Sunday, October 4, 2015

જીવનના અનુભવ : લખાણ

જીવનના અનુભવ : લખાણ

લખાણ આપણે જો સારું જોઈશું તો તરત કોપી કરીને આગળ મોકલીશું કે વાંચીને ભૂલી જઈશું પણ આ લખાણ ને આપણે આચરણ ના અનુભવમાં નહિ ઉતારતા ફક્ત વાંચીને એક કુત્રિમ આનદપ્રમોદ કરીએ છીએ.કોઈ માણસ દિલ થી લખે તો તેને સારો લેખક ગણાવીશું,કોઈ માણસ દિમાગથી લખશે તો તેને સારો માણસ સમજીશું પણ આપણે આપણા રોજીંદા જીવનમાં અનુભવેલ હોય તેવા લખાણને કોમેન્ટ કરીને કે લાઈક કરીને મન મનાવીશું...કે આગળ ફોરવર્ડ કરીશું

આખા દિવસમાં  એક ...બસ એક જ ...લખાણ ગણો કે સારા વિચારોના પ્રેરણા દાયક કહો તેવા એક જ ને આચરણમાં મુકીશું તો સારા નરસા અનુભવ મળશે અને જીવનની સાચી કીમત સમજાશે...કહેવા ખાતર આપણને લાગશે તો આપણે આ રોજ કરીએ જ છીએ પણ ઓબ્ઝરવેશન કરીશું તો એક પણ સારા લખાણ રૂપી શબ્દને આચરણમાં નહીવત જ મુકીએ છીએ અને કેવળ શબ્દોની રમત કરીએ છીએ.....

કોઈ લખાણ હદયસ્પર્શી હોય તો ભાવુક થઈ જવાય છે અને આંખમાંથી આંસુ નીકળી જાય છે કેમ કે તે આપણા મૂળ સ્વરૂપ ને સ્પર્શ કરી ગયું અને એક અલોકિક ક્ષણ નો આનદ કે મોજ આપી ગયું આ જયારે થાય છે ત્યારે આપણે આપણી જાત ને સદભાગ્ય ગણવું કેમકે દિમાગ વાળા કદી દિલવાળા ને સમજી શકતા જ નથી ....અનુભૂતિ જયારે જયારે કોઈ લખાણ ની થાય ત્યારે તેની જોડે આપણો ભાવ જોડાયેલો હોય છે અને તે સાચો ભાવ જ આપણી ઓરખ છે કેમકે અત્યારના વખતમાં બહુ જ ઓછા લોકો આ સાચા ભાવની પ્રતીતિ કરી શકે છે કેમકે આપણે આપણને શું મળ્યું તે વિચારીને જ લખીએ છીએ કે લખાણને વાંચીએ છીએ કે કોઈ લખાણને આગળ ફોરવર્ડ કરીએ છીએ.

શબ્દો ની રમત તો પુરાણ કાળથી ચાલતી આવી છે અને ચાલતી રહશે પણ પોતાના મૂળ સ્વરૂપને કેટલા ઓરખી શકે છે તે આપણા રોજીંદા અનુભવ રૂપી વાણી વર્તન અને વહેવારમાં કે લખાણમાં જોવા મળે છે એક દિવસ કોઈ લખાણ લખી જોવો સાચા હદયથી કોઇપણ ....અને અંદર નીકળતો ભાવ ને જોવો એક આનદ થશે....રોજ સવારે હું આ અનુભવ લખું છુ અને એક મોજ અવતરે છે અને અનુભવ ની પ્રતીતિ થાય છે અને મારી ભૂલ થતી હોય તો સુધારવાની ખબર પડે છે....રોજિંદુ જીવન સહજ અને સરળ છે પણ આપણે તેને આપણી શરતોનેને આધીન બનાવી દીધું છે અને પછી માથાફોડી એ છીએ કે ભગવાન તું ક્યાં છે...


કુદરત કે ભગવાન કે તત્વ એ કરોડો જીવમાંથી આપણને માનવ શરીર આપીયુ અને માણસ ની ઓરખ આપી અને આપણે કરેલા કર્મોના ફળ સ્વરૂપે જન્મ અને સંબંધો આપીયા અને આપણને સાચા ભાવથી જોડાયેલા રહેવા એક આંતિરક ઉર્જા આપી જે આપણે સાચવીને ખર્ચ કરવાની છે....સુખી જીવન જીવવાનો મંત્ર પોતે ખુશ રહો ને બીજાને ખુશ રેહવા દોખુશી માટે કામ કરશો તો કદાચ ખુશી ના મળે ,…..પણ જો ખુશી થી કામ કરશો તો ખુશી જરૂર મળશે ….સદા મુસ્કુરાતે રહો ,સર્વ કે પ્રતિ શુભ કામના ,શુભભાવના રાખો....બીજું કાંઈ ન આપી શકો તો કાંઈ નહી અન્યને અભિનંદન તો જરૂર આપજો જ.........જય ભગવાન.


No comments:

Post a Comment