Tuesday, October 13, 2015

જીવનના અનુભવ : શક્તિ

જીવનના અનુભવ : શક્તિ

શક્તિ એટલે આપણા અંદર રહેલી ઉર્જાનો ભંડાર કે જે શારીરિક કે માનસીક કે ભાવવીક હોય છે, આજથી શરૂ થી આધશક્તિ નો મહોત્સવ એટલે નવરાત્રી,આપણે આ શક્તિ ના પર્વ ને ઉત્સવ તરીકે ઉજવીએ છીએ પણ ખરેખર આ આપણી અંદર રહેલી આધ્યાત્મિક ઉર્જા રૂપી સ્તોત્ર ની જે અપાર શક્તિ છે તેનો પ્રાગટ્ય કરવાનો મહોત્સવ છે.

શક્તિ આપણે જાણીએ છીએ કે મારા માં હજી શક્તિ છે, આ એ શક્તિની વાત નથી એ તો શારીરિક શક્તિ છે પણ જે શક્તિથી આખો માહોલ કે વાતાવરણ ઉર્જા થી ભરાઈ જાય અને એક અનરો નજરો જોવા મળે અને આ આપર શક્તિથી અંદર રહેલું મન અને તન સિવાય ચિત પણ થનગની ઉઠે એટલે નવરાત્રી.......

આપણા ગુજરાત ની આ અનોખી પરમ્પરા કે સંસ્કાર કહો આ આ નવરાત્રીની રાહ કોઇપણ ઉમરના લોકો જોતા હોય છે...પણ આપણી અંદર જે ચિત ની પ્રસન્નતા પર ધ્યાન આપીએ તો એક અલગ પ્રકારની લાગણીઓના ઉભરા આવશે અને નાનું બાળક હશે તો તે પોતાના જ અલગ અંદાજ મુજબ હરખાશે અને રમશે અને યુવાન હશે તો તે તન કે શરીર પર ધ્યાન આપશે અને દેખાદેખીમાં કે કહેવાતી મોજ મજામાં ખેલશે અને રમશે અને વૃદ્ધ કે ઉમરલાયક લોકો પોતાના અનુભવ મુજબ ઉપવાસ કે એકટાણુ કરી આધશક્તિની ઉપાસના કરશે પણ જે લોકો આધ્યાત્મિક સાધના તરફ આગળ વધેલા છે તે લોકો પોતાના મન ને શાંત કરવાની અને બને તેટલુ ઓછુ બોલવાની અને વાણી વિલાસ પર આ નવ દિવસ પૂણવિરામ મૂકી અંદર ઉઠી રહેલા ભાવ જગતમાં મુક્ત વિહારશે અને આ શક્તિની આનદ કે મોજ માણસે

દેખાદેખી કરવી અને આ નવરાત્રી ઉજવવી એ તો આપણે આદત મુજબ વાકેફ છે પણ આ નવરાત્રીમાં બીજું પણ એક કામ કરીએ કે બને તેટલુ  આપણી આંતરિક ઉર્જા કહીએ કે શક્તિ કહીએ તેને વ્યય થતી અટકાવીએ ....

કુદરત કે ગુરુ કે તત્વ ની દ્રષ્ટી થી જો આ ચાલી રહેલા વર્તમાન કાળ પર નજર રાખીશું તો આ શક્તિ દરેક જીવમાં દેખાશે અને સમજાશે, શિવ ને અને શક્તિને જે લોકો ખાલી રંગરૂપ કે આકૃતિથી જ જાણે છે પણ જે લોકોને આની એક ઝલક પણ મળી હશે કે જોઈ હશે તે લોકોને આ શક્તિનો પરિચય થયો હશે  કેમકે આ સમજવાની કે સમજાવવાની જરૂર નથી પણ અનુભવવાની છે એટલે આ નવરાત્રીએ આપણે આપણા અંદર ઉઠતા ભાવને જોવાની છે કે શક્તિના આ પહેલા નોરતે શેલપુત્રી સ્વરૂપે આવે છે તેની ઓરખવાની જરૂર છે.....જય ભગવાન.

No comments:

Post a Comment