Monday, September 14, 2015

જીવનના અનુભવ : સાથ સહકાર

જીવનના અનુભવ :  સાથ સહકાર

જીવનમાં કયારે કઈ ક્ષણએ શું થાય છે તે ખબર જ નથી પડતી અને આ રહસ્યમય જીવનના તબક્કા પણ જોવા જેવા હોય છે .... કયારેક ખુશી તો કયારેક ગમગીની તો કયારેક અજંપો તો કયારેક રહસ્ય ...!!

ગઈકાલ મને સારો એવો જિંદગી એ જીવનનો પાઠ ભણાવિયો કે જીવનમાં આપણે આપણા મિત્રો અને સ્નેહી જનો ના સાથ સહકાર ની અચાનક જરૂર પડે તો આપણે કરેલા સદભાવ ના કે નિસ્વાર્થભાવે કરેલા  કાર્યો જ જીવનને આનદમય રાખવામાં મદદરૂપ થાય છે....

મારે કોઈની જરૂર નથી તેવું કહેવાવાળા ઘણા છે પણ
મારે બધાની જરૂર છે તેવા કહેવાવાળા તો બહુ ઓછા છે...

સાથ સહકાર વગર માણસની જિંદગી સુખી અને સફળ ન થાય....
સાથ સહકાર વગર જીવન ની હરક્ષણ શક્ય નથી..કોઇપણ આધાર જીવનમાં જરૂરી છે..
સાથ ,સહકાર અને આધાર વગર દુઃખમાંથી બહાર આવવામાં કે સુખ વહેચવામાં મુશ્કેલી પડે છે..
સુખી કે આનદ કરવા માટે પણ સાથ સહકાર નો આધાર જોઈએ જ છે...

સુખ કે આનદ ને વહેચવામાં જે અલોકિક સુખ છે તેટલું જ દુઃખની ક્ષણમાં આવીને ઉભારેતા મિત્રો અને સ્નેહી જનો કે પરિવારના સભ્યો છે...

વર્ષગાંઠ હોય કે પાર્ટી કે પછી મિત્રો અને સ્નેહી જનો કે પરિવારજનો ના મેળાપ કે એકબીજાની મિમિક્રી કે કોપી કરવામાં કે સંબંધો ના આનંદિત પળોના યાદગાર અનુભવ માં જે આનદ છે તે તો જેમણે માણ્યો હોય તે જ જાણે...અને આ વહેચવા થી આપણામાં એક ઊર્જાના સ્તરમાં વધારો જોઈ કે માણી શકીએ છીએ...

અને કોઈ દવાખાનામાં માંદગી ના કે અણધરિયા શરીરના રોગો ની સામે રક્ષણ પણ આપણા મિત્રો અને સ્નેહી જનો કે પરિવારજનો ના સાથસહકાર થી જ દુખની ક્ષણોમાંથી બહાર આવી શકાય છે....કેમકે તે સમયે આપણામાં રહેલી ઊર્જાના સ્તરને તે લોકો એટલો બધો પ્રેમ આપે છે કે દવાખાના કે દુઃખ દર્દને ભૂલીને એક આનદપ્રમોદમાં સરકી જઈએ છીએ.....માટે જ

આપણે બીજા માટે કાયમ તત્પર રહેવું જોઈએ...અને બને ત્યાં સુધી ફરિયાદના ભાવ કે મુશ્કેલીઓની  અવગણના કરવી જોઈએ...


ગુરુનો જેમ સાથ સહકાર ના હોય તો આપણે આપણા ખાબોચિયાંરૂપી જીવનમાં જ કુદ્કાને ભૂસકા મારતા રહીએ અને કુદરત કે ભગવાનની નજીક ના પહોચી શકીએ....ગુરુ તત્વ કે કુદરતના તમામ નિયમો માં પણ આ સાથ સહકારનો ભાવ જોવા મળે છે તો આપણે આ નિયમને જીવનમાં ઉતારવા જેવો છે...જય ભગવાન.

No comments:

Post a Comment