Monday, October 19, 2015

જીવનના અનુભવ : મઝા

જીવનના અનુભવ : મઝા

ગઈકાલે વડોદરા જવાનું થયું અને જાગ્રત ચેતન્ય શ્રી વાલજીદાદા ની મુલાકાત થઈ અને એક આંતરિક સાધના કે જાગર્તિ કેવી રીતે રાખવી તેની ઊંડાણમા સમજ આપી.. અને આપણે લેતા મઝા કે આનદ ની વ્યાખ્યા ની પણ એક સમજણ આપી, આ સમજણ જે લોકો જાગ્રતિ ને ર્સ્સ્તે છે, તે લોકો ને ખાસ સમજવાની જરૂર છે....મેં એક પ્રશ્ન પુછીયો કે “વાલજીદાદા આપણે આ આનદની મઝા ને નિરંતર માણવા શું કોઈ નાના પ્રયોગો કે અન્ય કોઈ રીત હોય કે તેનાથી આ મઝા નિરતર રહે તેવો કોઈ ઉપાય બતાવો .....

તેમણે જવાબ ખુબ જ સહજતાથી અને સરળ શબ્દોમાં આપીયો ...કે  આપણે અત્યારે શબ્દોની રમત  જ રમીએ છીએ અને એમાંથી ઉપજતી એક આર્ટીફીસીયલ આનદ ની અનુભૂતિ કરીએ છીએ અને આ શબ્દો આપણ ને રમાડે છે, અને જો આપણે આ કહેવાતી મઝા લઈએ તો જેટલું જ આ કહેવાતું સુખ મળે છે એટલું જ દુઃખ સામે આવીને ઉભું રહે છે અને આ મઝા ધડી પછી સજા બની જાય છે પણ જો આ સુખ કે દુઃખની જોડે એટેચ ના થઈએ અને દરેક પરીસ્થિતિની અંદર આપણી અંદરની જાગૃતિ ને લક્ષ્યમાં રાખી સહજ અને સરળ રહીએ તો આ કહેવાતું સુખદુઃખ આપણને અડતું પણ નથી અને જતું રહે છે પણ જો આની મઝા લીધી તો જેટલીવાર આ મઝા માણવા જશો તેટલી આપણે બેહોશી તરફ આગળ વધીશું અને આ શબ્દો ના ગુલામ બનીને રહી જઈશું,અને આપણી અંદરની ઉર્જા ખર્ચી નાખીશું,આપણું હોવા પણું વૈશ્વિક છે અને આપણે આની જોડે એટેચ થઈને મન ના ગુલામ બની જઈએ છીએ, આ આનદ તો નિરતર સત્ય અને સાસ્વત છે, આને અનુસરવા કોઈ પ્રયોગો કે અન્ય કોઈ રીત નથી કેમ કે એ રીત પણ અહંકાર જ કરાવે છે માટે જેટલું સરળ અને સહજ જીવાય તેટલુ જીવવું કેમકે જે લોકો આ વિધિ કે અંધશ્રદ્ધા કે પ્રયોગોમાં પડે છે તે બધા સુખદુખ ને સામેથી આમત્રણ આપે છે અને પછી અલગ અલગ માર્ગ શોધે છે અને ભટકી જાય છે....

આ પ્રશ્ન પૂછ્યો એટલે એમણે એક રસ્તો જરૂર બતાવીયો કે દરેકની સ્થિતિ અલગ અલગ અને પંથ અલગ અલગ જ છે પણ આ તારા સ્વભાવ અનુશાર એક રસ્તો બતાવું છુ કે જયારે જયારે આ મઝાની અનુભૂતિ થાય ત્યારે આપણે આપણી અંદર ની ગાડીનો ગેર બદલી લેવો અને જાગ્રતિ સાથે વરતવું એટલે બુદ્ધિમતા અલગ પડી જશે અને વિવેક ઉઘડશે અને એ વિવેક જ આગળ નો માગદશન આપશે, કેમ કે  આ નો પ્લાનીગ ગુડ પ્લાનીગ જેવું છે અને સહજતા આપણા સ્વભાવને એ ક્ષણે જ બદલી નાખશે અને અંદર સદા ને માટે રહી જશે ....

આપણે સુખમાં છકી જઈએ છીએ અને દુઃખમાં નિરાશા કે હતાશામાં ગરકાવ થઈ જઈએ છીએ અને પછી આપણે જ આપણો ખાડો ખોદીએ છીએ અને આ આનદ નો માગ ચુકી જઈએ છીએ...પણ જેટલી જાગ્રત ચેતના છે તેઓં ને જોઈશું તો તેઓ દરેક પરીસ્થિતિને વેલકમ કરશે અને અટેચ નહિ થાય અને દુરથી આ નિહારશે...અને મઝા લેવામાં પણ રસ નહિ દાખવે કેમકે તેઓં આનું પરિણામ અનુભવી ચૂકયા છે એટલે આ મઝા ની સઝા કયારેય નહિ બને ...
આપણે પણ આમાંથી શીખીએ કે આ કહેવાતી મઝામાં ના પડીએ અને સાચા આનદ ની પ્રતીતિ કરીએ  કે જે આપણી અંદર જ છે અને આપણે જેમ જેમ જીવન જીવીશું તેમ તેમ તે ખુલશે અને દેખાશે ...

વડોદરાથી પાછા આવતા જે હાઈવે પરથી પરત ફરી રહયા હતા તે માર્ગે પણ આ સમજણ આપી કે જેમ જેમ આગળ વધીએ તેમ તેમ આપણે ગાડીનો ગેર બદલીએ અને જયા લાગે ત્યાં બ્રેક મારીએ અને જયા ર્સ્સ્તો ખુલો મળે ત્યાં વિવેકથી આગળ વધીએ ...અને આપણી અંદરની ઉર્જા નો વ્યય અટકાવીએ....જય ભગવાન.

No comments:

Post a Comment