Monday, October 26, 2015

જીવનના અનુભવ : શરદપૂર્ણિમા

જીવનના અનુભવ : શરદપૂર્ણિમા

હમણાં નવરાત્રી ચાલુ હતી ત્યારે એક ગરબા ના શબ્દો ની સુંદરતા માણી હતી કે આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો, કહી દો સુરજને કે ઊગે નહિ ઠાલો ….

આજ નો દિવસ શરદપૂર્ણિમા અથવા શરદપૂનમ તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ પંચાંગમાં ૧૨ માસની ૧૨ પૂનમ હોય છે જેમાં શરદપૂર્ણિમા સર્વાધિક મહત્વપૂર્ણ છે. તેને રાસપૂર્ણિમા પણ કહે છે. ચોમાસા ની પુર્ણાહુતી અને શિયાળા ની આગમન ની ઘટના એટલે શરદઋતુ ની શરૂઆત...શરીરથી જયારે નાના હતા ત્યારે દૂધ પૌઆ  અચૂક ખાતા અને મને યાદ છે મારા મહાલક્ષ્મી બા જે ૧૦૧ વર્ષ ની આયુ ના હતા તે સમજાવતા કે આજની રાત એટલે ચંદ્રમાં સોળે કળા એ ખીલે અને તેમાંથી નીકળતા કિરણો આપણા તન મન અને આત્મા ને એક અલગ નીખર આપે...તેઓં ની આ વાત દર વર્ષએ એક વાર તો યાદ આવી જ જાય ...

ચારે તરફથી ગોળ ચંદ્રમાઁનું સૌદર્ય જોવા જેવું હોય છે. એમાંથી એટલો પ્રકાશ ફૂટે છે કે પૃથ્વી આ પ્રકાશમાં નહાતી હોય એવું લાગે છે. અમારી ચારે બાજુ અજવાળુ જ અજવાળુ લાગે છે. આ અજવાળામાં દૂર દૂર સુધીની મોટાભાગની વસ્તુઓ દેખાય છે......આ તો થઈ બાહ્ય જગત ની વાત પણ આતરિક જગત માં મારા ગુરુ પણ કહેતા કે આ પૂર્ણિમા એટલે મન અને તનમાં એક અદભુત અનુભૂતિ અનુભવવા ની ક્ષણ કેમકે પુનમ તો ઘણી બધી આવે પણ જે શરદ પૂનમ નું મહત્વ આધ્યાત્મિક જગતમાં પણ ખુબ છે. કેમકે કૃષ્ણ રૂપી ચેતન્ય ની રાસ લીલા નું છે...અને આ રાસ લીલા આપણા અંતર આત્મા ને નીરખવાની છે...

આપણા બઘા ના જીવનમાં મારું મારું એટલે કે અહંકાર ને પોસવાનું નામ એટલે તેને આપણે જીવન કહીએ છીએ પણ જીવ અને જીવનની ઓરખાણને, જે લોકો એ લક્ષ્ય બનાવિયું છે તે લોકો આ કૃષ્ણ રૂપી ચેતન્ય ની રાસ લીલા નું મહત્વ સમજે છે, ક્રૃષ્ણરૂપી તત્વ ને સમજવું અધરું છે પણ તે જે આ શરદપૂર્ણિમા અથવા શરદપૂનમ નો ઉત્સવ છે તે આપણને આ તત્વ ની રાસલીલાનું ઘેરું રહસ્ય સમજાવે છે...બે પાંચ નહિ પૂરી સોળે કળા એ ખીલે છે આપણું આ તન મન અને ચિત એટલે ચોતરફ પ્રકાશ જ પ્રકાશ એટલે કે આપણું મૂળ સ્વરૂપ દેખાય છે અને એમાં કુદરત કે તત્વ કે ભગવાન ની હાજરી દેખાય છે જે કૃષ્ણ રૂપી ચેતન્ય છે જે આ જીવ ને હિલોરે ચઢાવવવા રાસ રમાડે છે અને તેની આ લીલા ના દર્શન કરાવે છે....

કુદરત કે ભગવાન કે તત્વ ને આપણે જોઈશું તો તે હંમેશાં આપણને દિવ્યપ્રકાશ મય જ લાગશે...કેમકે તે આપણું જ પ્રતિબીંબ છે પણ આપણે તેને ઓરખતા જ નથી એટલે આ અનુભૂતિમાં આવતું જ નથી પણ જે મન કે જેને ચન્દ્ર જોડે સરખાવવા માં આવ્યું છે એટલે આ મન ને જો શાંત ચિતે રાખવામાં આવે તો આ કુદરતી સોન્દય ગણો કે તેની લીલા ગણો ઓટોમેટિક એની મેળે પ્રગટ થાય અને દર્શન કરાવે પણ જે લોકો ને આ જોતા આવડે તેના માટે આ અદભુત લાગે, બાકી શું રાત ને શું દિવસ વાળા જે લોકો છે તેમને માટે આ શરદપૂર્ણિમા અથવા શરદપૂનમ એક સામાન્ય દિવસ બની ને વીતી જાય છે ...અને પોતાના જગતમાં કે આ સંસારિક આંટીધૂટીમાં ચાલતી મુશ્કેલી કે સમસ્યાના સમાધાનમાંથી બહાર જ નથી નીકળી શકતા....અને આ દિવસ કે ક્ષણનું મહાત્મ્ય ચૂકી જાય છે.....


જીવ ની આ શક્તિ સાથેની ભેટ એટલે આ શરદપૂર્ણિમા અથવા શરદપૂનમ...જય ભગવાન.

No comments:

Post a Comment