Tuesday, September 1, 2015

જીવનના અનુભવ : ગુણ અવગુણ

જીવનના અનુભવ : ગુણ અવગુણ

આજે સવારે એક રસ્તા પરથી પસાર થઈ રહયો હતો અને એક માણસ ને બબડતો જોયો અને એની સમજણ જોઈ ......
વાત જાણે કે એમ છે કે એક ખાડો હતો અને આગળ કોઈ જીવદયા કે સારી ભાવના વાળા એ પથ્થર મુકેલો અને આ પત્થર જોડે આ ટુ વિહીલર વારો અથડાયો હશે અને પડી ગયો હશે એવું અનુમાન છે મારું ...

કોઇપણ કાર્ય કે કર્મ કે ઘટના કે પ્રસંગ કે સંબંધ ને જોવાનો માણસજાતની દરેકની અલગ અલગ દ્રષ્ટી હોય છે....

માણસને ગમે તેટલું સમજાવો તે કાયમ અવગુણ તરફ જ દ્રષ્ટી જાય છે અને પછી ફરિયાદો નો ક્રમ ચાલુ થાય છે ...અને પછી સુખદુઃખની અનુભૂતિ અને પછી તેના પરિણામો ની અવગણના...

આટલા દિવસથી આપણા અમદાવાદમાં ઈન્ટરનેટ બંધ છે અને હજી પણ આજથી ચાલુ થવાનું છે તો લોકો અને સમાચારપત્રોમાં લેખ વાંચીને આનદપ્રમોદ તો મેળવે જ છે. અને ગુણ અને અવગુણમાં રમીયા કરે છે...

જીવનની જો સાચી દિશામાં ગતિ કરવી હોય તો આ ગુણ અવગુણ ને જોતા શીખવું પડે અને હકારાત્મક કે પોઝીટીવીટી કયાંથી મળે છે આપણી દ્રષ્ટી તે તરફ હશે તો સાચા આનદ ની અનુભૂતિ થઈ ને જ રહશે...

સૂર્ય,ચંદ્ર,કે તારા કે હવા કે ઝાડપાન .... સૃષ્ટીના કોઈપણ જીવના ગુણ અવગુણ જોયા વગર જ પ્રકાશે કે જીવનની ગતિ કરાવે છે જો આ નિયમ આપણા જીવનમાં ઉતારી લઈએ તો જીવન ધન્ય થઈ જાય...


આપણા સંબંધી કે સગાવાલાની કે જગતના કોઇપણ માણસની અવગણના કે ફરિયાદ જ આપણને કાયમ સુખ દુખ ની જ અનુભૂતિ આપશે પણ જે લોકો દરેકમાં સારા ગુણો જ જોતા શીખીશું તો જીવન સ્વર્ગ બની જશે...  જય ભગવાન.


No comments:

Post a Comment