Wednesday, September 16, 2015

જીવનના અનુભવ : ખામી અને ખૂબી

જીવનના અનુભવ :  ખામી અને ખૂબી

આજે સવારે એક માણસ અમદાવાદના શિવરંજની વિસ્તારમાં એક મોટી ગાડી (Porsche) મોડેલની હતી અને કોઈકની રાહ જોતા હશે...તેવું લાગ્યું અને મેં તેમના ચહેરા સામે જોયું તો મને ફિલ્મ એક્ટર ઓમ પૂરી યાદ આવિયા અને એક અલગ પ્રકારની દ્રષ્ટી જોઈ તેઓંની નજરમાં અને ભાસ થયો કે ખામી ભલે હોય કઈક તો ખૂબી કુદરતે જરૂર બક્ષી હશે ....

આપણા બધામાં કેટલીક ખામી છે તો કેટલીક ખૂબી પણ છે...પણ આ આપણે આપણા લાભ ગેરલાભ માટે થઈને જ જોતા હોઈએ છીએ ..નજીકના સગાવહાલા કે મિત્રોની સાથે જો વધુ સમય ગારીએ ત્યારે તેઓં આ ખૂબી અને ખામીને પારખી લેતા હોય છે....સંબંધ ભલે ગમે તે હોય માણસ ને કાયમ ખૂબીઓ માં જ ખામી શોધે છે ...પણ જે ક્ષણએ ખામીમાં ખૂબીઓ શોધશે તે ક્ષણ તેના પોતાના માટે આનદદાયક હશે....

આપણા મિત્રો કે પરિવારજનો ને આપણી બધી ખામી અને ખૂબી ની ખબર હોય છે,કોઈને શારીરિક તો કોઈને માનસીક ટેવ કે કુટેવ હોય છે....
જેમકે ખામી
(૧)નસકોરા બોલાવવા,(૨)ગેસ કે અપચો થઈ જવો,(૩)શ્વાસ લેવામાં તકલીફ,(૪)ભુખીયા રહેવાતું ના હોય, (૫)બહુ બોલ બોલ કરવું,(૬)કશું બોલવું જ નહિ,(૭)વહેલી કે મોડી ઊંઘ આવવી, (૮) વ્યસન હોવું ..વગેરે વગેરે
જેમકે ખૂબી
(૧)સહનશક્તિ આપણા કરતા વધુ હોય,(૨)કાયમ મદદ માટે તત્પરહોય,(૩)અનુકુળ થાય,(૪)સમયે જમવાનું પીરસે (૫) જયા ભૂલથી હોય બોલવામાં ત્યાં અટકાવે,(૬) બોલવામાં થોડા કાચા હોય તો સમય અને સંજોગો મુજબ જ બોલવાનું જણાવે,(૭)અનુકૂળતા મુજબ ઊંઘ લેવી, (૮)વ્યસન કરતા ભુલાવે ....વગેરે વગેરે

આપણે કયારેક કોઈની ખામીને વિસ્તારથી વર્ણન કરતા હોઈશું ત્યારે આપણામાંથી સકારત્મતા જતી રહશે પણ જો આપણે કોઈની ખૂબીઓ નું વિસ્તારથી વર્ણન કરતા હોઈશું ત્યારે આપણામાંથી બધાને સકારત્મતાની ઊર્જા જ વહેચાશે અને આનદપ્રમોદ થશે અને મોટી વાત તો એમ છે કે આપણા અચેતન મન પર કદી આની અસર જ નહિ પડે...

ભગવાન કે કુદરતરૂપી તત્વ કયારેય કોઈની ખામી કે ખુબીઓં નથી જોતા એ પોત પોતાના કર્મ ની ગતિ મુજબ જ વર્તે છે...ખામી કે ખૂબી એ આપણામાં રહેલી દ્રષ્ટીભ્રમ છે જે સંબધો કે કુદરતની આગળ ગતિ કરતા અટકાવે છે...સૂર્ય,ચંદ્ર,કે હવા કે પાણી કયારે કોઈની ખામી કે ખુબી મુજબ નથી વર્તતી બસ એક માણસ જ આ વૃતિના વલણમાં ખેચાય છે અને પરાધીનતા કે સુખદુઃખની અનુભૂતિ કરે છે...

ખામીઓ કાઢવી બહુ સહેલી છે, દોસ્તો.... મોટાભાગનાં લોકો ખામી અને ખૂબી વચ્ચેનો ભેદ પારખતાં હોતા નથી. જો પારખી શકતાં હોત તો તેઓ બીજાની ભૂલો શોધવામાં સમય ના બગાડતાં પોતાની ખૂબીઓ બનાવવામાં વ્યસ્ત હોત. જયારે તારી પોતાની કલાની વાત આવતી હોય ત્યારે તારી અંત:સ્ફૂરણા પર વિશ્વાસ રાખવો ..... મારું તો કહેવું છે કે, “ગ્લાસ અર્ધો ખાલી છે કે અર્ધો ભરેલો એ આપણા દૃષ્ટિકોણ પર નિર્ભર કરે છે...........જય ભગવાન.


No comments:

Post a Comment