Friday, October 30, 2015

જીવનના અનુભવ : અગમચેતી

જીવનના અનુભવ : અગમચેતી

રસ્તા પર કે જીવનના પ્રવાહમાં એક ખાડો દેખાય અને આપણે આપણું ટોટલ ધ્યાન હવે એકત્રીત કરી અગમચેતીરૂપે સાવધાન થઈ જઈશું અને આપણી ગતિને ધીમી કે સાવચેતી ભરી કરી નાખીશું...આ એક કળા કહો કે માણસની બુદ્ધિમતા કહો, માણસ આ અગમચેતી ના પગલા ભરવાની શરૂઆત કરી દેશે.....

આપણા જીવનમાં બેદરકારી નહિ કરવાની ... પણ આપણે આ અગમચેતીને આપણા જીવન કે વહેવારમાં કેવી રીતે લઈએ છીએ તે વિવેક કેળવવો પડે ...
જેમકે....
કોઈ એક સમાચાર મળે કે આ સ્થળ કે આ જગ્યાએ કુદરતી આફત આવી છે....એટલે આપણે પણ આપણામાં અગમચેતી સમજીને વર્તન કરીશું ....
કોઈ ક્રિયા કે પ્રક્રિયા કરતા હાની કે નુકશાન થાય છે, તો આપણે પણ અગમચેતી સ્વરૂપે પગલા ભરીશું...
કોઈ જીવ કોઈ બીમારીથી પીડાતો હોય અને આ બીમારી આપણી અંદરના આવે તે માટે આપણે થોડા ફેરફાર કરીશું ....
કોઈ માણસ ની વાણી વર્તન કે વહેવાર બરાબર આપણી મરજી મુજબ નહિ હોય તો આપણે આ અગમચેતી મુજબ સમજીને સામે વાણી વર્તન કે વહેવાર કરીશું.....
આ તો થઈ એક સામાન્ય વાત કે જે માણસ જાતે જ શીખી જાય છે  અને પોતાની સમજ અને બુદ્ધિમતા અનુસાર રોજબરોજના ઘટનાક્રમ માં થી પસાર થાય છે.....

અગમચેતીની જો વ્યાખ્યા કરવામાં આવે તો બીજી ક્ષણએ શું થશે તે આપણી સમજશક્તિથી સમજીને કે અનુભવેલા અનુભવથી કરવામાં આવતી સાવધાની ......

બીજા જીવ કે માણસ ના અંદર થતી દખલગીરીને આપણે આપણા મુજબ લઈએ એટલે આપણને ખબર હોય કે ના હોય છતા આપણે ના કરવાના કામ કે પ્રયોગો કરીએ અને આપણા સહજ કર્મ કે સહજ જીવન પ્રત્યે સભાનતા ગુમાવી નાખીએ પછી આ અગમચેતી નામના શબ્દ કે અનુભૂતિની જરૂર પડે અને પછી આપણે આપણા જીવ પ્રત્યે સાવધાન થઈએ ...પણ જો સામે આવતા દરેકને એટલે કે વાણી,વર્તન,વહેવાર કે સહજતાથી અનુભવેલા કે વિવેકપુણ થી જો કરીએ તો આ અગમચેતી જેવું કઈ લાગતું જ નથી......

રામ રાખે તેને કોણ મારે આ વાક્યની મહતા આપણે ખાલી બસ ઉક્તિ સ્વરૂપે જ લઈએ છીએ ...પણ જો દરેક પ્રત્યે પ્રેમ આદર અને વિવેક જાગે તો આ અગમચેતી શેના માટેની.....આ આપણી બુદ્ધિમાં નહિ જ ઉતરે

આગ,પાણી, અને હવા આ માણસના જીવનના મહત્વના અંગ છે આપણે કોઈ દિવસ આગમાં જાણતા કોઇપણ અંગ નહિ નાખીએ તો કોઈ અગમચેતી કરવાની જરૂર ખરી...
પાણીની મર્યાદા આપણા જીવને અનુરૂપ હશે તેમ લઈશું તો...
હવાને એટલે કે શ્વાસમાં પણ ધ્યાન રાખીશું આમાં કોઈ અગમચેતી જેવું નહિ લાગે કે આગ,હવા,પાણી આ તત્વ જેમ પોતાની સહજતાથી વર્તે છે તેમ આપણે આપણા જીવને કેળવતા શીખીશું એટલે કોઈ પ્રકારની નેગેટીવ ભાવના અગમચેતી નહિ કરાવે અને સામે આવતી ક્ષણમાં ટોટલ હાજરીમાં હોઈશું તો આ સહજ જ લાગશે...

અને એક દિવસ તો બધા એ ઉપર જવાનું જ છે એ વાત ને બસ સહારો જ બનાવીને ઉપયોગ કરીશું....તો ડગલેને પગલે આ અગમચેતી જીવનમાં નડતરરૂપ બનશે...જીવનમાં આવતી ક્ષણ  વિશે કોઈ જાણી શકયું નથી તો આપણે આ અગમચેતીને દુર જ રાખીએ, હા પણ વિવેક થી નહિ કે બુદ્ધિથી ...કેમકે બુધ્ધી અને વિવેકમાં કોષો અંતર છે...

કુદરત કે તત્વ કે ભગવાન ને જોઈશું તો તે ક્ષણમાં એટલે કે વર્તમાનમાં ટોટલ હાજરી સાથે જ છે અને રહેશે આ નિયમ ને આપણે જાણી લેવો જોઈએ એટલે આપણા જીવની ઉદ્ધવ ગતિ ની શરૂઆત થાય અને તત્વ મદદરૂપ લાગે....

જે સમજમાં ના આવતું હોય તેને સમજવાની કોઈ જરૂર નથી ...ટુકમાં બસ આવતી ક્ષણમાં જીવન  જીવવાનું છે ......જય ભગવાન.


Thursday, October 29, 2015

જીવનના અનુભવ : અધીરાઈ

જીવનના અનુભવ : અધીરાઈ

અમદાવાદમાં આવેલ એલિસબ્રિજ થી આસ્ટોડિયા સુધી નો જે રસ્તો છે,જેમાં બી આરટી એસ ના માગ પર પણ બધા અવરજવર કરે છે અને ખુલ્લા રસ્તાને લીધે લોકો એ બાજુ વળે છે...પણ ટ્રાફિક પુષ્કળ હોય ત્યારે લોકો ભાન ભૂલીને વાહનો હંકારી મુકતા હોય છે અને પછી જયા ટ્રાફિક નજીકમાં ન લાગતો હોય ત્યાં જવા દેશે...પણ મે જોયું કે આપણે જે ર્સ્સ્તે જતા હોઈએ તે ર્સ્સ્તો જ પકડી રાખવાનો એવું જો લક્ષ્ય બનાવીએ તો આગળ ટ્રાફિક ઓટોમેટિક ખુલે છે અને જે લોકો આ બી આર ટી એસ ના ર્સ્સ્તે જતા હોય તેમેણે ટ્રાફિક સહન કરવો પડે છે....અને આગળ વધાતું જ નથી અને એક સમય એવો આવે કે આપણે નક્કી કરેલા રસ્તા પરની અધીરાઈ આપણને આપણા લક્ષ્યાંક સુધી પહોચવામાં અડચણરૂપ બને ..... આ તો ફક્ત ઉદાહરણરૂપે અહી પ્રસંગનું વર્ણન કર્યું ...

જયારે જયારે આપણે આપણા નક્કી કરેલા રસ્તાને ચુકી જઈએ એટલે આપણે પસ્તાવો કરવો પડે અને આ પાછી એકની એક જ ભૂલ વારવાર કરીએ અને અગાઉ અનુભવેલા અનુભવને પણ આપણે અનદેખી કરી નાખીએ પણ જો લક્ષ્યને ધ્યાનમાં રાખીને સંયમ અને સમજદારી પૂર્વક કે અધીરાઈ વગર જો આગળ વધીએ તો કુદરત કે તત્વ મદદરૂપ થતું જ હોય છે પણ આપણને આ દેખાતું નથી અને આપણને એમ જ લાગે છે કે આ મે કર્યું અને મારી બુધ્ધીથી આ થયું ....

અધીરાઈ આપણને જાણે વારસાગત ના મળી હોય તેમ વર્તન કરીએ છીએ અને પછી આપણી મરજી મુજબ ના થાય એટલે બરાપો બીજા પર ઢાલવીએ છીએ અને આપણે આપણો સત્યનો માર્ગ ભૂલી જઈએ છીએ..આ વાત જે લોકો જાગ્રતિને ર્સ્સ્તે છે તે લોકોને જ દેખાય છે બાકી આપણી આંખ આ જોઈ જ નથી શકતી...આ અધીરાઈ જ આપણા અંદર ની બધી જ ઉર્જા ખાઈ જાય છે અને આપણે જોઈશું તો જો અધીરાઈ ની ક્ષણને જો કેળવતા આવડી જાયતો સ્વર્ગ અને આનદ કે મોજ જ લાગે છે....

કુદરત કે તત્વ કે ભગવાન કયારે અધીરાઈ નહિ જ કરે....અને નિયમબધ્ધ જ હશે...
આપણે આપણા ગુરુ આગળ પણ આ શીખ મેળવી જ હોય છે અને તે પણ આપણને આ જ સમજાવે છે કે અધીરાઈ નામના ગુણ ની મહતા આપણે આપણા અનુભવેલા અનુભવથી જો આવડી જાય તો દરેક ક્ષણએ કોઈ સત્તા આપણું ધ્યાન અને સંભાળ લેતું હોય તેવું લાગશે અને હર ધડી તેની પ્રતીતિ થશે....


આપણા બધા વહેવારમાં આ અધીરાઈની સહનશક્તિ આપણી અંદર વધે...તો આપણને ખબર પડે છે અને આપણા આજુબાજુ કે વર્તુળમાં આની અસર દેખાય છે,અને દરેક સ્થિતિ કે પરીસ્થિતિ આપણા અનુરૂપ જ લાગે છે....અને આ અધીરાઈ ધીરેધીરે ખતમ થતી દેખાય છે અને સહનશીલતામાં આનું પરીવતન થતું દેખાય છે...અને એક સમય કે ક્ષણ એવી આવે કે આ સહનશીલતા આપણો સ્વભાવ બની જાય અને દરેક પ્રત્યે બસ પ્રેમ જ દેખાય  અને દરેક આપણને મદદરૂપ થતા હોય તેમ જ લાગે ...આ અનુભવ કરવા જેવો છે....જય ભગવાન.

Tuesday, October 27, 2015

જીવનના અનુભવ : સંઘર્ષ

જીવનના અનુભવ : સંઘર્ષ

રોજ સવાર પડે અને આપણને આપણા કર્મ કે કાર્ય માં સંઘર્ષ દેખાય પણ આ સંઘર્ષ ની વ્યાખ્યા આપણી જાત ને પડતો શારીરિક કે માનસિક શ્રમ કે પરિશ્રમ ને કહેતા હોઈએ છીએ પણ સંઘર્ષ ની વ્યાખ્યા અસલમાં છે જ નહિ કોઇપણ કાર્ય કે કર્મ ને સહજતાથી પુરેપુરા પ્રયત્નથી આશા કે અપેક્ષાઓ રહિત કરવામાં આવે તો કોઈ સંઘર્ષ જેવું લાગે જ નહિ.....

સંઘર્ષ આપણી નજરમાં ..
એક શ્રમજીવી પોતાના કાર્ય કે કર્મ ને સો ટકા પ્રાધાન્ય આપે અને પુરેપુરી લગન કે મહેનત સાથે કરે એટલે આપણી દ્રષ્ટિમાં તે સંઘર્ષમાંથી પસાર થાય છે તેવું લાગે....
ધન રૂપી વેતન મેળવવા માટે જે કાય કે કર્મ ને આપણે સંઘર્ષ કહીએ....
કોઈ વિકટ પરીસ્થિતિમાંથી બહાર નીકળવાને આપણે સંઘર્ષ જરૂરથી કહીશું .....
આપણી માનસિક કે શારીરિક સ્થિત મુજબ ના હોય અને કરવું પડતું કર્મ ને આપણે સંઘર્ષમાં ખપાવીશું...
આપણા સંબંધો અને સંબંધી ની નજરમાં આપણા કહેવાતા અહમને સંતોષવા આપણે કરેલી અણગમતી પરીસ્થિતિ પસાર કરી હશે તેને આપણે આ સંઘર્ષનું લેબલ ચિપકાવી દઈશું......
ખરેખર સંઘર્ષ જેવું આ દુનિયામાં છે જ નહિ પણ આપણે આપણી કહેવાતી પુરતી ના થાય એટલે તેને સંઘર્ષ જ કહીશું ...

રોજ સવારે એક ઉત્સાહ કે ઉમગ થી સૂર્ય ઉગે છે તે કદી સંઘર્ષ કરીને નથી ઉગતો.....
રોજ સવારે પશુ પક્ષી કે અન્ય જીવ પોત પોતાના રોજીંદા કાર્ય કે ક્રમ કરે તો કદી સંઘર્ષ નથી કરતો...
રોજ રોજ ફૂલ કે વ્રુક્ષ કે ઝાડ પાન સંઘર્ષ કરીને નથી વધતા ....કે ખીલતા....
કુદરતના તમામ ને જે ધ્યાનમાં રાખવામાં આવે તો કોઈ સંઘર્ષ કરતુ જ નથી બધું જ સહજ થાય છે અને થતું રહે છે કોઈની બુદ્ધિમતામાં આ બેસતું જ નથી....કેમકે ભગવાનને આપણને એક જીવ ની સહજ ગતિ કરવાની કીધી છે અને આપણે આ સહજ ને એટલું બધું અઘરું બનાવી મુકયું છે કે રોજબરોજના પ્રશંગ કે ઘટનાઓને આપણે આપણા નજીકના વર્તુળમાં સંઘર્ષ કરીને કર્યું તેવું બતાવીએ છીએ....

ગુરુ કે તત્વ કે ભગવાનને જોઈશું તો તે આ શબ્દ ને અડશે જ નહિ કેમકે સંઘર્ષ તેને કરવો પડે જેને કોઈ સિધ્ધીઓ કે વાહવાહ મેળવવી હોય,સાધુ સંત કે જે લોકો આત્મજ્ઞાન ને ઓરખવાના રસ્તે છે તેઓં ને કદી કોઈ સંઘર્ષ નડતો નથી કે લાગતો નથી કેમકે તેને સંતોષરૂપી ધન મળી ચૂકયું છે અને તે આ સંઘર્ષ જેવા નામ થી કોષો દુર હોય છે ...માતા પોતાના બાળકને જન્મ આપવા કદી સંઘર્ષ નથી કરતી તે સહજ અવસ્થા છે તેમ આ દેહને દરેક સ્થિતિ કે પરીસ્થિતિમાં રાખવાવાળો કદી કોઈને સંઘર્ષ કરાવતો જ નથી પણ આપણે આપણા સંસ્કારો કે આપણી જીવનશૈલી ની પ્રણાલી ને લીધે આ સંઘર્ષ શબ્દની માયાજાળમાં ફસાઈ જઈએ છીએ ....
રામ (કુદરત કે તત્વ કે ભગવાન) રાખે તેમ રહીએ તો દરેક સ્થિતિ કે પરીસ્થિતિ આપણા જીવને અનુકુળ લાગે છે અને તે દરેક રીતે આપણને મદદરૂપ પણ થાય છે એ આપણે અનુભવવા જેવું છે.....જય ભગવાન.





Monday, October 26, 2015

જીવનના અનુભવ : શરદપૂર્ણિમા

જીવનના અનુભવ : શરદપૂર્ણિમા

હમણાં નવરાત્રી ચાલુ હતી ત્યારે એક ગરબા ના શબ્દો ની સુંદરતા માણી હતી કે આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો, કહી દો સુરજને કે ઊગે નહિ ઠાલો ….

આજ નો દિવસ શરદપૂર્ણિમા અથવા શરદપૂનમ તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ પંચાંગમાં ૧૨ માસની ૧૨ પૂનમ હોય છે જેમાં શરદપૂર્ણિમા સર્વાધિક મહત્વપૂર્ણ છે. તેને રાસપૂર્ણિમા પણ કહે છે. ચોમાસા ની પુર્ણાહુતી અને શિયાળા ની આગમન ની ઘટના એટલે શરદઋતુ ની શરૂઆત...શરીરથી જયારે નાના હતા ત્યારે દૂધ પૌઆ  અચૂક ખાતા અને મને યાદ છે મારા મહાલક્ષ્મી બા જે ૧૦૧ વર્ષ ની આયુ ના હતા તે સમજાવતા કે આજની રાત એટલે ચંદ્રમાં સોળે કળા એ ખીલે અને તેમાંથી નીકળતા કિરણો આપણા તન મન અને આત્મા ને એક અલગ નીખર આપે...તેઓં ની આ વાત દર વર્ષએ એક વાર તો યાદ આવી જ જાય ...

ચારે તરફથી ગોળ ચંદ્રમાઁનું સૌદર્ય જોવા જેવું હોય છે. એમાંથી એટલો પ્રકાશ ફૂટે છે કે પૃથ્વી આ પ્રકાશમાં નહાતી હોય એવું લાગે છે. અમારી ચારે બાજુ અજવાળુ જ અજવાળુ લાગે છે. આ અજવાળામાં દૂર દૂર સુધીની મોટાભાગની વસ્તુઓ દેખાય છે......આ તો થઈ બાહ્ય જગત ની વાત પણ આતરિક જગત માં મારા ગુરુ પણ કહેતા કે આ પૂર્ણિમા એટલે મન અને તનમાં એક અદભુત અનુભૂતિ અનુભવવા ની ક્ષણ કેમકે પુનમ તો ઘણી બધી આવે પણ જે શરદ પૂનમ નું મહત્વ આધ્યાત્મિક જગતમાં પણ ખુબ છે. કેમકે કૃષ્ણ રૂપી ચેતન્ય ની રાસ લીલા નું છે...અને આ રાસ લીલા આપણા અંતર આત્મા ને નીરખવાની છે...

આપણા બઘા ના જીવનમાં મારું મારું એટલે કે અહંકાર ને પોસવાનું નામ એટલે તેને આપણે જીવન કહીએ છીએ પણ જીવ અને જીવનની ઓરખાણને, જે લોકો એ લક્ષ્ય બનાવિયું છે તે લોકો આ કૃષ્ણ રૂપી ચેતન્ય ની રાસ લીલા નું મહત્વ સમજે છે, ક્રૃષ્ણરૂપી તત્વ ને સમજવું અધરું છે પણ તે જે આ શરદપૂર્ણિમા અથવા શરદપૂનમ નો ઉત્સવ છે તે આપણને આ તત્વ ની રાસલીલાનું ઘેરું રહસ્ય સમજાવે છે...બે પાંચ નહિ પૂરી સોળે કળા એ ખીલે છે આપણું આ તન મન અને ચિત એટલે ચોતરફ પ્રકાશ જ પ્રકાશ એટલે કે આપણું મૂળ સ્વરૂપ દેખાય છે અને એમાં કુદરત કે તત્વ કે ભગવાન ની હાજરી દેખાય છે જે કૃષ્ણ રૂપી ચેતન્ય છે જે આ જીવ ને હિલોરે ચઢાવવવા રાસ રમાડે છે અને તેની આ લીલા ના દર્શન કરાવે છે....

કુદરત કે ભગવાન કે તત્વ ને આપણે જોઈશું તો તે હંમેશાં આપણને દિવ્યપ્રકાશ મય જ લાગશે...કેમકે તે આપણું જ પ્રતિબીંબ છે પણ આપણે તેને ઓરખતા જ નથી એટલે આ અનુભૂતિમાં આવતું જ નથી પણ જે મન કે જેને ચન્દ્ર જોડે સરખાવવા માં આવ્યું છે એટલે આ મન ને જો શાંત ચિતે રાખવામાં આવે તો આ કુદરતી સોન્દય ગણો કે તેની લીલા ગણો ઓટોમેટિક એની મેળે પ્રગટ થાય અને દર્શન કરાવે પણ જે લોકો ને આ જોતા આવડે તેના માટે આ અદભુત લાગે, બાકી શું રાત ને શું દિવસ વાળા જે લોકો છે તેમને માટે આ શરદપૂર્ણિમા અથવા શરદપૂનમ એક સામાન્ય દિવસ બની ને વીતી જાય છે ...અને પોતાના જગતમાં કે આ સંસારિક આંટીધૂટીમાં ચાલતી મુશ્કેલી કે સમસ્યાના સમાધાનમાંથી બહાર જ નથી નીકળી શકતા....અને આ દિવસ કે ક્ષણનું મહાત્મ્ય ચૂકી જાય છે.....


જીવ ની આ શક્તિ સાથેની ભેટ એટલે આ શરદપૂર્ણિમા અથવા શરદપૂનમ...જય ભગવાન.

Saturday, October 24, 2015

જીવનના અનુભવ : નિરર્થક કે વ્યર્થ

જીવનના અનુભવ : નિરર્થક કે વ્યર્થ

જીવનમાં આપણા કહેવાતા સંબંધો કે કાર્યો કરતા હતા ત્યારે એક જીવનની દોડ કે રેસ લગાવી ના હોય તેમ દોડતા હતા,અને એ વખતે એવું લાગે કે મારા જેવો કોઈ સમર્થ કે હોશિયાર નથી,પણ જયારે થાકીને કે સમજીને કે બેઠા અને જીવનની આ ગતિ ને શાંત ચિતે એકાગ્રતાપૂર્વક કે સાચામાપદંડ થી જોઈ ત્યારે એક સમજણ કે વિવેક દેખાયો કે આટલા વરસો એક નિરર્થક કે વ્યર્થ કે આધળી દોડ પાછળ દોડિયા અને જીવ ની ગતિ કે જીવનનું સાચું મુલ્ય ના આંકી શક્યા અને જીવનનું અત્યાર સુધી નું સરવૈયું જોયું તો આ દોડ કે રેસ નો કોઈ અર્થ જ ના મળ્યો ...

સમજણ ત્યારે જ ખુલે જયારે જીવનમાં એક શાંતિ નો અનુભવ થાય.....
વિવેક ત્યારે જ ખુલે જયારે આપણી બુદ્ધિમતા શાંત થાય .....
ધ્યાન ત્યારે જ લાગે જયારે એકાગ્રતા વાળું મન અને ચિત દેખાય....
શૂન્યતા ની ઝલક પણ ત્યારે જ મળે જયારે આ સમજણ,વિવેક,અને ધ્યાન નો સંગમ થાય અને દિવ્યતા ના અનુભવની શરૂઆત થાય ......

જયારે જયારે આપણા કામધંધા કે રોજબરોજની પ્રવુતિમાંથી સમય મળે આપણા ચિતને આપણી અંદર પરોવી દેવું એટલે કે કબીરજી જેવું કરવું,એ પોતે વણાટકામ કરતા પણ જયારે જયારે મન બહાર ભટકે એટલે તે અંદર ઉતરી જતા અને સાચા અર્થમાં શાંતિ કે મોજ નો અનુભવ કરતા આપણે પણ આ કરીએ તો આપણી અંદર કામ,ક્રોધ,મોહ,મત્સ્ય કે અન્ય વિકારો ઉદભવતા જ નથી અને આપણી આંતરિક ઉર્જા કે શક્તિ માં એક ગુણાકાર થી વધારો થતો જોવા મળે છે અને એ આપણા હાવભાવ કે આપણા વર્તુળમાં આ પ્રગટ થાય છે અને એક આભામંડળ થી સકારાત્મકતા ઉદભવે છે જે સાચા અર્થમાં આ જગતમાં શાંતિ અને સમૃદ્ધિ નો પ્રસાર કરે છે....

જયારે જયારે એવું લાગે કે જિંદગી પરીક્ષા કરે છે ત્યારે આપણને જીવન નિરર્થક કે વ્યર્થ લાગે છે પણ  ,ત્યારે આપણે આ પરીક્ષામાં આપણો પ્રયત્ન સો ટકા કરવો જોઈએ અને આશા કે અપેક્ષાઓ રહિત હોવો જોઈએ કેમકે જે લોકો જીવનને પરીક્ષા ના અર્થમાં લે છે તેનો દ્રષ્ટીકોણ પરીક્ષા લક્ષી બનીને સીમિત થઈ જાય છે પણ તેને સામાન્ય કે હળવાશથી લઈએ તો આપણે પુરેપુરી સક્ષમતાથી તે આનદદાયક બનીને સામે આવે છે...

નિરર્થક કે વ્યર્થ ની વાતો પણ આપણને નકારાત્મક વલણ અપનાવવા પ્રેરે છે માટે નિરર્થક કે વ્યર્થ વાતોને જાકારો આપી દઈએ તો તે આપણી આજુબાજુ ફરતી પણ નથી અને આપણા આંતિરક વિકાસમાં સહભાગી બને છે...

કુદરત કે ગુરુ કે તત્વ ને જોઈશું તો તે કદી નિરર્થક કે વ્યર્થ ની ચર્ચા કે વાતો કે અન્યમાં નહિ પડે, અને જવાબ પણ નહિ આપે અથવા ટુકાણમાં આપી દેશે અથવા મોન ધારણ કરી દેશે....આપણે આ નિયમ મુજબ એક વાર ચાલી જોઈએ તો સો પ્રથમ આપણને પોતાને એક ભાસ થશે કે નકામું કે નિરર્થક કે વ્યર્થ એ જ આપણા જીવનની ગતિ અટકાવી રાખી છે,બાકી કુદરત કે તત્વ હર ક્ષણ મદદરૂપ થવા તેયાર જ હોય છે...જય ભગવાન.



Friday, October 23, 2015

જીવનના અનુભવ : તાલ કે લય

જીવનના અનુભવ : તાલ કે લય

ગઈકાલે ગરબે રમતા ખેલૈયાઓની રંગત જોઈ અને ગરબે ઘૂમતા અને તાલ કે લય બધ્ધ રીતે રમતા લોકો ને જોયા અને એક આનદ આવીયો,સ્ટેજ પરથી જે રીધમ કે ધૂન ગાય અને તે લય બધ્ધ કે તાલ બધ્ધ રીતે તેનું ગરબાના સ્ટેપમાં રૂપાંતર કરવું અને એ પણ એક ઉમગ અને ઉત્સાહની લાગણીમાં.... કેવી મઝા આવે, એ તો જે લોકો આ તાલ પ્રમાણે ગાતા હોય કે રમતા હોય તેને જ ખબર પડે....

જીવન પણ આવું જ છે જે લોકો આ તાલ કે લયબધ્ધતા થી ચાલે છે તે લોકો આ જીવનની સાચી મઝા માણી શકે છે બાકી આ ભવ નો ફેરો ફોગટ જાય છે ....

તાલ કે લય ની વ્યાખ્યા દરેકની અલગ અલગ હોય છે..
કોઈ પોતાનાથી થતા રીધમ કે ધૂન મુજબ રમે છે કે જીવે છે ....તો
કોઈ બીજાના અનુકરણમાં મશગુલ થઈને રમે છે કે જીવે છે......તો
કોઈ બસ ડાફોળીયા કે આજુબાજુ ની ચહેલપહેલમાં રચીયો પચીયો રહે છે...તો
કોઈ તાલ કે લયબદ્ધતા ઢોંગ સ્વરૂપે કરે છે અને કહેવાતું રમે છે કે જીવે છે...
જીવન તો આપણા સ્વભાવ કે સંસ્કાર પ્રમાણે વર્તે છે તે પ્રમાણે જ માનીએ છીએ કે આ લયમાં છે...

પણ જે લોકો ને સાચી ધૂન પકડાઈ ગઈ છે તે બીજા કોઈની પરવા કરિયા વગર બિન્દાસ્ત રીતે જીવન સંગીત ની ધૂન કે રીધમ અનુસાર સ્ટેપ બાય સ્ટેપ રમે છે કે જીવે છે અને બીજાના અનુકરણ વગર પોતાના આંતરિક ભાવપૂર્વક અને અનુભવપૂર્વક સાચી ખેલદિલીથી આ જીવનરૂપી સંગીત નો તાલ કે લય માણે છે અને બીજી ક્ષણે આવતા ફેરફારોને આધીન સંયમ અને સમાનતા કે હષોલાસ સાથે દરેક સ્ટેપની મઝા માણતા માણતા જીવનની સાચી પળો વિતાવે છે અને અંદર આવતા આનદ ની અનુભૂતિ કરે છે....

સાચી રીતે જોઈશું તો આખો સંસાર એક તાલ કે લયબદ્ધતા મુજબ જ ચાલી રહ્યો છે અને દરેક જીવ તેની સાચી ખેલદિલીની ભાવનાથી રમે કે જીવે તો કુદરત કે ભગવાન એ મુજબ જ સંગીત ની ધૂન રેલાવે છે અને રમાડે છે કે જીવાડે છે

સૂર્ય ચંદ્ર કે તારા પવન કે ફળ ફૂલ વ્રુક્ષ કે પશુ પંખી આ વાતાવરણ રૂપી સંગીતની ધુનની તાલ કે લય મુજબ જ ચાલે છે અને ફળેફૂલે છે અને ઉધ્વ્વ ગતિથી આગળ વધે છે,માણસ જો આ જીવનમાં સાચા અર્થમાં આ લય કે તાલ ને સમજી લે તો હર ક્ષણ એ કુદરત કે તત્વ કે ગુરુ સાથે જ છે તેવો આભાસ કે અનુભૂતિ અનુભવશે,ધ્યાન થી જો જોઈશું તો દરેક સ્થિતિ કે પરીસ્થિતિ આપણા હકારાત્મક વલણ ને જ અધીન છે બાકી આ દુનિયામાં કેટલાય આવીયા અને ગયા તત્વ તો એક જ સ્વરૂપ કે લયબદ્ધતાથી ચાલે છે અને ચાલતું રહશે આપણે તેની પરખ શક્તિ કે અનુભવ શક્તિ ને સાચી ઓરખ આપવાની છે અને આ જીવ ની ઓરખ મેળવવાની છે ....જય ભગવાન.

Tuesday, October 20, 2015

જીવનના અનુભવ : ધીરજ

જીવનના અનુભવ : ધીરજ

આપણે બધા એ આ દ્રશ્ય જોયું જ હશે જ કે એક ખેડૂત ખેતરમાં બીજ વાવી આવે અને પછી તરત જ જોવા જાય કે ઊગ્યું કે નહિ તો એને નિરાશા જ મળે છે પણ જે જમીનમાં જે બીજ નાખ્યું છે તે બહાર નીકળેલું નથી દેખાયું તોપણ તે નકામું નથી ગયું. એની સૂક્ષ્મ પ્રતિક્રિયા ભૂગર્ભમાં કે આંતરિક અદ્રશ્ય રીતે ચાલ્યા જ કરે છે, એ સંબંધી એને વિશે કશી શંકાકુશંકા ન હોવી જોઈએ કે ન કરવી જોઈએ ,એને બદલે કશું જ નથી થતું એવી નિરાશાત્મક વૃત્તિ કેળવીને વિચારો ના વમળમાં ફસાઈને એ બીજને એ જમીનમાંથી ખોદી કાઢે તો  એના હાથમાં કશું જ ન આવે. બીજ પોતાનું કાર્ય કરીને અંકુરમાં પરિણામે એને માટે ખેડૂતે જરૂરી ધીરજ રાખવી જ જોઈએ......

જિંદગીનો ક્રમ એવો છે કે એમાં ચડાવ-ઉતાર તો આવ્યા જ કરવાના. સફળતા મળે ત્યારે નમ્રતા દાખવીએ અને નિષ્ફળ જઈએ ત્યારે ધીરજપૂર્વક એમાંથી બહાર આવવાના સભાન પ્રયત્નો કરીએ એમા જ આપણા મહામુલા જીવનની સાર્થકતા સમાયેલી છે. ધીરજવંત બુદ્ધિવાળો ત્યારે જ જણાય કે જ્યારે તે સર્વ લોકોના સ્વભાવ અને રીતભાતને સમજી જાય. તે બીજાના અવગુણ પોતાનામાં પેંસવા ન દે અને તે કદી પણ ક્રોધ કરી પોતાનું મન બગાડે નહીં. જોવા જઈશું તો આપણી ઉમરનો વધુ પડતો ભાગ તો ચાલી ગયો છે, હવે થોડોક જ બાકી રહ્યો છે તેવું સમજીને મન અને અંતરઆત્મા ને કહીએ કે જે તે સમયે તું ચિંતા કરીશ નહિ અને આપણા મનને વ્યાકુળ પણ કરીશું નહીં અને ધીરજ ધારણ કરીશ તો તે જ તારો મિત્ર થઈ તને કામ આવશે. નહીંતર જીવનમાં કરેલી બધી મહેનત એળે જશે.... ભગવાન દુનિયાને જેમ ચલાવે છે, તેની સમજ પડવી મુશ્કેલ છે. પણ આપણે આ સત્યના રસ્તે ચાલવાની આપેલી બુદ્ધિના અણસારે ધીરે ધીરે પગ મુકી ચાલશું , તો તે  આપણને આપણા મુકામે જરૂર પહોચાડી દેશે....

માણસ જો આ ધીરજ રાખે અથવા  ધીરજથી કાર્ય કરવાની વૃતિ ધરાવે તો તે બધાં કામોમાં સફળ થશે જ,. જેમ આંબા ના ઝાડને પાણી પાઈ ધીરજ રાખીવી કે રાહ જોવી પડે છે અને એ રાહ બાર વર્ષ ની હોય છે એટલે તો આપણા ગુજરાતીમાં કહેવત પડી છે કે ઉતાવળે આંબા ના પાકે એટલે જેમ જેમ ઋતુ ચક્ર બદલાય તેમ તેમ કુદરત એની મેળે ઉછેર કરે અને એક સમય એવો આવે કે એ વ્રુક્ષ કે ઝાડ ને ફળ આવે.

કબીરજી ના એક દોહામાં એવું કહે છે કે મનુષ્ય જો હાથીની જેમ ધીરજ ધારણ કરે તો તેને સવામણ જેટલું ખાવાનું મળે. એટલે તેના ભાગ્ય અનુસાર જે મળવાનું છે, તે મળી રહેશે. પણ અધીરો થશે તો કુતરાની જેમ એક ટુકડા ખાતર ઘરે ઘરે ભટકવું પડશે. અર્થાત્ અધીરાઈ કરી કર્મોનું પોટલું બનાવી તેને ભોગવવા ભવોભવ ભટકવું પડશે.


કુદરત કે તત્વ કે ગુરુ ને અનુસરીશું તો તે કાયમ એક વાત પર જ ધ્યાન આપે છે પ્રતિક્ષા અને તિતિક્ષા એટલે કે રાહ જોવી અને ધીરજ ધરવી છતાં આપણે આપણી આ સોનાની જાળ ને પાણીમાં નાખી દઈએ છીએ અને પછી કહીએ છીએ હે ભગવાન બહાર કાઢ...સમય કે સમય જેવું કશું જ નથી પણ આપણે આ ઉભા કરેલા કારણો અને સંસારિક સમસ્યાઓ ને લીધે આ ધૂંધળું કે અસ્પષ્ટ દેખાય છે પણ આપણે જો  લક્ષ્ય ને ધ્યાનમાં રાખીએ તો ધીરજ જ કામ લાગે છે અને એ જ ઉધ્વ્વગતિ કરાવે છે....જય ભગવાન.

Monday, October 19, 2015

જીવનના અનુભવ : મઝા

જીવનના અનુભવ : મઝા

ગઈકાલે વડોદરા જવાનું થયું અને જાગ્રત ચેતન્ય શ્રી વાલજીદાદા ની મુલાકાત થઈ અને એક આંતરિક સાધના કે જાગર્તિ કેવી રીતે રાખવી તેની ઊંડાણમા સમજ આપી.. અને આપણે લેતા મઝા કે આનદ ની વ્યાખ્યા ની પણ એક સમજણ આપી, આ સમજણ જે લોકો જાગ્રતિ ને ર્સ્સ્તે છે, તે લોકો ને ખાસ સમજવાની જરૂર છે....મેં એક પ્રશ્ન પુછીયો કે “વાલજીદાદા આપણે આ આનદની મઝા ને નિરંતર માણવા શું કોઈ નાના પ્રયોગો કે અન્ય કોઈ રીત હોય કે તેનાથી આ મઝા નિરતર રહે તેવો કોઈ ઉપાય બતાવો .....

તેમણે જવાબ ખુબ જ સહજતાથી અને સરળ શબ્દોમાં આપીયો ...કે  આપણે અત્યારે શબ્દોની રમત  જ રમીએ છીએ અને એમાંથી ઉપજતી એક આર્ટીફીસીયલ આનદ ની અનુભૂતિ કરીએ છીએ અને આ શબ્દો આપણ ને રમાડે છે, અને જો આપણે આ કહેવાતી મઝા લઈએ તો જેટલું જ આ કહેવાતું સુખ મળે છે એટલું જ દુઃખ સામે આવીને ઉભું રહે છે અને આ મઝા ધડી પછી સજા બની જાય છે પણ જો આ સુખ કે દુઃખની જોડે એટેચ ના થઈએ અને દરેક પરીસ્થિતિની અંદર આપણી અંદરની જાગૃતિ ને લક્ષ્યમાં રાખી સહજ અને સરળ રહીએ તો આ કહેવાતું સુખદુઃખ આપણને અડતું પણ નથી અને જતું રહે છે પણ જો આની મઝા લીધી તો જેટલીવાર આ મઝા માણવા જશો તેટલી આપણે બેહોશી તરફ આગળ વધીશું અને આ શબ્દો ના ગુલામ બનીને રહી જઈશું,અને આપણી અંદરની ઉર્જા ખર્ચી નાખીશું,આપણું હોવા પણું વૈશ્વિક છે અને આપણે આની જોડે એટેચ થઈને મન ના ગુલામ બની જઈએ છીએ, આ આનદ તો નિરતર સત્ય અને સાસ્વત છે, આને અનુસરવા કોઈ પ્રયોગો કે અન્ય કોઈ રીત નથી કેમ કે એ રીત પણ અહંકાર જ કરાવે છે માટે જેટલું સરળ અને સહજ જીવાય તેટલુ જીવવું કેમકે જે લોકો આ વિધિ કે અંધશ્રદ્ધા કે પ્રયોગોમાં પડે છે તે બધા સુખદુખ ને સામેથી આમત્રણ આપે છે અને પછી અલગ અલગ માર્ગ શોધે છે અને ભટકી જાય છે....

આ પ્રશ્ન પૂછ્યો એટલે એમણે એક રસ્તો જરૂર બતાવીયો કે દરેકની સ્થિતિ અલગ અલગ અને પંથ અલગ અલગ જ છે પણ આ તારા સ્વભાવ અનુશાર એક રસ્તો બતાવું છુ કે જયારે જયારે આ મઝાની અનુભૂતિ થાય ત્યારે આપણે આપણી અંદર ની ગાડીનો ગેર બદલી લેવો અને જાગ્રતિ સાથે વરતવું એટલે બુદ્ધિમતા અલગ પડી જશે અને વિવેક ઉઘડશે અને એ વિવેક જ આગળ નો માગદશન આપશે, કેમ કે  આ નો પ્લાનીગ ગુડ પ્લાનીગ જેવું છે અને સહજતા આપણા સ્વભાવને એ ક્ષણે જ બદલી નાખશે અને અંદર સદા ને માટે રહી જશે ....

આપણે સુખમાં છકી જઈએ છીએ અને દુઃખમાં નિરાશા કે હતાશામાં ગરકાવ થઈ જઈએ છીએ અને પછી આપણે જ આપણો ખાડો ખોદીએ છીએ અને આ આનદ નો માગ ચુકી જઈએ છીએ...પણ જેટલી જાગ્રત ચેતના છે તેઓં ને જોઈશું તો તેઓ દરેક પરીસ્થિતિને વેલકમ કરશે અને અટેચ નહિ થાય અને દુરથી આ નિહારશે...અને મઝા લેવામાં પણ રસ નહિ દાખવે કેમકે તેઓં આનું પરિણામ અનુભવી ચૂકયા છે એટલે આ મઝા ની સઝા કયારેય નહિ બને ...
આપણે પણ આમાંથી શીખીએ કે આ કહેવાતી મઝામાં ના પડીએ અને સાચા આનદ ની પ્રતીતિ કરીએ  કે જે આપણી અંદર જ છે અને આપણે જેમ જેમ જીવન જીવીશું તેમ તેમ તે ખુલશે અને દેખાશે ...

વડોદરાથી પાછા આવતા જે હાઈવે પરથી પરત ફરી રહયા હતા તે માર્ગે પણ આ સમજણ આપી કે જેમ જેમ આગળ વધીએ તેમ તેમ આપણે ગાડીનો ગેર બદલીએ અને જયા લાગે ત્યાં બ્રેક મારીએ અને જયા ર્સ્સ્તો ખુલો મળે ત્યાં વિવેકથી આગળ વધીએ ...અને આપણી અંદરની ઉર્જા નો વ્યય અટકાવીએ....જય ભગવાન.

Saturday, October 17, 2015

જીવનના અનુભવ : રમત

જીવનના અનુભવ : રમત

ગઈકાલે એક રમત રમવા મળી એ હતી સંગીત ખુરશી ....

જોતા આવડે તો આ રમત આપણને ઘણું બધું શીખવાડી જાય છે....એકવાર સંગીત ચાલુ થાય તે જે પ્લેય કરતું હોય તે માણસ રમત ની બીજી તરફ મો રાખીને બેસે અને એના સંગીત ના ચાલુ બંધ થી આપણે આપેલ ખુરશીમાં બેસી જવાનું............છે ને સરળ પણ જયારે રમવાનું ચાલુ કરો એટલે અંદર એક જાગ્રતિ થાય કે જલ્દીથી ખુરશી પકડી લવું અને બેસી જવું ...અને લગભગ ૧૦ ખુરશીથી ચાલુ કર્યું તું તેમાં હું ફક્ત ૭ ખુરશી સુધી જ પહોચીયો અને રમતની બહાર નીકળી ગયો ...પણ એક સમજ કે શીખ મળી ...

જીવનમાં પણ આપણે આ કુદરતના સંગીતની ધૂન પર નાચીએ છીએ અને ગાઈએ છીએ અને સમય રૂપી કે જીવનના વર્ષ રૂપી આ ખુરશીમાં એક પછી એક આગળ વધીએ છીએ અને રમતની મઝા લઈએ છીએ અને લગભગ આપણી દ્રષ્ટી આખા જીવન દરમિયાન આ ખુરશી ને પકડીને બેસવામાં વિતાવીએ છીએ અને એક વાર બેઠા પછી ઉભા થવાનું નામ લેતા નથી કે જીદે ચડીએ છીએ પાછુ ચક્કર ચાલે છે અને જીવનનું મધુર સંગીત વાગે છે અને તે દરમિયાન પણ આપણે આખી રમતમાં નિયમો થી ચાલતા નથી અને ચાલાકી કે કપટથી થોડી છુટછાટ લઈએ છીએ અને જો રમતની બહાર નીકળી જવાનું થાય તો એક આઘાત લાગે છે અને એને કટુ હાસ્યાસ્પદ બનાવીને નિસાસા નાખીએ છીએ અને જે રમતમાં આગળ નીકળતા હોય તેના પ્રત્યે ક્ષણભર દ્વેષભાવ જન્માવીને આખી રમતની મઝા બગાડી નાખીએ છીએ...રમતના નિયમમુજબ એક જ વિજેતા બને છે અને તે આપણે જ હોવા જોઈએ તેવી લાલસા જન્માંવીએ છીએ....

કુદરત કે ભગવાન કે તત્વ પણ આ રમત જ રમી રહ્યું હોય તેવું લાગે છે કેટલાય જીવને રોજ રોજ જન્મ આપે છે અને કેટલાય ને પાછા બોલાવી લે છે...પણ આપણે આ કુદરતના નિયમો જાણતા હોવા છતા અજાણ બનીને જીવન વ્યતીત કરવાની ઘેલછા કે ઈચ્છા  કરીએ છીએ,જીવતરના દરેક સમય પર નજર કરીશું તો તે આપણી જોડે જ લાગે કેમકે દરેક વખતે તે આંગળી આપે અને આપડે તેનો પહોચો પકડીએ અને પછી હેરાનગતિને આમત્રણ આપીએ ....એ દરેક વખત છોડવાનું શીખવે અને આપણે પક્કડ જમાવીને હટવાનું નામ ના લઈએ અને જીદે ચડીએ એટલે એ નાના નાના દંડ આપી નિયમોનું ભાન કરાવે અને આ જીવનની ગતિ આગળ ધપાવે ....આપણે આખા જીવતરની રમતમાં જો આ છોડવાનું કે પક્ક્ડવાનું  શીખી જઈએ તો ક્યારે દુઃખ દર્દ આવે જ નહિ અને જીવનની સમાન ગતિ જાળવાઈ રહે .....

ગુરુ કે તત્વ પણ આપણને આ દરેક વખત સમજાવે અને એટલું ઊંડું સમજાવે છતા આપણી વૃતિ ને આપણે ના સમજી માં બરબાદી તરફ લઈ જઈએ....ઉદાહરણરૂપે  ગુરુ કહે આ આગ છે,આ પાણી છે, આ જીવન છે,આ સંબંધો છે, એમ અલગ અલગ સરળ ભાષાઓમાં આપણને અનુકુળ હોય તેવી રીતે સમજાવે પણ આપણે આને અનદેખી કરીએ અને આપણે આપણું લક્ષ્ય ચુકી જઈએ,અને ફરિયાદો નો આરંભ કરી દઈએ અને આમાં મારો વાંક જ નથી,વાળી વૃત્તિઓ અપનાવીએ ....પણ ગુરુ પણ આ રમતની મઝા લે અને આપણને દરેક પરીસ્થિતિમાંથી બહાર કાઢે અને રમાડે.....

ખરી રમત તો એ છે કે આપણે એના નિયમોનું પાલન કરીએ એટલે જીત મળે કે ન મળે અનુભવ તો જરૂર મળે અને એ અનુભવ ને આધારે આપણે રમત રમીએ.....જય ભગવાન.



Friday, October 16, 2015

જીવનના અનુભવ : નજર

જીવનના અનુભવ : નજર

અમદાવાદ સ્થિતિ એક હાઈકલાસ  કલબમાં ગરબાનો કાર્યક્રમ શરૂ થાય ત્યારે એક માતાજી એટલે આદ્ય શક્તિની એક આરતી ગવાય છે, અને આ આરતીમાં નાના મોટા જોડાય છે, અને ઘણા લોકો આ આરતી ભક્તિ ભાવ થી ગાય છે, પણ ઘણા લોકો કહવેતા ભાવથી ગાય છે અને તેનું નાટક કરે છે, અને ઘણા લોકો તો આવડતી કડી જ ગાય છે, તો ઘણા શાંત ઉભા હોય છે,અને ઘણા હાથ જોડીને ઉભા રહે છે, આ તો થઈ આરતીની વાત, પણ આ આરતીને માણી રહેલા લોકોની અને આ બધી વિધિવત કાર્યક્રમોની એક વિડીયોગ્રાફી થતી હોય છે, અને માથે થી એક કેમેરો આ બધી ક્ષણોમાં થઈ રહેલી ગતિવિધિઓ એકત્રિત કરે છે અને બાજ નજર રાખે છે..આ એક સામાન્ય પરીસ્થિતિ છે.........

નજર........ આપણે આ નજર પર ધ્યાન કોઈ વખત જ પૂરેપૂરુ આપીએ છીએ ...જેમ .........
ભિખારીની કે નોકરિયાત કે ભુખીયાની નજર એને મળતા રૂપિયા કે ભોજન પર જ હોય....
ચોરની કે અકૃત્ય કરનાર ની નજર તેના બચાવ પ્રત્યે જ હોય...
સારા શરીર વાળા સ્ત્રી કે પુરુષ ની નજર હમેશા કહેવાતા રંગરૂપ પર જ હોય....
દુકાનદાર કે બિઝનેસ કરતા લોકો ની નજર તેના ગ્રાહક પર જ હોય....
ટ્રાફિક પોલીસ કે ડ્રાઈવર ની નજર ....રસ્તા પર જ હોય.....
હવે અત્યારના યુગ કે ટેકનોલોજી મુજબ આ બધાની ઉપર કેમેરો મૂકી કોઈ સત્તાકીય કે બીનસતાકીય નજર રાખતું હોય છે....ખેર આ તો થઈ બાહ્ય જગત ની વાત ...પણ આંતરિક જગતમાં કઈ અલગ જ છે.....

એક અનદેખી સતા કહો કે ભગવાન કે માલિક આપણા દરેક સારા નરસા કર્મની ક્ષણે ક્ષણ ની નોધ રાખી રહયો છે અને સત્કર્મ કે સારા કર્મનું એ કેશપેમેન્ટ કરે છે અને દુષ્કર્મ કે ખરાબકર્મ નું ઉધાર ખાતે નાખે છે અને એક મર્યાદા પછી તેનો હિસાબકિતાબ કરે છે અને એમાય એ છુટછાટ આપીને આપણા કર્મોના હિસાબ જન્મો જન્મ સુધી રાખી સુધારવાની તક આપે છે ...

આપણે આ નજર પર ધ્યાન આપીશું તો આપણી અંદર એક જાગૃતતા કે સભાનતા કેળવાશે અને જીવનમાં થતી ભૂલો પર પડશે અને તેમાં રહેલા તત્વરૂપી કુદરત કે ભગવાનના માર્ગદર્શન કે માર્ગદર્શિકા આપતું જણાશે અને આપણી અંદર જ તેનો વાસ છે તે પ્રગટ થશે અને જીવનની ઉદ્વવગતી મળશે અને આ નજરમાં જે આશીવાદ કહો કે કૃપા કહો તેની સાચી અનુભૂતિ થશે અને જીવન સ્વર્ગરૂપી  કે ધન્ય લાગશે.....

કુદરત કે ભગવાન કે ગુરુ આ આપણામાં રહેલી ઉણપ કે અધુરીયત ને કોઇપણ શર્ત વિના નિસંકોચ રીતે નિરંતર પૂરૂ  કરતુ જ રહે છે પણ આપણે આ નજરને કદી જોતા જ નથી અને આપણા કહેવાતા સંસારિક  કે ધર્મધાર્મિકતા કે રંગરૂપ કે સાચા ખોટના ભેદભાવમાં જ પડીયા રહીએ છીએ અને ક્ષણે ક્ષણે એકની એક ભૂલ વારંવાર કરતા જ રહીએ છીએ......

આ નજર પર જયારે આપણા જીવનનું ધ્યાન કેન્દ્રીત કરીશું તો આપણે સાચા અર્થમાં કેવા માણસ કે કેવો આત્મા છીએ તેવું દેખાઈ આવશે અને સુધારવાની તક મળશે અને જન્મો જન્મથી જે ભૂલો કરી રહયા છે તેમાંથી બહાર નીકળવાની પ્રેરણા મળશે...આને નજર અંદાજ ના કરશો .....જય ભગવાન.

Wednesday, October 14, 2015

જીવનના અનુભવ : વાણી કે વાણી વિલાસ

સવારથી આંખ ઉઘડે અને રાત્રે આંખ મીચાય ત્યાં સુધી આપણે ધ્યાન આપીશું તો બેફામ વાણીવિલાસ કરીએ છીએ,જયા ના બોલવાનું હોય ત્યાં બકબક કરી રાખીએ છીએ અને જયારે બોલવાનો મોકો મળે ત્યારે ચુપ રહીએ છીએ ...ગજબ છે ને ....!!!

આપણે આ વાણી નો જે વ્યવહાર કરીએ છીએ તેમાં બુદ્ધિમતા,જ્ઞાન ,સ્મૃતિ,આવડત,ગમો અણગમો,ઈર્ષ્યા ,દ્રેવ્શ,બદલો લેવાની ભાવના અને આવા કેટલાય પરિબળો કામે લગાડીને આપણા ફાયદામાં હોય તેને જ પ્રધાન્ય આપીએ છીએ અને વાણીવિલાસ કરીએ છીએ ...અત્યારના આ યુગમાં ઘણા લોકો કલાકોના કલાક ફોન કે મોબાઈલમાં વિતાવે છે અને આ ડીઝીટલ વાણી વિલાસ કરે છે ...તો ઘણા લોકો આજુબાજુ ના પાડોશી કે સગાવ્હાલા ના બાહ્ય વ્યવહારને જ વરગી વાણીવિલાસ કરે છે ...તો ઘણા વેપારી કે બિઝનેસમેન કે નોકરિયાતવાળા લોકો ખુશામતખોરી કે સ્વાર્થીપણું હોય તેવી વાણીવિલાસથી કામ ચાલવે છે...આ ખોટું નથી પણ આમાં એક મર્યાદા હોવી જોઈએ.

ક્યારેય ક તો આપણે બહેરા મૂગા ને જોયા જ હશે અને જો તેમના વહેવારથી પરિચિત હશો તો એક મર્યાદા કે એક સમજ દેખાશે તેઓં ક્યારેય નકામી વાણીવિલાસથી પોતાની એનર્જી નહિ બગાડે...કહેવાય છે ને પ્રેમ ની કોઈ ભાષા નથી કે, નથી કોઈ યોગ્ય વાણી , પ્રેમ એ તો ન બોલો તો પણ વ્યક્ત થાય છે...

આખી દુનિયામાં આપણે જોઈશું તો કેટલીય ભાષાઓ છે અને કેટલીય બોલીઓં છે પણ દરેકમાં પ્રેમ વ્યક્ત કરવાની રીત એક જ છે...આપણે સમય સંજોગોને કે સંબંધોને આધીન હોઈએ તો વાણીથી ના બોલાવીએ તો સામેવાળો જો નબળો હશે તો તે ખોટું લગાડશે અને બદલો લેશે,આ આપણી વૃતિ છે...પણ જો તેની જોડે બેફામપણે વાણીવિલાસ કરીએ તો ખુશ થશે આ તે કેવું ..!!! આપણો તેના પ્રત્યેનો ભાવ કે પ્રેમ કદી ઓછો થતો જ નથી પણ તેને કદી આ સમજાતું જ નથી,અને આપણે તેને સમજાવવી શકતા પણ નથી કે કોઈ પુરાવા આપી શકતા નથી

કુદરત કે ભગવાન કે તત્વ ને જોઈશું તો બધે એક મોંન છે
વાણીવિલાસ રહિત નો પરિચય છે આ આખો સંસાર ...
ઝાડ કે ફૂલ પાન કે વનસ્પતિ કે સૂર્ય ચંદ્ર તારા આકાશ કે જે સાશ્વત છે તે બધે મોન છે,ઋષિઓ કે મુનીઓં કે સંત સાધુ બધા આ મોન ને જોર આપે છે અને જોઈએ તેટલું જ બોલે છે આ સિવાય પશુપક્ષી કે જીવ જંતુ પણ માર્યાદિત વાણીવિલાસ કરે છે બસ એક માણસ ને જ વાણી નો ભોગ વિલાસ કરવાની ટેવ પડી ગઈ છે, જે લોકો જરૂર મુજબ વાણી નો ઉપયોગ કરે છે તેઓં જાણે છે આની મહત્તા,તોલી તોલીને બોલવું એ સજ્જન માણસ ની નિશાની છે પણ અણઘડ કે બેફામ વાણીવિલાસ એ આપણી અંદર રહેલી નકારાત્મકતા છતી કરે છે



જીવનમાં આ ક્ષણથી એક કામ તો જરૂર થી કરીએ બને તેટલુ ઓછુ બોલીએ અને જરૂર જણાય ત્યાં સમતા રાખીને કે વાણીવિલાસ કરીએ, કટુતા ભરી વાણી કે અભ્રદ વાણી ને જાકારો આપીએ આ બસ એકવાર આપણા રોજબરોજના વહેવારમાં લાવીશું તો આપણી અંદર જે આંતરિક એનજી કે ઉર્જા માં વધારો થશે તે આપણને અને જગતને ખબર પડશે અને છુપાયો છુપશે નહિ અને એક જગતમાં સકારાત્મક ઉર્જામાં વધારો થશે અને આખા વિશ્વને આની અસર કરશે....જય ભગવાન.

Tuesday, October 13, 2015

જીવનના અનુભવ : શક્તિ

જીવનના અનુભવ : શક્તિ

શક્તિ એટલે આપણા અંદર રહેલી ઉર્જાનો ભંડાર કે જે શારીરિક કે માનસીક કે ભાવવીક હોય છે, આજથી શરૂ થી આધશક્તિ નો મહોત્સવ એટલે નવરાત્રી,આપણે આ શક્તિ ના પર્વ ને ઉત્સવ તરીકે ઉજવીએ છીએ પણ ખરેખર આ આપણી અંદર રહેલી આધ્યાત્મિક ઉર્જા રૂપી સ્તોત્ર ની જે અપાર શક્તિ છે તેનો પ્રાગટ્ય કરવાનો મહોત્સવ છે.

શક્તિ આપણે જાણીએ છીએ કે મારા માં હજી શક્તિ છે, આ એ શક્તિની વાત નથી એ તો શારીરિક શક્તિ છે પણ જે શક્તિથી આખો માહોલ કે વાતાવરણ ઉર્જા થી ભરાઈ જાય અને એક અનરો નજરો જોવા મળે અને આ આપર શક્તિથી અંદર રહેલું મન અને તન સિવાય ચિત પણ થનગની ઉઠે એટલે નવરાત્રી.......

આપણા ગુજરાત ની આ અનોખી પરમ્પરા કે સંસ્કાર કહો આ આ નવરાત્રીની રાહ કોઇપણ ઉમરના લોકો જોતા હોય છે...પણ આપણી અંદર જે ચિત ની પ્રસન્નતા પર ધ્યાન આપીએ તો એક અલગ પ્રકારની લાગણીઓના ઉભરા આવશે અને નાનું બાળક હશે તો તે પોતાના જ અલગ અંદાજ મુજબ હરખાશે અને રમશે અને યુવાન હશે તો તે તન કે શરીર પર ધ્યાન આપશે અને દેખાદેખીમાં કે કહેવાતી મોજ મજામાં ખેલશે અને રમશે અને વૃદ્ધ કે ઉમરલાયક લોકો પોતાના અનુભવ મુજબ ઉપવાસ કે એકટાણુ કરી આધશક્તિની ઉપાસના કરશે પણ જે લોકો આધ્યાત્મિક સાધના તરફ આગળ વધેલા છે તે લોકો પોતાના મન ને શાંત કરવાની અને બને તેટલુ ઓછુ બોલવાની અને વાણી વિલાસ પર આ નવ દિવસ પૂણવિરામ મૂકી અંદર ઉઠી રહેલા ભાવ જગતમાં મુક્ત વિહારશે અને આ શક્તિની આનદ કે મોજ માણસે

દેખાદેખી કરવી અને આ નવરાત્રી ઉજવવી એ તો આપણે આદત મુજબ વાકેફ છે પણ આ નવરાત્રીમાં બીજું પણ એક કામ કરીએ કે બને તેટલુ  આપણી આંતરિક ઉર્જા કહીએ કે શક્તિ કહીએ તેને વ્યય થતી અટકાવીએ ....

કુદરત કે ગુરુ કે તત્વ ની દ્રષ્ટી થી જો આ ચાલી રહેલા વર્તમાન કાળ પર નજર રાખીશું તો આ શક્તિ દરેક જીવમાં દેખાશે અને સમજાશે, શિવ ને અને શક્તિને જે લોકો ખાલી રંગરૂપ કે આકૃતિથી જ જાણે છે પણ જે લોકોને આની એક ઝલક પણ મળી હશે કે જોઈ હશે તે લોકોને આ શક્તિનો પરિચય થયો હશે  કેમકે આ સમજવાની કે સમજાવવાની જરૂર નથી પણ અનુભવવાની છે એટલે આ નવરાત્રીએ આપણે આપણા અંદર ઉઠતા ભાવને જોવાની છે કે શક્તિના આ પહેલા નોરતે શેલપુત્રી સ્વરૂપે આવે છે તેની ઓરખવાની જરૂર છે.....જય ભગવાન.

Monday, October 12, 2015

જીવનના અનુભવ : હોશિયારી કે ચાલાકી

જીવનના અનુભવ : હોશિયારી કે ચાલાકી       

આપણા જીવનમાં આ હોશિયારી કે ચાલાકી જ આપણને ભારે પડતી હોય છે,ઘણા આને ઓવર કોન્ફીડન્સ કહે તો ઘણા નકામી છેતરપિંડી કહે બધું આપણા જીવન કે જીવતરની પ્રગતિ માં બાધારૂપ બનતું હોય છે,કેમકે ખાલી આપણને જ ખબર હોય છે કે આ હોશિયારી કે ચાલાકી મેં અહી વાપરી કે ત્યાં વાપરી,આપણે દરેકમાં ઊંડાણ પૂર્વક જોઈશું તો ખબર પડશે ... અને જો જો.જે લોકો ..બહુ હોશિયારી કે ચાલાકી વાપરશે તો ત્યાં જીવનસાથી પણ તેને એવો જ મળશે અને એના સંબંધોનું વર્તુળ પણ એવું જ હશે....

ઘણા લોકો પોતાની બેહોશી કે નિષ્ફળતા કે આળસ ઢાંકવા માટે હોશિયારી કે ચાલાકી કરશે......તો
ઘણા પોતે હશે તેના કરતા વધારે હોશિયાર છે તેવું બતાવશે.....અને
ઘણા હોશિયારી એવી કરશે કે જાણે એ તો કઈ જ જાણતા નથી ...(પણ બધું બીજેથી જાણીને બેઠા હોય)અને
ઘણા જયા હોશિયારી વાપરવાની હોય ત્યાં નહિ વાપરે અને ના વાપરવાની હોય ત્યાં વાપરશે....(આ મારા જેવા હશે કે છે...) ઘણા અણસમજુ હશે તો હોશિયારી કે ચાલાકી વાપરશે પણ સામે વાળો મજબુર હોય કે તેની સ્થિતિ કે પરીસ્થિતિ પોતાને તાબે થવા વાપરે ....આપણે જોઈશું તો ઘણા બધા સ્વરૂપ સામે આવશે અને આ અનુભવરૂપી  લખાણ પણ ઓછુ પડશે...

ઉદાહરણ સ્વરૂપે ....જે લોકો સોનાચાંદી ના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓંમાં કેટલાક જીવનની ગતિથી ઘડાયેલા હોય છે કે અનુભવથી પરિચિત હોય છે...સામેવાળો કેવો દાગીનો છે અને તેમાં કેટલું સોનું છે કે નહિ તે તરત જ પારખી લેતા હોય છે અને સામે એ મુજબ જ વહેવાર કરશે...અને હોશિયારી સમજી જશે અને બુદ્ધિમતાથી કે સમજદારીથી કે વિવેકથી કામ લેશે...પણ કેટલાક એવા હોય છે જે દાગીનાના રંગરૂપ કે આકાર કે અન્યમાં ફસાઈ જાય છે અને હોશિયારી કે ચાલાકી મારશે અને પછી એ જ હોશિયારી કે ચાલાકી એને ભારે પડશે....

આપણે એક સૂત્ર તો વાંચ્યું જ હશે કે
બને તેટલી ચાલાકી નહિ કરો કે ઓછી કરો તો (ગુરુ)કૃપા જરૂર ઉતરશે અને વરસશે
પણ આપણે આ કુદરત કે ગુરુ તત્વ કે ભગવાન ને પણ નથી છોડતા અને ત્યાંપણ આ હોશિયારી કે ચાલાકી કરીએ છીએ, કુદરત ક્યારેય કોઈ ફળફૂલ કે ઝાડપાન ની હોશિયારી કે ચાલાકી પ્રમાણે સૂર્યપ્રકાશ નહિ આપે તે બધાને સમાન દ્રષ્ટિથી જોશે અને વર્તશે...બસ આ માણસ જ આ હોશિયારી કે ચાલાકીથી કઈપણ મેંળવવા આને સાધનરૂપે વાપરશે...

અત્યારના આ યુગમાં પણ જે લોકો અનાથ કે અપંગ કે ખોડખાપણવાળા છે તે લોકો બને તેટલી ઓછી હોશિયારી કે ચાલાકી કરશે કેમકે તેને ખબર જ છે કે તત્વ દરેક સ્વરૂપે મદદરૂપથાય છે તો આ હોશિયારી કે ચાલાકી કરવાનું કોઈ જ કામ નથી આપણે આ જોઈ શકીએ છીએ પણ દુરથી અનુભવ માત્ર કલ્પનાથી જ  કરીએ છીએ  તો આ ક્ષણથી નક્કી કરીએ કે બને તેટલી હોશિયારી કે ચાલાકી ઓછી કરીશું જેથી આ કુદરત કે તત્વ સહાયક બને અને ગુરુકુપા કે આશીર્વાદ ઉતરે કેમકે આ કુપા કે આશીર્વાદ ૨૪ કલાક.. આ ચાલુ જ છે પણ આપણે જોઈ શકતા જ નથી એ આપણી બેહોશી છતી કરે છે....

સમય કે સંજોગોમાં આપણે બીજાને કેટલા મદદરૂપ થઈએ છીએ તેવી જો હોશિયારી કે ચાલાકી કરીએ તો તે ભગવાનદોડતો મદદ કરવા આવે છે અને આપણી જોડે જ રહે છે આ મારો અનુભવ છે.....જય ભગવાન.
                                                                 



Thursday, October 8, 2015

જીવનના અનુભવ : ઉત્સુકતા

જીવનના અનુભવ : ઉત્સુકતા

જીવનમાં આપણે શરીરથી નાના હતા ત્યારે ખબર જ નથી પડતી કે આ ઉત્સુકતા શું છે....એક નાનું અમથું રમકડું મળે અને આપણે એને જોઇને ઉછાળા માળીએ અને ટગર ટગર જોયા કરીએ કે શું થાય છે અને કેવું થાય છે...પણ જેમ જેમ શરીરથી મોટા થયા એમ સમજણ આવી અને આપણે રમકડા છોડી ને કોઈ મનગમતી વસ્તુ આપે કે અપાવવાનું પ્રોમિસ કરે એટલે આ ઉત્સુકતા જોવા જેવી હોય ...

ખાસ કરીને મારા જાત અનુભવમાં ઉત્સુકતા એટલે નાનપણમાં ઉતરાયણમાં ધાબે જવું,નવું પેજર વાપરવા મળ્યું તું ત્યારે ,નવો મોબાઇલ ફોન નોકીયા ૭૭૧૦ લીધોતો ત્યારે નવું પી ફોર કોમ્પ્યુટર લીધું તું ત્યારે આ ઉત્સુકતા નો પાર નહતો  મને ખબર છે જયારે હું પહેલી વાર બજાજ સુપર સ્કૂટર લાવ્યો તો ત્યારે અને પછી અલ્ટો ગાડી લાવ્યો તો ત્યારે તેને વાપરવા માટે એટલો બધો ઉત્સાહ ગણો કે ઉત્સુકતા હતી કે રાત્રે સુઈ જવાનું નહતું ગમતું અને દિવસ લાંબો કે ટુંકો કેમ થતો જાય છે તે માપદંડથી જોતો હતો અને આજે પાછુ નવું લેપટોપ લીધું .....એ ક્રમ ચાલુ જ છે....દેવની કૃપાથી લોનથી નવું લેપટોપ લીધું અને આ ઉત્સુકતા નો આજે પણ છે તેવો અનુભવ થયો...

જીવનમાં આ ઉત્સુકતા કહો કે આતુરતા કે ઉત્સાહ આ જ આપણા જીવનને દિશા આપે છે અને જીવનની ગતિ આગળ ધપાવે છે...જો આ ઉત્સાહ નહિ હોય તો બધું ફીકું લાગશે અને જીવનમાં મળતા કોઇપણ અવનવા રમકડા કહો કે કોઇપણ નામ આપો બધું નીરસ કે નિરુત્સાહ લાગશે ...

ઉત્સુકતા નો આપણે બધા એ અનુભવ કર્યો હશે પણ આ સમયે આપણે ભાન ગુમાવીને આપણને મળતા કહવેતા આનદ પાછળ એવા ખેચાઈ જઈએ છીએ અને પછી આજુબાજુ કે દુનિયા શું કરે છે તેનું ભાનશાન પણ નથી રહેતું અને આપણે આપણા આ ઉત્સાહમાં મસ્ત બનીને આનદપ્રમોદ કરીએ છીએ ....આ મોજ કે આનદ તો સંસારમાં દરેક રીતે મળી શકે છે પણ જે પોતાનાપણું હોવું એ આપણા માટે મહત્વનું હોય છે....લગ્ન હોય કે ઘર હોય કે આપણા સંતાન હોય કે નવું વાહન હોય અત્યારની આ ડીજીટલ દુનિયામાં ફોટોગ્રાફ્સ કે વિડીયોગ્રાફીથી આ મહત્વના પળો કેદ કરી શકીએ છીએ અને પછી જયારે શરીરથી મોટા થઈએ ત્યારે આ સ્મુતી એટલી બધી આનદ દાયક લાગે છે કે જીવનનું સાચું સુખ આ જ છે અને સ્વર્ગ પણ અહી જ છે તેવી અનુભૂતિ થતી હોય છે... આ ઉત્સુકતા આપણા સંબંધો અને લાગણીઓમાં જેમજેમ શરીરથી મોટા થઈએ છીએ તેમતેમ શી ખબર ઘટી કેમ જાય છે.......

ગુરુ કે કુદરત કે ભગવાન ગણો આ ઉત્સુકતાનો જે ભાવ છે તે આપણા જીવને ગતિ કરવા મુકયો હોય તેવું લાગે છે...સૂર્ય ઉગતો હશે ત્યારે જે ઉત્સુકતા અન્ય પશુ પંખી કે જીવ જંતુ કે પ્રાણીઓમાં ખાસ જોવા મળે છે અને કુદરતની આ લીલા ગણો કે રમત એક મોજ આપી જાય છે.....જય ભગવાન.




Tuesday, October 6, 2015

જીવનના અનુભવ : સુખ અને સુખી

જીવનના અનુભવ : સુખ અને સુખી

જીવનમાં સુખ અને સુખી થવું કયા માણસને ના ગમે !!!

સુખ આ અનુભૂતિ આપણને એક અલગ આનદ આપે અને આપણે આપણા આ કહેવાતા સુખમાં જ રાચીએ અને બીજા પ્રત્યે અનદેખી કરીએ છીએ મારા અનુભવ મુજબ દુઃખ તો આપણને જગાડવા આવે છે પણ સુખ તો આપણને ભાન ભૂલાવવા જ આવે છે કેમકે જયારે જયારે સુખનો અનુભવ થાય એક તુપ્તી કે સંતોષ થાય અને બસ તેમાં જ આપણે પડીયા રહીએ છીએ અને આખા જગત પ્રત્યે અન્દેખીયું વલણ અપનાવીએ છીએ,જેમકે

કોઈને ખાવા અને પીવા મળે એટલે એને મન સુખ....
કોઈને જોઈતું પાત્ર મળે એટલે એને મન સુખી ની અનુભૂતિ....
કોઈને ધન દોલત તેની હેસિયત કરતા વધુ મળે એટલે એ પોતાની જાતને સુખી ગણે....
કોઈને સુંદર રૂપ મળે કે સારુ શરીર મળે એટલે એ મનથી પોતાને સુખી માને ...
આ બધા તો ઉદાહરણ છે,પણ જે લોકોએ આની અનુભૂતિ કરીએ હશે તે અલગ જ આનંદમાં મગ્ન હશે...

સુખ અને એ પણ બેહોશ કરે ....વાત ગળે નથી ઉતરતી ને પણ હક્કીત છે કે આપણને ગમતું કે પ્રિય મળી જાય પછી એ થોડા સમય સારું લાગે અને પછી એ જ આપણને છોડીને બીજું પકડવાનું કે કરવાનું મન થાય ...એક માણસ ને ગળિયું (એટલે કે મીઠો સ્વાદ)બહુ જ ભાવે તો તેની કેપીસીટી મુજબ એક,બે,ચાર,છે,કે આઠ વાળ ખાશે પછી કહશે બસ હવે નહિ અને એક સમય એવો આવશે કે તેને મીઠાસ પ્રત્યે દુઃખ લાગશે પણ જો આને સમતા રાખીને અને હોશપૂર્વક વર્તવામાં આવે તો તે આપણને જીવનમાં સુખી થવા સહયોગી થાય છે....સુખ જેવું કઈ હોતું જ નથી પણ આપણી ઈચ્છાની પુરતીને આપણે સુખનું લેબલ લગાડી દઈએ છીએ ...જીવનના દરેક પ્રસંગ ને જો ધારીને જોઈશું તો આ સુખ જ આપણને ભ્રમણા માં મુકશે...અને પછી આપણે આપણું હિત જોઇને સામે વર્તન કરીશું ...અને સુખી છે તેવું દેખાડીશું ...

જીવનમાં જે લોકો આ સુખ દુઃખ કે સુખી કે દુઃખીના ચક્કરમાં છે તે જીવનની સાચી મોજ લઈ શકતા નથી કેમકે કે પોતાના જ તરફ દ્રષ્ટી રાખીને વાણી વતન કે વહેવાર કરે છે અને આમાંથી બહાર નીકળી શકતા જ નથી....પણ કુદરત કે ગુરુ તત્વ ને જોઈશું તો તે ૨૪ કલાક અને ૩૬૫ દિવસ એટલે કોઇપણ ક્ષણ એક મોજમાં હોય છે કેમકે તે આ સુખ દુખના ચક્કર જાણે છે અને તેઓં તેના પ્રત્યે સભાન છે એટલે કોઈ કાળે આ અનુભૂતિ પજવતી નથી આવે તેને માણે છે પણ પુરેપુરા સભાનતાથી અને જાય તેને જવા દે છે તે પણ  પુરેપુરી સભાનતાથી ....હા ...પણ બેફીકર કે બિનજવાબદારી વાળું નહિ હો.....આ સમજણ કે વિવેક થી હેન્ડલ કરે છે એટલે હર ક્ષણ એક અલ્લોકિક આનદ કે મોજમાં જ રહે છે....

આપણે જોઈશું તો જીવનમાં સુખદુઃખ તો આવજાવન છે એટલે જ તો એ આપણને પરીસ્થિતિ કે ક્રિયા પ્રતિક્રિયાના પારખા કરાવે છે અને કહેવાય છે ને દૂધનું દૂધ અને પાણી નું પાણી બતાવે છે...
સાચું સુખ એ દરકે જીવ પ્રત્યે લાગણી,હૂફ કે કદર કે સાચી ભાવના છે,પરીસ્થિતિ ગમે તેવી હોય અડગ રહીને મન મક્કમતાથી બીજાનું ધ્યાન રાખીને જે સુખ મળે છે તેજ સાચું સુખ છે કેમકે તે અહંકાર રહિત છે અને સાશ્વત છે...સુખથી જે લોકો છકી ગયા છે તે આ વાત નહિ સમજે પણ જે લોકો સુખમાં પોતાની સંપૂણ હાજરી રાખે છે અને વર્તે છે તે જ સાચું સુખ છે...જેમ કોઈપર્વત ચઢતા હોઈએ ત્યારે બહુ ધ્યાન રાખવાની જરૂર નથી પણ હા તેજ પર્વત ઉતરતા હોઈએ ત્યારે બહુ જ સાચવીને અને સમજીને ઉતરવું પડે છે અને ત્યારે ધીરજ અને સંયમ કે એકાગ્રતાની વધારે જરૂર હોય છે..... જય ભગવાન.


Monday, October 5, 2015

જીવનના અનુભવ : ભૂખ

જીવનના અનુભવ : ભૂખ

શી ખબર સવાર સવારમાં નાનપણ ની સ્મુતી યાદ આવી ગઈ
મારા નાનીમા પણ અમે તેને દાદી કહેતા અને લગભગ અઠવાડિયે એક માણસ આવતો અને દરેક શહેરી વિસ્તારની પોળોમાં ફરતો અને ફક્ત ઘઉંનો લોટ જ ઉઘરાવતો એટલે તેના ખભે એક ઝોળી હોય અને મીઠા સ્વરે એક ભજન ગાતો માટીના પુતળા તને કેટલું અભિમાન છે ને કેટલું ગુમાન છે .....આ એક ભજનની મીઠી ધ્વની મને એક આકર્ષિત કરતી અને હું બારીએ ઉભો થઈને જોવા જવું અને મને દાદી કહે આ તો એમને ભૂખ લાગે ને એટલે એમના બાળકો માટે ભિક્ષા માગવા આવે અને આપણે તેમને આ લોટ આપીએ અને મને કહે જા નીચે જઈને બોલાવી લાવ અને આપણા ઘર પાસે બેસાડી ને આ આખું ભજન સાંભળ હું પણ અહી બારી પાસેથી સાંભળીસ....આ એક પ્રશંગ એટલા માટે વણવીઓં કે માણસ ને ભૂખ શું કરાવે છે ...

ભૂખએ એક એવી અવસ્થા છે કે માણસ બેચેન બની જાય છે અને કઈ પણ કરવા તૈયાર થઈ જાય છે,એ પછી સારી કે ખરાબની ભાષા જાણતો જ નથી,આપણે આપણા ટીફીન કે થાળીમાં નજર નાખીશું તો એક પેટનો જઠરાગ્નિ શાંત કરવા આપણ ને આખો દિવસ શું શું કરાવે છે....ભૂખના પણ પ્રકાર હોય છે કોઈને ભૂખ અન્નની લાગે તો કોઈને તન(જાતીય)ની ,તો કોઈને ધન ની એટલે કે પસિદ્ધની ...ભૂખ ને શાંત ના કરીએ તેટલી તે આપણા પર હાવી થાય છે...અને સારા નરસા કર્મ ના ફળ અપાવે છે અને આપણે તે ભોગવીએ છીએ ...

ભુખીયા ને જ્ઞાન ની વાતો ના ગમે એટલે જ બધે અન્ન્ક્ષેત્ર ખોલિયા છે,જો ભૂખ શાંત હશે તો એક્ચીતે તે ધ્યાનથી કોઇપણ વાત સાંભળશે પણ ભુખીયા રહીશું તો મન આમતેમ ભટકશે અને બેધ્યાન થવાશે એટલે તો નરસીંહ મહેતા કહી ગયા છે કે તારા આંગણી એ આવે તેને પ્રેમ થી મીઠો  આવકાર આપી જમાડજે જલારામબાપા સાઈબાબા અને બીજા ઘણા બધા સંતો મહતો આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે....

ભૂખ જો અન્ન ની હોય ત્યાં સુધી સારું પણ જો તન(જાતીય) કે ધનની હોય તો આપણને આ બરબાદી ને રસ્તે લઈ જાય છે ધનની ધેલછા એવી લાગે છે કે હોય એટલું ઓછુ પડે છે પણ સંતોષી જીવ હોય તો દરેક પરીસ્થિતિમાં અંદરથી એક મોજીલા હોય છે અને એ સામે આવતી દરેક પરીસ્થિતિ સમભાળી શકે છે એ પછી પોતાના થી  વિપરીત કેમ ના હોય ...


કુદરત કે તત્વ કે ભગવાન ભૂખ મૂકી છે તેનું કારણ આ માણસ કર્મ કરતો રહે અને અંદર થી શાંત થાય આપણે ઉપવાસ કરીશું પણ સાથે કેટલું ફરાળ લઈશું અને આખો દિવસ બીજાને બતાવતા ફરીશું આ કોઈ કામનું જ નથી આના કરતા ઉપવાસ ના કરવો સારો...કોઇપણ ધર્મમાં મન મક્કમ અને શાંત કરવાની સાધના હોય છે અને એજ આપણને કુદરત કે ભગવાનના સાનિધ્યની અનુભૂતિ કરાવે છે બાકી ભૂખ તો એક બહાનું બની જાય છે...જય ભગવાન.


Sunday, October 4, 2015

જીવનના અનુભવ : લખાણ

જીવનના અનુભવ : લખાણ

લખાણ આપણે જો સારું જોઈશું તો તરત કોપી કરીને આગળ મોકલીશું કે વાંચીને ભૂલી જઈશું પણ આ લખાણ ને આપણે આચરણ ના અનુભવમાં નહિ ઉતારતા ફક્ત વાંચીને એક કુત્રિમ આનદપ્રમોદ કરીએ છીએ.કોઈ માણસ દિલ થી લખે તો તેને સારો લેખક ગણાવીશું,કોઈ માણસ દિમાગથી લખશે તો તેને સારો માણસ સમજીશું પણ આપણે આપણા રોજીંદા જીવનમાં અનુભવેલ હોય તેવા લખાણને કોમેન્ટ કરીને કે લાઈક કરીને મન મનાવીશું...કે આગળ ફોરવર્ડ કરીશું

આખા દિવસમાં  એક ...બસ એક જ ...લખાણ ગણો કે સારા વિચારોના પ્રેરણા દાયક કહો તેવા એક જ ને આચરણમાં મુકીશું તો સારા નરસા અનુભવ મળશે અને જીવનની સાચી કીમત સમજાશે...કહેવા ખાતર આપણને લાગશે તો આપણે આ રોજ કરીએ જ છીએ પણ ઓબ્ઝરવેશન કરીશું તો એક પણ સારા લખાણ રૂપી શબ્દને આચરણમાં નહીવત જ મુકીએ છીએ અને કેવળ શબ્દોની રમત કરીએ છીએ.....

કોઈ લખાણ હદયસ્પર્શી હોય તો ભાવુક થઈ જવાય છે અને આંખમાંથી આંસુ નીકળી જાય છે કેમ કે તે આપણા મૂળ સ્વરૂપ ને સ્પર્શ કરી ગયું અને એક અલોકિક ક્ષણ નો આનદ કે મોજ આપી ગયું આ જયારે થાય છે ત્યારે આપણે આપણી જાત ને સદભાગ્ય ગણવું કેમકે દિમાગ વાળા કદી દિલવાળા ને સમજી શકતા જ નથી ....અનુભૂતિ જયારે જયારે કોઈ લખાણ ની થાય ત્યારે તેની જોડે આપણો ભાવ જોડાયેલો હોય છે અને તે સાચો ભાવ જ આપણી ઓરખ છે કેમકે અત્યારના વખતમાં બહુ જ ઓછા લોકો આ સાચા ભાવની પ્રતીતિ કરી શકે છે કેમકે આપણે આપણને શું મળ્યું તે વિચારીને જ લખીએ છીએ કે લખાણને વાંચીએ છીએ કે કોઈ લખાણને આગળ ફોરવર્ડ કરીએ છીએ.

શબ્દો ની રમત તો પુરાણ કાળથી ચાલતી આવી છે અને ચાલતી રહશે પણ પોતાના મૂળ સ્વરૂપને કેટલા ઓરખી શકે છે તે આપણા રોજીંદા અનુભવ રૂપી વાણી વર્તન અને વહેવારમાં કે લખાણમાં જોવા મળે છે એક દિવસ કોઈ લખાણ લખી જોવો સાચા હદયથી કોઇપણ ....અને અંદર નીકળતો ભાવ ને જોવો એક આનદ થશે....રોજ સવારે હું આ અનુભવ લખું છુ અને એક મોજ અવતરે છે અને અનુભવ ની પ્રતીતિ થાય છે અને મારી ભૂલ થતી હોય તો સુધારવાની ખબર પડે છે....રોજિંદુ જીવન સહજ અને સરળ છે પણ આપણે તેને આપણી શરતોનેને આધીન બનાવી દીધું છે અને પછી માથાફોડી એ છીએ કે ભગવાન તું ક્યાં છે...


કુદરત કે ભગવાન કે તત્વ એ કરોડો જીવમાંથી આપણને માનવ શરીર આપીયુ અને માણસ ની ઓરખ આપી અને આપણે કરેલા કર્મોના ફળ સ્વરૂપે જન્મ અને સંબંધો આપીયા અને આપણને સાચા ભાવથી જોડાયેલા રહેવા એક આંતિરક ઉર્જા આપી જે આપણે સાચવીને ખર્ચ કરવાની છે....સુખી જીવન જીવવાનો મંત્ર પોતે ખુશ રહો ને બીજાને ખુશ રેહવા દોખુશી માટે કામ કરશો તો કદાચ ખુશી ના મળે ,…..પણ જો ખુશી થી કામ કરશો તો ખુશી જરૂર મળશે ….સદા મુસ્કુરાતે રહો ,સર્વ કે પ્રતિ શુભ કામના ,શુભભાવના રાખો....બીજું કાંઈ ન આપી શકો તો કાંઈ નહી અન્યને અભિનંદન તો જરૂર આપજો જ.........જય ભગવાન.


Saturday, October 3, 2015

જીવનના અનુભવ : બદલો

જીવનના અનુભવ : બદલો

સમજણ ની શરુઆત થઈને આપણે આ બદલો લેવાની વૃત્તિઓ શીખીયા બાકી કોઈ નાના બાળક કે ગુરુ તત્વ કે ભગવાન કયારે કોઈ બદલો લેતો નથી...કે લેવાનું કહેતો નથી.....

આપણા જીવનમાં આપણે આપણી જોડે થયેલ ગમો અણગમો કે વિપરીત વહેવાર આપણને સામે વાળાની વૃત્તિઓ પ્રત્યે બદલો લેવા પ્રેરતું હોય છે,અને આપણા આખા જીવનમાં જોઈશું તો આ વેરઝેર કે બદલો લેવાની વૃતિ આપણને સંબંધો કે કુદરતની નજીક જતા અટકાવે છે,આ બહુ જ સહજ છે પણ આપણે આપણી બુદ્ધિમતા અને આપણને વારસાગત મળેલ સંસ્કાર વારવાર આ ભાવના જન્માવે છે અને બદલાવૃતિ કરાવે છે,પણ જો એ સમયે આપણે ચેતી જઈએ તો આપણને વારવાર કુદરત કે ભગવાનના સાનિધ્ય ની અનુભતી થાય અને તે દરેક રૂપે મદદરૂપ થાય અને આપણને દેરક પ્રેત્યે પ્રેમ જ દેખાય આ અનુભવ થાય એટલે આપણે એક અલગ પ્રકારની લાગણી અનુભવીએ અને કઈપણ કરિયા વગર એક અંદરની મોજ અવતરે અને દરેક કર્મ કે કાર્ય ની ઓટોમેટિક પ્રેરણા આપે અને જોડે સકારાત્મક અનુભીતી આપે  ..આ અનુભવ લેવા જેવો છે....

બદલો લેવો એ આપણા ખરાબ વ્યવહાર ને ગમે તે સમયે છતો કરે છે અને આખા જીવનમાં આપણે સરવાળો કરીશું તો આ દુર્ગુણ આપણી પ્રગતિને અટકાવતો હોય છે કેમકે આપણે આપણી પોઝીટીવ ઉર્જાને આ નકામા કર્મ કે કાર્યમાં ઠાલવી ને આપણે પોતે જ પોતાના પગ પર કુહાડો મારીએ અને બીજાને જવાબદાર ઠેરવીએ છીએ અને સોથી વધારે બદલો લેવાની ભાવના આપણા નજીકના સંબંધોમાં ખાસ હોય છે. જયારે જયારે આવી બદલો લેવાની વૃતિ જન્મે ત્યારે બુદ્ધિમતાને સાઈડમાં મુકીને ફક્ત પ્રેમની લાગણી જન્માવવી જોઈએ આ આપણને સહજ લાગતું નથી પણ એકવાર જો આ બદલો લેવાની વૃતિ પર વિજય મેળવી લીધો પછી આખો સંસાર તમને પ્રેમ જ આપશે આ જયારે શરુઆત કરશો ત્યારે કસોટી થશે અને પછી ઉતરોતર વધતી જ દેખાશે પણ જેમ જેનો પ્રારંભ છે તેમ તેનો અંત પણ છે એ રીતે એક દિવસ ગણો કે એક ક્ષણ આ કસોટીનો અંત આવશે અને પછી કયારે સામેવાળા પ્રત્યે તમને બદલો લેવાની ભાવના નહિ જન્મે અને તેના દરેક વાણી વર્તન કે વહેવારમાં બસ પ્રેમ જ દેખાશે કેમકે આપણું પોતાનું જ સ્વરૂપ સામે પ્રગટ થાય છે અને આપણી સામે આવીને ઉભું રહે છે...

જેમ જેમ પ્રેમનો વ્યાપ થશે એક જીવનની ગેહરી પ્રતીત થશે અને દરેક વખતે આપણે જીવનની ગતિમાં આગળ વધતા હોઈએ તેમ લાગશે અને જીવન ધન્ય લાગશે ...કેમકે આપણે સામે વાળાની આશા કે અપેક્ષા જ ના રાખીએ કે તે જેવો કે જેવી.....

ગુરુ તત્વ કે ભગવાન કે આખા સંસારમાં જોઈશું તો સૂર્ય ચંદ્ર ઝાડ પાન કે બીજી કોઇપણ સૃષ્ટી આપણે ગમે તેવા વર્તન સામે બસ પ્રેમ અને આનદ જ આપે છે આ નિયમની સમજણ મુજબ જો જીવન વ્યતીત કરીએ તો કયારેય નિરાશા કે હતાશા ના જન્મે અને કોઇપણ વહેવારમાં બદલો લેવાની વૃતિ પણ ના જન્મે....જય ભગવાન.