Tuesday, October 27, 2015

જીવનના અનુભવ : સંઘર્ષ

જીવનના અનુભવ : સંઘર્ષ

રોજ સવાર પડે અને આપણને આપણા કર્મ કે કાર્ય માં સંઘર્ષ દેખાય પણ આ સંઘર્ષ ની વ્યાખ્યા આપણી જાત ને પડતો શારીરિક કે માનસિક શ્રમ કે પરિશ્રમ ને કહેતા હોઈએ છીએ પણ સંઘર્ષ ની વ્યાખ્યા અસલમાં છે જ નહિ કોઇપણ કાર્ય કે કર્મ ને સહજતાથી પુરેપુરા પ્રયત્નથી આશા કે અપેક્ષાઓ રહિત કરવામાં આવે તો કોઈ સંઘર્ષ જેવું લાગે જ નહિ.....

સંઘર્ષ આપણી નજરમાં ..
એક શ્રમજીવી પોતાના કાર્ય કે કર્મ ને સો ટકા પ્રાધાન્ય આપે અને પુરેપુરી લગન કે મહેનત સાથે કરે એટલે આપણી દ્રષ્ટિમાં તે સંઘર્ષમાંથી પસાર થાય છે તેવું લાગે....
ધન રૂપી વેતન મેળવવા માટે જે કાય કે કર્મ ને આપણે સંઘર્ષ કહીએ....
કોઈ વિકટ પરીસ્થિતિમાંથી બહાર નીકળવાને આપણે સંઘર્ષ જરૂરથી કહીશું .....
આપણી માનસિક કે શારીરિક સ્થિત મુજબ ના હોય અને કરવું પડતું કર્મ ને આપણે સંઘર્ષમાં ખપાવીશું...
આપણા સંબંધો અને સંબંધી ની નજરમાં આપણા કહેવાતા અહમને સંતોષવા આપણે કરેલી અણગમતી પરીસ્થિતિ પસાર કરી હશે તેને આપણે આ સંઘર્ષનું લેબલ ચિપકાવી દઈશું......
ખરેખર સંઘર્ષ જેવું આ દુનિયામાં છે જ નહિ પણ આપણે આપણી કહેવાતી પુરતી ના થાય એટલે તેને સંઘર્ષ જ કહીશું ...

રોજ સવારે એક ઉત્સાહ કે ઉમગ થી સૂર્ય ઉગે છે તે કદી સંઘર્ષ કરીને નથી ઉગતો.....
રોજ સવારે પશુ પક્ષી કે અન્ય જીવ પોત પોતાના રોજીંદા કાર્ય કે ક્રમ કરે તો કદી સંઘર્ષ નથી કરતો...
રોજ રોજ ફૂલ કે વ્રુક્ષ કે ઝાડ પાન સંઘર્ષ કરીને નથી વધતા ....કે ખીલતા....
કુદરતના તમામ ને જે ધ્યાનમાં રાખવામાં આવે તો કોઈ સંઘર્ષ કરતુ જ નથી બધું જ સહજ થાય છે અને થતું રહે છે કોઈની બુદ્ધિમતામાં આ બેસતું જ નથી....કેમકે ભગવાનને આપણને એક જીવ ની સહજ ગતિ કરવાની કીધી છે અને આપણે આ સહજ ને એટલું બધું અઘરું બનાવી મુકયું છે કે રોજબરોજના પ્રશંગ કે ઘટનાઓને આપણે આપણા નજીકના વર્તુળમાં સંઘર્ષ કરીને કર્યું તેવું બતાવીએ છીએ....

ગુરુ કે તત્વ કે ભગવાનને જોઈશું તો તે આ શબ્દ ને અડશે જ નહિ કેમકે સંઘર્ષ તેને કરવો પડે જેને કોઈ સિધ્ધીઓ કે વાહવાહ મેળવવી હોય,સાધુ સંત કે જે લોકો આત્મજ્ઞાન ને ઓરખવાના રસ્તે છે તેઓં ને કદી કોઈ સંઘર્ષ નડતો નથી કે લાગતો નથી કેમકે તેને સંતોષરૂપી ધન મળી ચૂકયું છે અને તે આ સંઘર્ષ જેવા નામ થી કોષો દુર હોય છે ...માતા પોતાના બાળકને જન્મ આપવા કદી સંઘર્ષ નથી કરતી તે સહજ અવસ્થા છે તેમ આ દેહને દરેક સ્થિતિ કે પરીસ્થિતિમાં રાખવાવાળો કદી કોઈને સંઘર્ષ કરાવતો જ નથી પણ આપણે આપણા સંસ્કારો કે આપણી જીવનશૈલી ની પ્રણાલી ને લીધે આ સંઘર્ષ શબ્દની માયાજાળમાં ફસાઈ જઈએ છીએ ....
રામ (કુદરત કે તત્વ કે ભગવાન) રાખે તેમ રહીએ તો દરેક સ્થિતિ કે પરીસ્થિતિ આપણા જીવને અનુકુળ લાગે છે અને તે દરેક રીતે આપણને મદદરૂપ પણ થાય છે એ આપણે અનુભવવા જેવું છે.....જય ભગવાન.





No comments:

Post a Comment