Friday, September 18, 2015

જીવનના અનુભવ : નિયોજીત કે નક્કી

જીવનના અનુભવ :  નિયોજીત કે નક્કી

નજીકના ચાર રસ્તા પર એક ગાડી વાળો નક્કી જ ના કરી શકે કે કયા જવું છે અને આમથી તેમ ફાફા મારિયા કરે અને જોયું તો તે બહારગામથી આવીયો હોય તેવું લાગ્યું અને કોઈ સરનામું શોધતો હોય તેવું લાગ્યું અને અચાનક નક્કી જ કરી લીધું ના હોય તેમ પાછો જે રસ્તે હતો ત્યાં વળી ગયો અને મેં આ દ્રશ્ય જોયું અને એક સમજણ થઈ......

રોજબરોજ આપણે પણ આવું જ કરીએ છીએ સવારના પહેલા સૂર્યના કિરણથી લઈને રાત્રીના મધ્યાંન સુધી કઈને  કઈ નક્કી કે નિયોજીત કરીએ અને પાછા હતા ત્યાંના ત્યાં આવી ને ઉભા રહી જઈએ છીએ અને પછી કુદરતના નિયોજિત રસ્તા પર ચાલવાને બદલે આપણા મન ના ધારેલા કે માનેલા રસ્તા જ પસંદ કરીએ છીએ પણ આપણી અંદરની શક્તિને કયારેય ઓરખતા જ નથી ....

આપણે બધા એ  ફિલ્મમો તો  જોઈ જ હશે તેમાં એક ડાયરેક્ટર પોતાના દ્રશ્ય કે કહાની ને પહેલેથી નક્કી કે નિયોજિત હોય તે પ્રમાણે જ આગળ વધતો હોય છે અને તેને અનુરૂપ જ ડાયરેકશન કરતો હોય છે અને ધીરે ધીરે તે આખી ફિલ્મ તેને બનાવેલ કહાની અને પાત્રો મુજબ જ વર્તે છે અને સફળતાપૂર્વક ફિલ્મ ને પૂરી કરે છે અને એક આનદ કે મોજ લે છે......

આપણને પણ ઉપરવાળા ડાયરેક્ટર એ એક પાત્ર નું સ્વરૂપ આપ્યું છે આને બને તેટલી રીતે સારી રીતે ભજવવાનું છે અને પૂરી નિષ્ઠાપૂર્વક કોઇપણ આશા કે અપેક્ષા વગર આપણા જીવનમાં આવતા સારા કે નરસા પ્રસંગને  સફળતાપૂર્વક આનદપ્રમોદ સાથે રોલ  ભજવવાનો છે......

રોજબરોજ આપણને નિયોજન કે આયોજનની ખબર જ હોય છે કે કયારે શું કરવું અને શું ન કરવું પણ આપણે આ નક્કી કરેલામાં પણ હસ્ત્ક્ષેપ  કરી આપણા ધારેલા મન મુજબ પરિણામ જોવા માંગીએ છીએ અને પછી સુખી કે દુખી થઈને હે પ્રભુ આમાં થી બહાર કાઢ ના નારા લગાવીએ છીએ.....

કુદરત કે ભગવાન એ દરેક જીવને સ્વત્રંત આઝાદી આપેલ છે એટલે કે થ્રીવીલ કે તમારી સામે આવતા ઘટનાક્રમને તમારે કેવી રીતે લેવો અને કેવીરીતે વર્તવું..પણ આપણે જો તેના ક્રમ મુજબ ચાલીએ તો તે કયારેય નિરાસ નથી કરતો અને સદા સાચી સમજણ આપે છે અને જીવનના પથ ને ઉપરની તરફ લઈ જાય છે......

રામદુલારે બાપુ કહેતા કે સબ કુછ નિયોજિત હે પર આયોજન હમારા કર્તવ્ય હે

જો તમે કઈપણ નક્કી કરશો તો બંધાઈ જશો અને પછી તેના પરિણામ માટે તેયાર જ રહેવાનું પણ જેમ જેમ ક્ષણ મુજબ વર્તશો કે કુદરતના ક્રમમુજબ ચાલીશું તો તે સાથે રહશે અને મદદરૂપ થશે....

નક્કી કરવાનું છે પણ એક નિયતકરેલા ક્રમ મુજબ જ જેમકે આપણે કોઈને મળવા જવું છે અને આપણે નક્કી કરી લઈશું  તે મુજબ નહિ થાય તો સુખી દુખી થઈશું પણ મળે તોય ઠીક અને ના મળે તોય ઠીક એટલે કે બંધન વગર જઈશું તો તે આપણને મદદરૂપ થશે...

આપણે નક્કી તો ઘણું બધું કરીએ છીએ પણ તેને પૂરું કરવાના સંકલ્પ ની ખામી હોય છે અને સંકલ્પ કરિયા પછી પરિણામ ની ચિંતા હોય છે માટે પહેલેથી જ એના નિયોજન મુજબ ચાલીએ તો તે ખુશથઈ ને આપણી વ્હારે દોડી આવશે અને મોજ જ કરાવશે...

આ ક્ષણથી આપણે એક સંકલ્પ કરીએ કે નક્કી કે નિયોજન એક સીમિત મુજબ જ કરીશું જેથી આપણી અંદર ની ઊર્જા વેડફાય નહિ અને હર ક્ષણ સકારત્મતા જાળવાઈ રહે.......જય ભગવાન.



No comments:

Post a Comment