Wednesday, September 2, 2015

જીવનના અનુભવ : હાસ્ય

જીવનના અનુભવ : હાસ્ય

આજે સવારે અમારા નજીક ના બગીચા ની ચા ની કીટલી પાસે એક માણસોનો સમૂહ હાસ્ય કરતુ હતું અને લગભગ દરેક ના ચહેરા પર હાસ્ય રમતું હતું અને એક વ્યક્તિ તો રીતસર ના ઉછાળા મારતું હતું ....અને આ દ્રશ્ય જોઈને મને પણ અમસ્તું હાસ્ય આવી ગયું અને ત્યાંથી પસાર થઈ ગયો ....

સરળ હસવું ત્યારે જ આવે જયારે નિર્દોષતા ની સ્થિતિ હોય અથવા નિખાલસતા હોય. રોજ બરોજ ના જીવનમાં કે આપણા કહેવાતા સંબંધોમાં તો અટ્ટહાસ્ય કે વ્યંગ હાસ્ય જ હોય છે...

એક તારણ છે આપણા લોકોનું કે હાસ્ય પર કેવું વલણ હોય છે .......

જો જો વોટ્સઅપ કે કોઈ સોશિયલમીડિયા થકી કોઈ જોક કે અન્ય લેખ વાંચીને મનમાં તો મલકાશે ખુલીને હસી ને ત્યારે જ આવશે જયારે તે વ્યક્તિ એ એવા અનુભવમાં થી પસાર થઈ હોય અથવા સમજણ શબ્દો થી પર થઈ હોય.....

જીવનમાં રોજબરોજ ના વ્યહવારમાં જો થોડુક પણ હાસ્યને સ્થાન આપે તો  જીવનની સુગંધ આખા જીવતરમાં પ્રસરે અને જીવન ની તમામ ક્ષણો મહેકી ઉઠે...

હાસ્ય ને માટે લોકો કહે છે કે જે માણસ રોજબરોજ ના ઘટનાક્રમમાં રાખે તો લગભગ નહિ તમામ મુશ્કેલીઓ કે પરેશાનીમાં થી મુક્ત થાય છે અને જીવનમાં સહજતા આવે છે પણ એક વિવેક તો હોવો જોઈએ કે ક્યાં અને કયારે કેટલું હસવું નહિ તો આ સંસારમાં લોકો ગાંડામાં ખપાવે છે.....

જો માણસ ફિલ્મ કે નાટક ના માધ્યમથી જ હસતો હોય તેવું નથી પોતાના જ  રોજબરોજના પ્રસંગમાં અનુભવી પણ શકે છે અને તે જ સાચું હાસ્ય છે... પેલી કહવેત છે ને હસે તેનું ઘર વસે પણ ઘર તો વસાવી દીધું છે પણ હસવાનું તો ભૂલી જ ગયા છે.


આપણા ગુરુ તત્વ ને જ લઈ લો કે એક નાનું બાળક કે એક અનુભવી ને દિલ ખોલી ને હસતા જોઈશું પણ આ અનુભૂતિ આપણે પણ કરી શકીએ છીએ જો આ સંસારમાં જડતા ને આપણે આપણા જીવનમાં બાજુ એ મુકીશું તો એક મસ્ત હાસ્ય આવી જશે અને જીવનમાં શક્તિ કે સ્ફૂર્તિનો સંચાર થશે અને આપણની અંદર જ આ હાસ્ય બેઠું છે તેનો અહેસાસ આવી જશે અને જીવન ધન્ય લાગશે...... જય ભગવાન.


No comments:

Post a Comment