જો લક્ષ્યને ધ્યાનમાં રાખીને સંયમ અને સમજદારી પૂર્વક કે અધીરાઈ વગર જો આગળ વધીએ તો કુદરત કે તત્વ મદદરૂપ થતું જ હોય છે પણ આપણને આ દેખાતું નથી અને આપણને એમ જ લાગે છે કે આ મે કર્યું અને મારી બુધ્ધીથી આ થયું ....

અધીરાઈ આપણને જાણે વારસાગત ના મળી હોય તેમ વર્તન કરીએ છીએ અને પછી આપણી મરજી મુજબ ના થાય એટલે બરાપો બીજા પર ઢાલવીએ છીએ અને આપણે આપણો સત્યનો માર્ગ ભૂલી જઈએ છીએ..આ વાત જે લોકો જાગ્રતિને ર્સ્સ્તે છે તે લોકોને જ દેખાય છે બાકી આપણી આંખ આ જોઈ જ નથી શકતી...આ અધીરાઈ જ આપણા અંદર ની બધી જ ઉર્જા ખાઈ જાય છે અને આપણે જોઈશું તો જો અધીરાઈ ની ક્ષણને જો કેળવતા આવડી જાયતો સ્વર્ગ અને આનદ કે મોજ જ લાગે છે....

કુદરત કે તત્વ કે ભગવાન કયારે અધીરાઈ નહિ જ કરે....અને નિયમબધ્ધ જ હશે...
આપણે આપણા ગુરુ આગળ પણ આ શીખ મેળવી જ હોય છે અને તે પણ આપણને આ જ સમજાવે છે કે અધીરાઈ નામના ગુણ ની મહતા આપણે આપણા અનુભવેલા અનુભવથી જો આવડી જાય તો દરેક ક્ષણએ કોઈ સત્તા આપણું ધ્યાન અને સંભાળ લેતું હોય તેવું લાગશે અને હર ધડી તેની પ્રતીતિ થશે....


આપણા બધા વહેવારમાં આ અધીરાઈની સહનશક્તિ આપણી અંદર વધે...તો આપણને ખબર પડે છે અને આપણા આજુબાજુ કે વર્તુળમાં આની અસર દેખાય છે,અને દરેક સ્થિતિ કે પરીસ્થિતિ આપણા અનુરૂપ જ લાગે છે....અને આ અધીરાઈ ધીરેધીરે ખતમ થતી દેખાય છે અને સહનશીલતામાં આનું પરીવતન થતું દેખાય છે...અને એક સમય કે ક્ષણ એવી આવે કે આ સહનશીલતા આપણો સ્વભાવ બની જાય અને દરેક પ્રત્યે બસ પ્રેમ જ દેખાય  અને દરેક આપણને મદદરૂપ થતા હોય તેમ જ લાગે ...આ અનુભવ કરવા જેવો છે....જય ભગવાન.

No comments:

Post a Comment