Sunday, September 20, 2015

જીવનના અનુભવ : ધ્યાન

જીવનના અનુભવ : ધ્યાન

અમદાવાદમાં અત્યારે વાદળ છાયું વાતાવરણ છે અને ઝરમર વરસાદ પડી રહ્યો છે.....સવારે હું દૂધ લેવા જઈ રહ્યો હતો ત્યાં કોઇકે બુમ પાડી કે ધ્યાન રાખજો.....

ધ્યાન એ શું છે....આપણે રોજબરોજ આ શબ્દ પ્રયોગ કરીએ છીએ કે ......જે કરો તે ધ્યાન થી કરજો...મારી વાત ધ્યાન માં છે ને...ધ્યાન ના રાખ્યું ને એટલે આવું થયું ....ધ્યાન ક્યાં છે તમારું .....ધ્યાનમાં બેસવા જેવું છે...વગેરે વગેરે....

આપણા આ સંસારમાં ધ્યાન ની વ્યાખ્યા બધા અલગ અલગ કરે છે.. ..જેમકે ઘણા લોકો આંખો બંધ કરીને બેસી જાય તેને ધ્યાન કહે છે ....મારા અનુભવ મુજબ ધ્યાન એક સહજ ક્રિયા છે જે સચેતન મન કે સંપૂર્ણ હાજરી સાથે કોઇપણ ક્રિયા કરો તે ધ્યાન છે...

શિક્ષક કે ગુરુ જો સમજાવતા હશે તો વિધાથી કે શિષ્ય ને ધ્યાન ની જરૂર પડશે...
આપણા થી કોઈ અશકય કાર્ય થતું નથી અને બીજાથી એ અશકય કાર્ય થાય છે તેનું કારણ આ ધ્યાન છે....
ચોર ચોરી કરશે તો ધ્યાન ની જરૂર પડશે...આ તો સામાન્ય ઉદાહરણ છે જે મેં અહી આપીયા પણ ધ્યાન ની મહતા સંપૂણ એકાગ્રતા વાળું મન છે જે બીજે કશે ભટકે જ નહી અને આપણે તેને જોઈ શકીએ અને અનુભવી પણ શકીએ....વાતો કરીએ કે ધ્યાન એ તો ઘેરાઈમાં જ સમજાય પણ એવું નથી...ધ્યાન એ આપણો મૂળ સ્વભાવ છે,ધ્યાન એક કુદરત કે ભગવાનના સાનિધ્યની અનુભૂતિ છે....

ગુરુ તત્વ કહે છે કે મને બેધ્યાન કેવી રીતે થવાય તે સમજાવો ..અને આપણને નવાઈ લાગે કે આવું કેમ કહે છે પણ વાત એકદમ સત્ય છે,આ સંસારમાં બધું જ ધ્યાન ને આધારીતે છે...બાળપણમાં કે યુવાનીમાં આપણા વડીલો જે સમજાવે છે તે પોતાના જ અનુભવ ને આધારે જ સમજાવે છે.આપણા માનવ જીવ ની ક્રિયાઓ જન્મ,યુવાની,લગ્ન,સેક્સ,ઘડપણ,મરણ આ બધું જ જો ધ્યાનથી જોશો તો ધ્યાન જ છે ...પણ આપણે તેને બેધ્યાન બનાવી દઈએ છીએ...અને પછી તેના સારા કે ખરાબ પરિણામ ભોગવી ને આ જગતમાંથી રજા લઈએ છીએ....


આ ક્ષણથી એક સંકલ્પ કરીએ કે આપણે આપણી હાજરી કે હોવાપણાની અનુભૂતિને ધ્યાનમાં લઈશું એટલે કે કોઇપણ કાર્ય કે ક્રિયા કેમ ના કરતા હોય આપણે આ શરીરમાં એક ચેતન્ય સ્વરૂપ ની હર ક્ષણ નોધ લઈશું આ અસક્ય નથી બસ ધીરે ધીરે આ ક્રમને વધારવાનો જ છે ...પહેલા પહેલા થોડીક તકલીફ પડશે પણ પછી બધું જ સહજ લાગશે અને ધ્યાન શું છે તેની એક ઝલક મળશે...શાંત ચિત અને એકાગ્રતા વાળું મન કયારેય બેધ્યાન થતું જ નથી...આપણા મૂળ સ્વરૂપ ને જ આપણે ભૂલી ગયા છે તો આ ધ્યાન રૂપી કડીના માધ્યમ થી ભગવાન કે તત્વ જોડે એકરૂપ થવાનો લાહવો છે ...આ અનુભવ માણવા જેવો ખરો હો.....જય ભગવાન.


No comments:

Post a Comment