Thursday, September 3, 2015

જીવનના અનુભવ : નીતિ

જીવનના અનુભવ : નીતિ

ગઈકાલે માણેકચોક સ્થિત એક સોનાચાંદીના હોલસેલર અને દેશવિદેશમાં વસતા એક વેપારી જોડે મળવાનું થયું અને એમની દુકાનમાં એક વેહવાર થતો જોયો ... હું ત્યાજ તેમની ઓફીસમાં બેઠો હતો...

એક ફેરિયો રોજ બપોરે આવતું સમાચાર દૈનિક નાખી જાય છે તે તેનું કોઈ ૪૨ રૂપિયાનું પેમેન્ટ લેવા આવેલ આ વેપારી ની એક નીતિ જોઈ અને એક સમજણ પ્રગટી કે નીતિ થી જ વેપાર ચાલે છે...થયું એમ કે એ વેપારી એ પેલા ફેરિયાને ૪૦ રૂપિયા અપીયા અને ફેરીયા એ લઈ લીધા અને સાહેબ ચાલશે તેમ કીધું ત્યારે જ વેપારી એ સામે વ્યક્ત કર્યું કે ઉભો રહે એક મિનીટ અને પછી પોતાના ખિસ્સા ચેક કરવા લાગીયા અને પરચૂરણમાં થી બે રૂપિયા કાઢીને અપીયા અને એક સરસ વાક્ય બોલીયા ઉભો રહે ભાઈ મારે તારા બે રૂપિયા કયા રાખવા અને પાછા આપવા આવું પડે અને એમ કહીને બે  રૂપિયા આપીને હિસાબ અને નીતિ બને બરાબર રીતે પૂરી કરી.

આ નીતિ પર જ વેપાર અને સંસાર ટકેલો છે અને આ નીતિ જ આ વેપારી દેશ અને વિદેશનો વેપાર કરી જાણે છે,જો જો માણસની નીતિ ચોખ્ખી હશે તો વેપાર અને વ્યહવાર બને ને એક શાંતિ નો અનુભવ થશે અને સંતોષ પણ મળશે ...

ઘણા લોકો કુટનીતિ થી ચાલતા હોય એટલે કે આપણી સાથે જો બરાબર રીતે વાણી,વર્તન કે વહેવાર કરશે તે મુજબ જ આપણે તેની સાથે પ્રતિસાદ આપીશું

ઘણા લોકો રાજનીતિથી ચાલતા હોય એટલે વાણી વર્તન અને વહેવાર ને પોતાની સાથે થયેલ હોય તેમાં સાચા હોય તે તરફ દ્રષ્ટી નહિ કરવાની પણ ખોટા થયા હોય તેને જ યાદ રાખી ચાલ ચાલવાની અને પછી ગમે ત્યારે તેને માત આપવાની કે બદલો લેવાનો.

ઘણા લોકો ચાણક્યનીતિ થી ચાલતા હોય એટલે એની વાણી વર્તન અને વહેવાર તોલી તોલીને કરે અને પોતે જ ચાણક્ય ની ઓલાદ ના હોય તેમ વર્તન કરે પણ બધું જ ગેરસમજમાં કે ગેરહાજરીમાં જ હોય

આપણે બધા પાસે નીતિ છે પણ કૂટનીતિ,રાજનીતિ કે ચાણક્ય નીતિથી આ સંસારમાં વહેવાર કરીએ છીએ અને એના જ પરિણામસ્વરૂપે આવતી મુશ્કેલી કે દુઃખ ની અનુભૂતિ કરીએ છીએ

પ્રભુ એટલે કે ભગવાન ની નીતિ એ ચાલીએ તો એક વિવેક પ્રગટે એમની નીતિ એવી છે કે બીજો ભલે વાણી,વર્તન અને વહેવારમાં અનીતિ રાખે પણ આપણે તો નીતિ ના જ માગ પર ચાલવાનું અને ખોટું કે અનૈતિક વલણ નહિ આપવાનું અને સામેવાળા ને પ્રેમ અને પ્રશનતા થાય તેવું જ કરવાનું ....

આ દુનિયામાં આ નીતિ જ માણસની સાચી ઓરખ છે પણ દુનિયાવાળા આને કદી જોઈ જ નથી શકતા અને નોધ પણ નથી લેતા અને પછી ફાફા મારવામાં આખી જિંદગી વ્યતીત કરી નાખે છે અને ફરી પાછા આ ચક્કરમાં આવન જાવન કરી ધરતી પર નો ભાર વધારે છે....

નીતિવાન જીવ ની કોઈ નોધ રાખે કે ન રાખે પણ પેલો ઉપર વાળો બધું નોધી રાખે છે અને કરેલા કર્મો અને સત્કામો જ આત્મા ની ગતિમાનથી આગળ વધારે છે.....જય ભગવાન.





No comments:

Post a Comment