Thursday, September 24, 2015

જીવનના અનુભવ : અતિરેક

જીવનના અનુભવ : અતિરેક

અમારી સોસાયટીમાં વ્રુક્ષની ડાળી ને નાની કરવા આવિયા છે અને એટલી કાળજીપૂર્વક બહુ જ વધેલા વ્રુક્ષ ની ડાળી ને કાપી ને સુંદર લાગે તેવો ઘાટ આપીયો અને તેના માપસર રૂપ ને જોવાનો લાહવો મળ્યો અને એક સમજણ ખુલી ....કે

કોઈ વાણીનો અતિરેક કરે છે...
કોઈ વહેવાર કે વર્તન નો અતિરેક કરે છે...તો
કોઈ લાગણીઓનો અતિરેક કરે છે....તો
કોઈ વળી પ્રેમ નો અતિરેક કરે છે.....તો
કોઈ વળી વોટ્સઅપ કે ફેસબુકના ઉપયોગનો અતિરેક કરે છે....તો
કોઈ સંબંધો ની મહતા નો અતિરેક કરે છે.....

શરીરથી જયારે આપણે નાના હતા ત્યારે એક પાઠ ભણાવતા કે અતિ લોભ તે પાપ નું મૂળ છે.....શરીર થી મોટા થયા પણ આ વાતને અંદર ના ઉતારી કેમકે અણસમજ કહો કે સ્વાર્થવૃત્તિ કહો,જાણકારી ને બસ દુર જ રાખીએ છીએ પણ આ દુર્ગુણ ને આપણી અંદરથી બહાર કાઢવાનો છે અને જીવનને સમતોલ રાખવાનું છે.

કુદરત કે ભગવાન કયારેય અતિરેક નથી કરતા બધું જ માપસર અને સમતોલ ....

જયારે જયારે આપણાથી અતિરેકની ભૂલ થાય છે, ખબર પણ પડે છે, પણ આને મહત્વ જ નથી આપતા, આ અતિ ની કોઈ ગતિ નથી અને પછી અતિરેકના પરિણામ ભોગવવા પડે છે.....જીવનની ગતિ જો ઉપરની તરફ કરવી હોય તો આ સૌપ્રથમ આ અતિરેકને નિયંત્રણ કરવામાં છે...કેમકે માણસની આખી જિંદગી આ અતિરેકથી ઉદભવેલી સમસ્યા નિવારવામાં જ જતી રહે છે ...જેમકે
ભોજનનો અતિરેક શરીરની સમસ્યા નોરતે...
આળસનો કે તમગુણનો અતિરેક સુખદુઃખ ની સમસ્યા નોતરે...પછી આ સમસ્યાને સુધારવામાં આખી જિંદગી ખર્ચી નાખે અને પાછો જયાંથી આવીયો તો ત્યાં થી શરૂઆત કરે અને આમને આમ યોની બદલી બદલીને મુક્તિમાં અવરોધ પેદા કરે.....

માણસ પોતાના જ રસ્તામાં અવરોધ જાતે જ પેદા કરે ને વાંક બીજાનો કાઢે...પણ જો આ જોતા આવડી જાય તો એક સમજણ પ્રગટે અને કુદરત કે તત્વની એક ઝલક મળે અને એજ આપણી ગતિ કરાવે અને આપણું આંતરિક રૂપ એટલું સુંદર બનાવે કે બધી બાજુ બસ પ્રેમ,વાત્સલ્ય,આનદ કે મોજની જ અનુભીતી કરાવે અને આ દર્શન દુનિયા જોવે અને માણે ....

ભગવાન કયારેય કોઈને કહેતા નથી કે અતિરેકથી જીવન વ્યતીત કર,આપણા સંસ્કાર કહો કે દુર્ગુણતા આપણે  જ આપણી મુક્તિમાં બાધા બનીએ છીએ અને છેવટે આપણું લક્ષ્ય તો મુક્તિનું જ છે ને....તો કેમ આ અતીરેકતા ને દુર કરીને જીવનમાં મોજ ના કરીએ...જય ભગવાન.










No comments:

Post a Comment