Sunday, September 6, 2015

જીવનના અનુભવ : યાદો

જીવનના અનુભવ : યાદો

દરેકને પોતાના ભૂતકાળ પ્રત્યે એક અલગ જ લગાવ કે પ્રેમ હોય છે એ પછી નાનપણ કે યુવાની કે ઘડપણ ની કે પછી જીવનના અંતિમ ક્ષણ કે ઘડીની કેમ ના હોય,એ સમયની યાદો ની મજબુતાઈ એટલી અતુટ હોય છે કે અત્યારની ક્ષણ સાવ ભુલાઈ જ જાય છે અને માણસ સમય કરતા પાછળ જતો રહે છે અને એ સ્મરણ ને યાદ કરીને સુખ દુઃખ ની અનુભૂતિ કરે છે આ દરેક માણસમાં એક સ્વભાવિક લક્ષણ છે.....

કોઈને મીઠી યાદો ગમે તો કોઈને કડવી યાદોને જ વાગોરીયા કરે અને સુખ દુઃખ ની અનુભતી કર્યા કરે પણ જે ક્ષણ વીતતી જાય છે તે પણ એક યાદ જ બનીને રહી જાય છે તો આ ક્ષણ કે ઘડી ને પણ કેમ યાદગાર ના બનાવવીએ અને ભૂતકાળની યાદો સ્મરણ વિસરાવીએ, હા એક છે કે તેમાં સસ્મરણો ના સંભારણા યાદ કરીને રાજી થઈ એ પણ એ ક્ષણ કે સમય ની પાછી માંગણી કરીએ તો તે શકય જ નથી તેટલુ તો આપણને ખબર જ છે.....

યાદો ની પ્રત્યે આપણે ઉદાસીનતા ન દાખવતા એક જીવનના સંભારણા સ્વરૂપે જો યાદ કરીએ તો ચોક્કસ એક અલગ આનદ પ્રાપ્ત થાય છે અને આ જ અસલી આનદ છે...
કોઈને પોતાના ના સારા નરસા અનુભવો યાદ આવે અને હસી કે રડી લે....તો
કોઈ બીજાના હાસ્યને લગતા અનુભવો યાદ કરે અને હસી લે ...તો
કોઈ લગતા વરગતા સંબંધો ની યાદો ને યાદ કરે અને હસી લે ....
પણ આ આનદ ને ઓરખવો જોઈ કે આ તો એક માધ્યમ છે ભૂતકાળ ની યાદગાર પળોને માણવાનો છે અને સામે પ્રતિભાવ પણ આપતા પહેલા સમજવું કે આપણે ભૂતકાળ વિશે વાત કરીએ છીએ...

યાદો ને જો યાદ કરીએ તો જેની યાદદાસ્ત (મેમરી) સારી હોય તો તેની આંખ સામે આખે આખું ચિત્ર ઉપસી આવે છે અને આનદપ્રમોદ કરી લે છે તો કોઈ ની યાદદાસ્ત (મેમરી) સારી ના હોય તો તે પોતે અનુભવેલા અનુભવ ને આધારે હાસ્ય રેલાવી દે છે...

જીવનરૂપી ઘરમાં કેટકેટલી યાદો છે અને આ યાદો થી જીવનની ગતિ વધે છે તો જયારે જયારે ભૂતકાળ યાદ આવે ત્યારે ચોક્કસ યાદગાર ક્ષણ  કે પળ ને જ યાદ કરવી જેથી આપણી અંદરની ઊર્જા વધુ ના બગડે અને એક આનદની ઝલક મળે ...

આજે મારો જન્મદિવસ છે તિથી મુજબ જન્માષ્ટમી ની પારણા નોમ અને મને આજે અમદાવાદમાં મળતા માણેકચોકના બત્રીસજાતના શાકભાજી યાદગાર રહી ગયા છે અને આજે તેને અચૂક માણવાની ઈચ્છા થાય છે અને મળી પણ જાય છે તો આ યાદો જયારે જયારે યાદ આવે છે તો આનદની એક લહેર આવી જાય છે...અને એક ગીત યાદ આવે છે ...આનેવાલા પલ જાને વાલા હે હો શકે તો ઉસ મેં જિંદગી બીતાદો પલ જો યે જાને વાલાહે...

આપણને એક યાદો જ લાઈવ રાખે છે કેમકે તેમાં રહેલો અનુભવ જ કામ કરતો હોય છે તો અવનવી યાદો ને યાદ કરી હસી કે રડી લઈએ અને જીવનમાં નીતનવી યાદો ઉમેરીએ....જય ભગવાન.





No comments:

Post a Comment