Monday, September 7, 2015

જીવનના અનુભવ : અનુભવ નોધ કે ડાયરી લેખન

જીવનના અનુભવ : અનુભવ નોધ કે ડાયરી લેખન

ઘણાં લોકો મારી જેમ આ અનુભવ રૂપી ડાયરી કે લેખ લખતા હોય છે,
કેમ અનુભવ કે લેખ લખતા હશે ?
પોતે જે કઈ અનુભવયુ ,
જોયું કે જાણ્યું કે પછી ધાર્યું એ બધું લખી ને કેવો સંતોષ અને આનંદ મળતો હશે?

એ તરફ નજર નથી જતી અને પોતે આ વાત પર સહમત નથી અથવા આ ખોટું છે તેવો એકરાર કરે છે પણ તેઓ પોતાની જાત ને સ્વયમ આ અનુભવ રૂપી લેખન માં મુકે ત્યારે આ સાચો ભેદ પરખાય...

ભગવાન માથે રાખી અથવા સાચે સાચી હદયની વાત ને એક લેખન સ્વરૂપે બધું શબ્દો માં વર્ણન કરવા માટે ખરી હિંમત જોઈએ.કોઈ ને કહી ના શકાય એવી લાગણીઓ ને પેપર કે ઓનલાઈન પર વેહતી મૂકી દઈ મન હળવું ફૂલ ચોકસ લાગતું હશે.અને સારા કે ખરાબ અનુભવ લખી ને એને ફરી જીવન જીવી લેવાની પણ મજા કઈક અનુભવવા જેવી છે ....

દરેક વ્યક્તિ અંતર ની વાત નિર્ભય બની વેહતી મુકી શકે છે. અને હદય ને હળવું ફૂલ બનાવી શકે છે , આમાંથી સંતોષ અને આનંદ પણ લઇ શકે છે એ માટે ડાયરી જ લખવી એવું નહિ.પણ પોતાનું મન ખાલી કરી શકાય એવા અનુભવો અને લાગણીઓ વેહતી મૂકી શકાય એવું કોઈ વ્યક્તિ પણ હોઈ શકે....

તમને કોઈ માણસ સાથે કારણઅકારણ ની કે અનુભવ ની વાતો કરી સંતોષ થયો છે?

અંતર ની વાતો ને જે માણસ સમક્ષ વેહતા ઝરણા ની જેમ બહાર લાવી શકાતી હોય,કીધા પેહલા કે કહ્યા પછી અંતર પર કોઈ ભાર કે ક્ષોભ  લાગતો ન હોય એ જ તમારી ડાયરી.કઈંક સારું કે નરસું ,નવું કે અજુકતું ઘટે અને જેને એ બધું કહી દેવાની ઈચ્છા થઇ આવે એજ તમારી અનુભવ રૂપી ડાયરી.

અનુભવ રૂપી ડાયરી લખનારા એક જ ડાયરી લખે છે અને ખુબ અંગત વસ્તુ ગણી ને સાચવી રાખે છે,જીવન માં અંગત અને બધી વાતો જાણી શકે એવી વ્યક્તિ (ડાયરી) એક જ અને અંગત હોવી જોઈએ.


આ અનુભવ લેખ લખવા પાછળના હેતુ ને ધ્યાનમાં રાખીને આપણે આપણા પરિજનો કે વ્હાલા મિત્રોને એટલો બધો પ્રેમ કે સ્નેહ આપીએ છે કે કયારેક આ પ્રેમ ખૂટે નહિ....જય ભગવાન.

No comments:

Post a Comment